યુદ્ધ થશે તો પાકિસ્તાનના બધા પક્ષો એક થશે: પાકિસ્તાની સેના અને રાજકીય પક્ષો બેઠક યોજવા સંમત થયાં, ઇમરાનની પાર્ટી ગેરહાજર

યુદ્ધ થશે તો પાકિસ્તાનના બધા પક્ષો એક થશે:પાકિસ્તાની સેના અને રાજકીય પક્ષો બેઠક યોજવા સંમત થયાં, ઇમરાનની પાર્ટી ગેરહાજર
Email :

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રવિવારે મોડીરાત્રે પાકિસ્તાની સેનાએ તમામ રાજકીય પક્ષોને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. આ બ્રીફિંગ ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી અને માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરાર દ્વારા આપવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર તમામ પક્ષોએ ભારતીય હુમલાના કિસ્સામાં બદલો લેવાની કાર્યવાહી માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, યુદ્ધની સ્થિતિમાં તમામ પક્ષો સાથે મળીને સંયુક્ત મોરચો બનાવવા માટે પણ સંમત

થયા હતા. ઇમરાન ખાનના મુખ્ય વિપક્ષી પક્ષ પીટીઆઇએ આ બ્રીફિંગમાં ભાગ લીધો નહોતો. વાસ્તવમાં પીટીઆઈ ઇમરાનને જેલમાંથી મુક્ત કરવાની માગ કરી રહી છે, જેને સરકારે નકારી કાઢી છે. રાજકીય પક્ષોએ કહ્યું - તેઓ સેના સાથે છે ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના તમામ રાજકીય પક્ષોએ કહ્યું હતું કે ભારતીય હુમલાની સ્થિતિમાં તેઓ સેનાની સાથે ઊભા રહેશે. સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે બેઠકમાં કહ્યું હતું કે સરકાર આ મુદ્દા પર તમામ રાજકીય પક્ષો પાસેથી પ્રતિસાદ લેવા માગે છે. રિપોર્ટ અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે

ભારત દુનિયા સમક્ષ પોતાનો મુદ્દો સ્પષ્ટ કરી શક્યું નથી. જ્યારે પાકિસ્તાનનો પક્ષ વધુ મજબૂત બન્યો છે. બીજી તરફ, પાકિસ્તાની સેનાએ પણ રાજકીય પક્ષોને તેની તૈયારીઓ વિશે માહિતી આપી. ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. આજે આ મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક બેઠક થશે. આ બેઠકની માગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે, જેને ગ્રીસે તેના અધ્યક્ષતામાં મંજૂરી આપી છે.

બીજી તરફ, પાકિસ્તાનમાં આજે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. ભારતે ચિનાબ નદીનું પાણી રોકી દીધું પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા પછી ભારતે રવિવારે ચેનાબ નદીનું પાણી બંધ કરી દીધું. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર ડેમ દ્વારા ચિનાબનું પાણી રોકી દેવામાં આવ્યું છે. એ જ સમયે કાશ્મીરમાં કિશનગંગા બંધ દ્વારા ઝેલમ નદીનું પાણી રોકવાની યોજના છે. બીજી તરફ, એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર

મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલગામ હુમલા અંગે પીએમ અને એર ચીફ માર્શલ વચ્ચે ચર્ચા થઈ હતી. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે સંરક્ષણમંત્રી તરીકે ભારત પ્રત્યે ખરાબ ઇરાદા રાખનારાઓને યોગ્ય જવાબ આપવાની મારી જવાબદારી છે. હું તમને ખાતરી આપવા માગું છું કે તમે (દેશવાસીઓ) જે ઈચ્છો છો એ ચોક્કસ થશે. ભારત પર દબાણ લાવવા માટે પાકિસ્તાને અમેરિકા પાસે મદદ માગી પાકિસ્તાને ભારત પર જવાબદારીપૂર્વક વર્તન કરવા દબાણ લાવવા માટે અમેરિકા પાસેથી મદદ માગી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો

રુબિયોએ 30 એપ્રિલના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન શાહબાઝ શરીફે ભારત પર આક્રમક અને ઉશ્કેરણીજનક વર્તનનો આરોપ લગાવ્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના ઉશ્કેરણીજનક વલણને કારણે આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનની ચાલી રહેલી કાર્યવાહી પ્રભાવિત થઈ શકે છે. પ્રાદેશિક પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે બીજી તરફ, ભારતીય વિદેશમંત્રી જયશંકર સાથે વાત કરતી વખતે રુબિયોએ કહ્યું હતું કે ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવવામાં અને બદલો લેવાની માગ કરવામાં સાવધાની રાખવી જોઈએ.

Leave a Reply

Related Post