ભારતના હુમલાથી PAKને મોટું નુકસાન થયું: ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં પુરાવા સાથે ખુલાસો, પાકિસ્તાન પર ભારત ભારે પડ્યું; સેટેલાઇટ તસવીરોમાં સત્ય

ભારતના હુમલાથી PAKને મોટું નુકસાન થયું:ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં પુરાવા સાથે ખુલાસો, પાકિસ્તાન પર ભારત ભારે પડ્યું; સેટેલાઇટ તસવીરોમાં સત્ય
Email :

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલી સૈન્ય સંઘર્ષમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી લડાઈ હતી. બંને દેશોએ એકબીજાની એર ડિફેન્સ ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું અને સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા.ન્યૂયોર્ક ટાઈમ્સે તેના એક અહેવાલમાં સેટેલાઈટ તસવીરોને ટાંકીને કહ્યું છે કે એવું લાગે છે કે ચાર દિવસના સૈન્ય સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાની ઠેકાણાઓ નિશાન બનાવતા પાક. પર ભારત ભારે પડી ગયું. આ હુમલાઓ માટે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંનેએ એકબીજાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો હતો. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે હુમલાઓ અસંખ્ય

હતા, પરંતુ નુકસાન દાવા કરતાં ઘણું ઓછું હતું. આમાંના મોટાભાગના હુમલા ભારત દ્વારા પાકિસ્તાની ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. આ હાઇ-ટેક યુદ્ધના યુગમાં, બંને પક્ષો સચોટ રીતે લક્ષ્ય પર નિશાન સાધ્યા છે. આ યુદ્ધમાં બંને પક્ષોની સેનાઓને નુકસાન થયું છે. ભારતે પાંચ જવાનોના નુકસાનનો સ્વીકાર કર્યો છે, જ્યારે પાકિસ્તાને 11 સૈનિકોના નુકસાનનો દાવો કર્યો છે. હુમલા પહેલા અને પછીના હાઈ રીઝોલ્યુશન તસવીરો દર્શાવે છે કે ભારતીય હુમલાઓમાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન થયું છે. આ હુમલાઓ ચોક્કસ હતા. પાકિસ્તાન પર ભારતના હુમલા 1.

કરાચીથી માત્ર 100 કિમી દૂર ભોલારી પર ભારતનો હુમલો પાકિસ્તાનના બંદર શહેર કરાચીથી 150 કિમીથી ઓછા અંતરે આવેલા ભોલારી એરબેઝને ભારતે નિશાન બનાવ્યું હતું. ભારતીય સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમણે વિમાનના હેંગર પર સચોટ હુમલો કર્યો. સેટેલાઇટ તસવીરો પરથી ભારતનો દાવો સાચો લાગ્યો. તસવીરોમાં, હેંગર વિસ્તારમાં મોટું નુકસાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. 2. આર્મી હેડક્વાર્ટર નજીક નૂર ખાન એરબેઝ નિશાન બનાવ્યું ભારતે પાકિસ્તાની આર્મી હેડક્વાર્ટર અને વડાપ્રધાન કાર્યાલયથી માત્ર 25 કિમી દૂર નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું. પરમાણુ શસ્ત્રો સ્ટોરેજ સુવિધા અને સિક્ટોરિટી યુનિટ

અહીંથી થોડા અંતરે આવેલું છે. આ સંદર્ભમાં, તે ભારત દ્વારા હુમલો કરાયેલ સૌથી સંવેદનશીલ સૈન્ય ટારગેટ હતું. 3. ભારતના હુમલાથી રહીમ યાર ખાન એરબેઝની સ્ટ્રિપમાં ખાડો પડ્યો ભારતીય સેનાએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રહીમ યાર ખાન એર બેઝને પણ નિશાન બનાવ્યું હતું. તે પાકિસ્તાનનું એક મહત્વપૂર્ણ એરપોર્ટ પણ છે. ભારતના હુમલાથી એરબેઝની એરસ્ટ્રીપ પર એક મોટો ખાડો પડી ગયો છે. સેટેલાઈટ તસવીરોમાં નુકસાન સ્પષ્ટપણે જોઈ શકાય છે. પાકિસ્તાન સેના દ્વારા 10 મેના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ રનવે

કાર્યરત નથી. 4. સરગોધા એરબેઝ પર બે હુમલા કરવામાં આવ્યા હતા ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સરગોધા એરબેઝના બે અલગ અલગ ભાગોને નિશાન બનાવ્યા. આ માટે સેનાએ ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કર્યો. આના કારણે રનવે પર બે અલગ અલગ ખાડાઓ પડ્યા છે. ભારત પર પાકિસ્તાનનો હુમલો પાકિસ્તાનના હુમલાની અસર તસવીરમાં દેખાતી નહોતી પાકિસ્તાની સેનાએ બે ડઝન ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. જ્યારે ભારતે કહ્યું છે કે ફક્ત ચાર ઠેકાણે મર્યાદિત નુકસાન થયું છે. પાકિસ્તાને જે સ્થળોએ હુમલો કરવાનો દાવો કર્યો છે ત્યાં સેટેલાઇટ

તસવીરમાં નુકસાનના કોઈ નિશાન દેખાતા નથી. પાકિસ્તાની અધિકારીઓએ ભારતના ઉધમપુર એરપોર્ટને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. જોકે, 12 મેના સેટેલાઇટ તસવીરમાં કોઈ નુકસાન દેખાતું નથી. ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું. ભારતે 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. ભારતે કહ્યું કે આ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

Leave a Reply

Related Post