'પાકિસ્તાની સેના સામે કાર્યવાહી કરો અમારા વિરુદ્ધ નહિ': હાનિયા આમિરે PM મોદીને કરી અપીલ! ભારતમાં પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ્સ પર લાગી રોક

'પાકિસ્તાની સેના સામે કાર્યવાહી કરો અમારા વિરુદ્ધ નહિ':હાનિયા આમિરે PM મોદીને કરી અપીલ! ભારતમાં પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ્સ પર લાગી રોક
Email :

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. બંને દેશો વચ્ચે તણાવની પરિસ્થિતિ છે. ગઈકાલે ઘણા પાકિસ્તાની સેલેબ્સના ​​​​​​ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, સોશિયલ મીડિયા પર હાનિયા આમિર (પાકિસ્તાની એક્ટ્રેસ)ની એક કથિત પોસ્ટ સામે આવી છે. જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ટીકા કરવામાં આવી છે. જોકે, ઘણા યુઝર્સે કહ્યું છે કે- તે ફેક પોસ્ટ છે. હાનિયા આમીરે PM મોદીને

અપીલ કરી! હાનિયા આમીરની કથિત ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, ફક્ત આર્મી જનરલ અસીમ મુનીરની કાશ્મીરમાં કાર્યવાહીને કારણે, ભારતમાં સમગ્ર પાકિસ્તાની એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. પોસ્ટના બીજા ભાગમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું કે, હું ભારતના વડાપ્રધાનને આદરપૂર્વક વિનંતી કરું છું, અમે પાકિસ્તાનના સામાન્ય લોકોએ ભારત સાથે કંઈ ખોટું કર્યું નથી. પહેલગામ આતંકી હુમલા પાછળ

પાકિસ્તાની સેના અને ઇસ્લામિક આતંકવાદીઓનો હાથ છે. તો તમે સામાન્ય પાકિસ્તાનીઓને શા માટે સજા આપી રહ્યા છો? કૃપા કરીને પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરો, નિર્દોષ નાગરિકો સામે નહીં. યુઝર્સે કહ્યું- આ નકલી પોસ્ટ છે રેડિટ અને એક્સ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું) પર સ્ક્રીનશોટ વાઈરલ થયા પછી તરત જ, યુઝર્સે તેની સત્યતા પર સવાલ ઊઠાવવાનું શરૂ કર્યું. એકે કોમેન્ટમાં લખ્યું, આ નકલી છે. બીજા યુઝરે કહ્યું- આ સ્ક્રિનશોટને રિયલ માનવા માટે

તમારે ગંભીર રૂપથી ભ્રમિત થવું પડશે, કૃપા કરીને પોતાને શરમાવવાનું બંધ કરો. જો આ પોસ્ટ સાચી છે કે ખોટી તે અંગે હજુ સુધી કોઈ પૃષ્ટિ થઈ નથી. ભારતે કરેલી કાર્યવાહી પછી, પાકિસ્તાની સેલિબ્રિટીઝના એકાઉન્ટમાં લખેલું આવે છે કે- આ એકાઉન્ટ ભારતમાં એક્ટિવ નથી. લીગલ રિક્વેસ્ટના કારણે કન્ટેન્ટ રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રતિબંધિત કરાયેલા પાકિસ્તાની સેલેબ્સના નામોમાં માહિરા ખાન, હાનિયા આમિર, અલી ઝફર, માયા અલી, આયેઝા ખાન, સજલ અલી, ઇકરા અઝીઝ, સનમ સઈદનો

સમાવેશ થાય છે. માહિરા ખાન, અલી ઝફર, સજલ અલી બોલિવૂડમાં કામ કરી ચૂક્યા છે. સજલ અલીએ ફિલ્મ મોમમાં શ્રીદેવીની પુત્રીનો રોલ ભજવ્યો હતો. નવાઈની વાત એ છે કે ઘણા પાકિસ્તાની ટીવી કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પાકિસ્તાનના સૌથી લોકપ્રિય એક્ટર ફવાદ ખાનનું એકાઉન્ટ હજુ પણ ભારતીય વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે ફવાદ ખાન તેની બોલિવૂડ કમબેક ફિલ્મ 'અબીર ગુલાલ'ને કારણે લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલો હતો. ફવાદ ખાન ઉપરાંત, 'સનમ તેરી કસમ'

સ્ટાર માવરા હોકેને, 'હિન્દી મીડિયમ' પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર, યુમના ઝૈદી, મહવિશ હયાત, એક્ટર વહાજ અલી અને ઉરવા હોકનેના એકાઉન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. હવે ભારતીયો પાકિસ્તાની શો પણ જોઈ શકશે નહીં ગૃહ મંત્રાલયના આદેશ પર, ભારતમાં ઘણી પાકિસ્તાની યુટ્યૂબ ચેનલોને પણ બ્લોક કરવામાં આવી છે. આમાં ARY ડિજિટલ અને હમ ટીવીની યુટ્યૂબ ચેનલો પણ સામેલ છે, જે ભારતીય વપરાશકર્તાઓ માટે પાકિસ્તાની શોનો સ્ત્રોત હતા. ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યૂબ

ચેનલો પર પ્રતિબંધ મૂક્યો ગૃહ મંત્રાલયની ભલામણ પર, ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચેનલો પર ભારત, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક અને ભ્રામક સમાચાર ફેલાવવાનો આરોપ છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ 2016 માં ઉરી હુમલા પછી, બધા પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જ કારણ હતું કે માહિરા ખાન અને ફવાદ ખાન જેવા કલાકારોને ઘણી ભારતીય

ફિલ્મો છોડવી પડી. વર્ષ 2023માં, બોમ્બે હાઈકોર્ટે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધી હતી, એમ કહીને કે રાજકીય તણાવને કારણે કલાકારોને સજા કરી શકાતી નથી. આ જ કારણ હતું કે પાકિસ્તાની કલાકારોને ફરીથી હિન્દી સિનેમામાં કામ મળવા લાગ્યું. હાનિયા આમિરને દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ 'સરદાર 3'માં કામ મળ્યું, જ્યારે ફવાદ ખાન ફિલ્મ 'અબીર ગુલાલ'થી બોલિવૂડમાં કમબેક કરવાનો હતો. જોકે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ફરી એકવાર પ્રતિબંધ મૂકવામાં

આવ્યો છે. FWICE (ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝ) એ તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ભારતીય પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવશે. ઉપરાંત, પાકિસ્તાની કલાકારો સાથે કામ કરનારા કોઈપણને ભારતીય ઉદ્યોગમાંથી પ્રતિબંધિત કરવામાં આવશે. વિવાદો વચ્ચે, ફવાદ ખાનની ફિલ્મ 'અબીર ગુલાલ' હવે ભારતમાં રિલીઝ થશે નહીં. દરમિયાન, ફિલ્મ 'સરદાર 3' માંથી હાનિયા આમિરને પણ બદલવામાં આવશે.

Leave a Reply

Related Post