પાકિસ્તાને આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની કબૂલાત કરી: સંરક્ષણમંત્રીએ કહ્યું- અમે અમેરિકાના ઈશારે 30 વર્ષથી આવાં ગંદાં કામ કરી રહ્યા હતા

પાકિસ્તાને આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની કબૂલાત કરી:સંરક્ષણમંત્રીએ કહ્યું- અમે અમેરિકાના ઈશારે 30 વર્ષથી આવાં ગંદાં કામ કરી રહ્યા હતા
Email :

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે તેમનો દેશ છેલ્લાં 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આવાં 'ગંદાં કામ' કરી રહ્યા છે. ખ્વાજા આસિફે શુક્રવારે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે તેમને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આ અંગે તેમણે કહ્યું હતું કે વૈશ્વિક શક્તિઓએ પોતાનાં હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો. ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું છે કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક

મોટી ભૂલ હતી. અમે આની સજા ભોગવી રહ્યા છીએ. તેમણે કહ્યું, જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયા ન હોત અને 9/11ના હુમલા પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એ ન થઈ હોત, તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાગ હોત. આસિફે કહ્યું- બંને દેશ પરમાણુ શક્તિ, દુનિયાએ ચિંતા કરવી જોઈએ પહેલગામ મુદ્દા અંગે ખ્વાજા આસિફે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ બંને દેશો વચ્ચે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. ભારત જે પણ કરશે, પાકિસ્તાન તેનો જવાબ આપશે. જો વસ્તુઓ ખોટી પડે છે, તો આ સંઘર્ષનાં પરિણામો ખતરનાક બની શકે

છે. પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે પહેલગામ હુમલા માટે પાકિસ્તાન નહીં, પણ ભારત જવાબદાર છે. જો ભારત અમારી સામે કોઈ કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ એ જ રીતે જવાબ આપશે. પાકિસ્તાન પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે દુનિયાએ ચિંતા કરવી જોઈએ, કારણ કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. જોકે તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) વિશે પૂછવામાં આવતાં આસિફે કહ્યું હતું કે તેમણે ક્યારેય તેનું નામ

પણ સાંભળ્યું નથી. જ્યારે એન્કરે તેમને યાદ અપાવ્યું કે TRF લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે, ત્યારે તેમણે કહ્યું- એ હવે જૂનો થઈ ગયો છે. તે હવે અસ્તિત્વમાં નથી. પાકિસ્તાનના વિદેશમંત્રીએ આતંકવાદીઓને સ્વાતંત્ર્ય સેનાની કહ્યા પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે પહેલગામ હુમલાના આતંકવાદીઓને 'સ્વાતંત્ર્ય સેનાની' કહ્યા છે. ડારે ગુરુવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- આપણે આભારી રહેવું જોઈએ કે આ પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ હોઈ શકે છે. જોકે અમે નથી જાણતા કે તેઓ કોણ છે. મને લાગે છે કે તેઓ પોતાની નિષ્ફળતા અને પોતાના ઘરેલુ રાજકારણ માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યા છે. ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન

પણ છે. તેણે કહ્યું હતું કે જો ભારત પાસે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના કોઈ પુરાવા છે તો તેમણે એને વિશ્વ સમક્ષ રજૂ કરવા જોઈએ. ભારત વારંવાર પાકિસ્તાન પર આવી ઘટનાઓનો આરોપ લગાવે છે. આ વખતે પણ ભારતે એ જ રમત રમી છે. ડારે કહ્યું હતું કે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની મારી મુલાકાતો રદ કરી છે, જેથી અમે રાજદ્વારી પ્રતિભાવ તૈયાર કરી શકીએ. ભારતની વધતી જતી આક્રમકતા અંગે વિદેશમંત્રી ડારે કહ્યું હતું કે પાકિસ્તાન પણ ભારત જેવાં પગલાં લેશે. સિંધુ જળ કરાર રદ કરવા બદલ ભારતને ધમકી આપી, કહ્યું-

આ યુદ્ધ જેવું છે પાકિસ્તાની વિદેશમંત્રીએ કહ્યું હતું કે જો કોઈપણ ખોટું સાહસ કરવાનો પ્રયાસ કરે છે તો પાકિસ્તાની સેના આવા પડકારનો જવાબ આપવા તૈયાર છે. તેણે પહેલાં પણ પ્રયાસ કર્યો હતો અને નિષ્ફળ ગયો. તો આ વખતે તેમના માટે વધુ ખરાબ સ્થિતિ હશે. ડારે ભારતને સિંધુ જળ સંધિ રદ કરવા સામે ચેતવણી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે એ યુદ્ધ જેવું છે. પાકિસ્તાનમાં 24 કરોડ લોકોને પાણીની જરૂર છે. તમે એને રોકી શકતા નથી. જો ભારત પાણી વાળવાનો પ્રયાસ કરશે તો એને યુદ્ધ સમાન ગણવામાં આવશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...

Leave a Reply

Related Post