પાકિસ્તાને ભારત પર 8 મોટા હુમલાઓનો દાવો કર્યો: PM શરીફે પરમાણુ શસ્ત્રો પર નિર્ણય લેતી સમિતિની બેઠક બોલાવી

પાકિસ્તાને ભારત પર 8 મોટા હુમલાઓનો દાવો કર્યો:PM શરીફે પરમાણુ શસ્ત્રો પર નિર્ણય લેતી સમિતિની બેઠક બોલાવી
Email :

પાકિસ્તાની સેનાએ અનેક ભારતીય સ્થળો પર મોટા હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આમાં પંજાબમાં બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ ફૅસિલિટી, ઉરી સપ્લાય ડેપો, રાજસ્થાનમાં સુરતગઢ એરફિલ્ડ, આદમપુરમાં S-400 સિસ્ટમ, દેહરંગ્યારી અને પઠાણકોટ એરફિલ્ડમાં આર્ટિલરી પોઝિશનનો સમાવેશ થાય છે. શનિવારે સવારે પાકિસ્તાને જાહેરાત કરી હતી કે તેની સેનાએ ભારતીય

આક્રમણના જવાબમાં હુમલા શરૂ કર્યા છે. જેને ઓપરેશન 'બુન્યાન-ઉલ-મર્સૂસ' નામ આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે - 'સીસા કરતાં મજબૂત દીવાલ' એટલે કે ખૂબ જ મજબૂત રીતે રક્ષણ આપતી દીવાલ. અગાઉ, પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે ભારતે નૂર ખાન (રાવલપિંડી), મુરીદ (ચકવાલ) અને રફીકી (શોરકોટ) એરબેઝને

નિશાન બનાવ્યા હતા. આ પછી, પીએમ શાહબાઝ શરીફે નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ની બેઠક બોલાવી છે. આ સમિતિ પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નિર્ણયો લે છે. પાકિસ્તાને ભારત પર 8 મોટા હુમલાઓનો દાવો કર્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અંગે પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો...

Leave a Reply

Related Post