'થોડી શરમ કરો, જતી જિંદગીએ આ શબ્દો શોભતા નથી': પહેલગામ હુમલા પર જાવેદ અખ્તરના નિવેદનથી પાકિસ્તાની એક્ટ્રેસ બુશરા અંસારીને માઠું લાગ્યું

'થોડી શરમ કરો, જતી જિંદગીએ આ શબ્દો શોભતા નથી':પહેલગામ હુમલા પર જાવેદ અખ્તરના નિવેદનથી પાકિસ્તાની એક્ટ્રેસ બુશરા અંસારીને માઠું લાગ્યું
Email :

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. આ હુમલા બાદ જાવેદ અખ્તરે પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે- સમય આવી ગયો છે કે ભારત સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે. હવે પાકિસ્તાની એક્ટ્રેસ બુશરા અંસારી આ નિવેદન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. પાકિસ્તાની એક્ટ્રેસે જાવેદ અખ્તરને ટોણો માર્યો પાકિસ્તાની એક્ટ્રેસ બુશરા અંસારીએ જાવેદ અખ્તરને ચૂપ રહેવાની સલાહ આપી છે. તેમનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે જાવેદ અખ્તરના નિવેદન પર

રોષ વ્યક્ત કર્યો છે. પાક. એક્ટ્રેસે નામ લીધા વગર ગુસ્સે થતાં કહ્યું કે- 'તેમને તો માત્ર એક બહાનાની જરૂર હતી. એ લેખક (જાવેદ અખ્તર)ને તો મુંબઈમાં ભાડાનું ઘર પણ નથી મળી શક્યું. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તે ગમે તેટલું કહી શકે છે. મને ખબર નથી કે તેણે શું કહ્યું છે પણ થોડી શરમ કરો મરવા માટે ફક્ત બે કલાક બાકી છે અને તે ઉપરાંત તમે આટલી બધી બકવાસ વાતો કરી રહ્યા છો. બુશરા અન્સારીએ આગળ કહ્યું

કે, કોઈ આટલું ડરેલું અને આટલું લોભી કેમ હોઈ શકે? બસ હવે, તમે ચૂપ થઈ જાવ. નસીરુદ્દીન શાહ પણ ત્યાં જ છે, તેઓ શાંતિથી બેઠા છે ને! બીજા બધા પણ શાંતિથી બેઠા છે. જે કંઈ પણ વ્યક્તિના મનમાં હોય, તેને મનમાં જ રાખવું જોઈએ. બુશરાએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે- તે તાજેતરમાં કેટલીક ભારતીય છોકરીઓને મળી હતી. તે છોકરીઓએ તેની સાથે સારો વ્યવહાર કર્યો હતો. ભારતીયો ખરાબ નથી, તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. જાવેદ અખ્તરે

દિલ્હીમાં FICCI ના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન, જ્યારે તેમને પહેલગામ હુમલા વિશે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે પાકિસ્તાન દ્વારા આવા હુમલાઓનો વારંવાર ઇનકાર કરવા પર કડક પ્રતિક્રિયા આપી. જાવેદ અખ્તરે કહ્યું, 'આતંકવાદીઓ ક્યાંથી આવે છે?' આ લોકો જર્મનીથી નથી આવતા. આપણે તેમની સીમાઓથી બંધાયેલા છીએ અને આને અવગણી શકાય નહીં. પહેલગામની ઘટના એક વળાંક હોવી જોઈએ. જ્યારે આવી ઘટનાઓ વારંવાર બને છે, ત્યારે તણાવ અનિવાર્ય છે. લગભગ દર થોડા દિવસે કે દર વર્ષે

આવી કોઈને કોઈ દુ:ખદ ઘટના પ્રકાશમાં આવે છે. જાવેદ અખ્તરે કહ્યું કે ભારતમાં ગમે તે પક્ષ સત્તામાં રહ્યો હોય, પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ, દરેકનો હેતુ હંમેશા શાંતિ સ્થાપિત કરવાનો રહ્યો છે. અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે વાજપેયીજી પોતે પાકિસ્તાન ગયા હતા અને મિત્રતાનો હાથ લંબાવ્યો હતો. પણ બદલામાં પાકિસ્તાને શું કર્યું? તેઓએ તે જમીનને ધોઈ નાખી જ્યાં આપણા વડાપ્રધાને પગ મૂક્યો હતો. શું આને મિત્રતા કહેવાય? જાવેદ અખ્તરે વધુમાં કહ્યું કે જ્યારે

પાકિસ્તાને કારગિલ યુદ્ધ દરમિયાન પોતાના જ સૈનિકોના મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તેની સાથે વાતચીત કેવી રીતે શક્ય છે. તેમણે એમ પણ કહ્યું કે આજે પણ જમ્મુ અને કાશ્મીરના 99 ટકા લોકો ભારત પ્રત્યે વફાદાર છે. ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ તમામ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફવાદ ખાનની બોલિવૂડની કમબેક ફિલ્મ 'અબીર ગુલાલ'ને રોકી દેવામાં આવી છે, જ્યારે હાનિયા આમિરને દિલજીત દોસાંજની ફિલ્મ 'સરદાર 3'માંથી હટાવી દેવામાં આવી છે.

Leave a Reply

Related Post