PAK એજન્ટે કહ્યું- પાકિસ્તાની સેનાએ પૂંછ ગુરુદ્વારા પર હુમલો કર્યો: યુટ્યૂબર મિત્ર પાસે કન્ફર્મ કર્યુ, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાં બેઠેલા સૂત્રોએ ઘણી મહત્વપૂર્ણ માહિતી મોકલી હતી

PAK એજન્ટે કહ્યું- પાકિસ્તાની સેનાએ પૂંછ ગુરુદ્વારા પર હુમલો કર્યો:યુટ્યૂબર મિત્ર પાસે કન્ફર્મ કર્યુ, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાં બેઠેલા સૂત્રોએ ઘણી મહત્વપૂર્ણ માહિતી મોકલી હતી
Email :

પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં પકડાયેલા જ્યોતિ મલ્હોત્રા સાથે પોડકાસ્ટ કરનાર પાકિસ્તાનના ISI એજન્ટ નાસિર ઢિલ્લોનનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કબૂલાત કરી રહ્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાં બેઠેલા સૂત્રોએ તેને ઘણી મહત્વપૂર્ણ માહિતી મોકલી હતી. નાસિરે કહ્યું કે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. મેં ત્યાં મારા યુટ્યુબર મિત્ર પાસેથી આ વાતની પુષ્ટિ કરી. મેં ગુરુદ્વારાના એક વ્યક્તિ સાથે પણ વાત કરી. જો કે, નાસિરે તેના વીડિયોમાં તે લોકોનું નામ લીધું નથી. તેણે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીનો ફોટો બતાવીને લોકોને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કર્યો. ઓપરેશન

સિંદૂર (7-8 મેની રાત્રે)ના 3 દિવસ પછી, 10 મે, 2025ના રોજ, નાસિરે આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો હતો. નાસિર ઢિલ્લોનના વીડિયોમાં 3 મોટી વાતો... જ્યોતિ મલ્હોત્રા સાથે પોડકાસ્ટ કર્યો નાસિર ઢિલ્લોને જ્યોતિ મલ્હોત્રા સાથે એક પોડકાસ્ટ પણ કર્યો હતો, જેની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ હિસારમાં તેના ઘરેથી વર્ચ્યુઅલી કનેક્ટ થતી હતી. પોડકાસ્ટમાં, જ્યોતિએ નાસિરને કહ્યું કે મને ભારતના લોકોના મનમાં પાકિસ્તાનની છબી બદલવાની તક મળી રહી છે. હું ઈચ્છું છું કે વધુને વધુ હિન્દુ વસ્તી પાકિસ્તાનની મુલાકાત લે. આ માટે, હું એક વીડિયો પર કામ કરી રહી છું.

નાસિર કહે છે કે તમે મને પાકિસ્તાનમાં સાથે મળીને એક વીડિયો બનાવવા કહ્યું હતું. આ વખતે હું તમારી સાથે આવીશ. પછી જ્યોતિ કહે છે કે આ વખતે હું એક મહિના માટે પાકિસ્તાન આવીશ. યુટ્યુબર્સ સાથે મિત્રતા કર્યા પછી, તે તેમને ટાસ્ક આપતો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસિર ઢિલ્લોને પહેલા ભારતીય યુટ્યુબર્સ સાથે મિત્રતા કરી અને પછી તેમને પાકિસ્તાની ISI એજન્ટો સાથે પરિચય કરાવ્યો. આ પછી, તેણે તેમને ભારતીય સેના અને સુરક્ષા સંસ્થાઓ સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું કામ સોંપ્યું. ભારતીય એજન્સીઓ તપાસ કરી રહી છે કે જ્યોતિએ નાસિર સાથે કેટલો સમય અને ક્યારે- ક્યારે વાત કરી.

Leave a Reply

Related Post