કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો: ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેક આઉટ

કચ્છ પર પાકિસ્તાનનો ડ્રોન હુમલો:ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેક આઉટ
Email :

‘ઓપરેશન સિંદૂર’ને પગલે પાક.ના સંભવિત હુમલાની આશંકાથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી વિસ્તારો તથા દરિયાઈ સીમાઓ પર હાઇએલર્ટ: પાકિસ્તાનથી આવતા કોઈપણ હુમલાને ખાળવા માટે ભારતીય સૈન્યની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સજ્જ આ અવાજ દોઢેક કલાક સુધી આવ્યો પછી સવારે છ વાગ્યે સરહદે પ્રચંડ વિસ્ફોટ થયો, સુરક્ષાતંત્ર પણ આ ધડાકો શેનો થયો તેની પુચ્છા કરતું હતું પછી ખબર પડી કે એ ડ્રોન સરહદ પર એક વીજ ટાવર સાથે ટકરાયું અને તૂટી પડ્યું તેનો અવાજ હતો, સ્થાનિક પોલીસે ડ્રોનનો કાટમાળ વાયુદળના હવાલે કર્યો હતો. ગોળી મારી દેવાશે... ભુજ અને નલિયા એમ બે સ્થળે એરફોર્સ મથકેથી દર બે ત્રણ કલાકે ફાઇટર વિમાનોની ઘરઘરાટી સંભળાય

છે, ભુજનું મથક અલાયદું છે ત્યાં આસપાસ વસ્તી નથી એવું જ નલિયાનું છે. ફેન્સીંગ અને પાકી દિવાલો પર સાફ લખેલું છે, ‘ઘૂસનારને ગોળી મારી દેવાશે.’ વાયુસેનાની એરસ્ટ્રીપ પર સઘન સુરક્ષા છે. 1965માં મુખ્યમંત્રી શહીદ... પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરને આજથી દર્શન માટે બંધ કરાયું છે. 1965માં અહીં બીએસએફનું એક હેલિકોપ્ટર પાકિસ્તાને તોડી પાડ્યું હતું. 1965ના યુદ્ધમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી બલવંતરાય મહેતાનું વિમાન કચ્છના અબડાસા તાલુકાના સુથરી નજીક પાકિસ્તાને તોડી પાડ્યું હતું અને તેમની સાથે અન્ય સાતેક જણ શહીદ થયા હતા. ગોળી મારી દેવાશે... ભુજ અને નલિયા એમ બે સ્થળે એરફોર્સ મથકેથી દર બે ત્રણ કલાકે ફાઇટર વિમાનોની ઘરઘરાટી સંભળાય છે, ભુજનું

મથક અલાયદું છે ત્યાં આસપાસ વસ્તી નથી એવું જ નલિયાનું છે. ફેન્સીંગ અને પાકી દિવાલો પર સાફ લખેલું છે, ‘ઘૂસનારને ગોળી મારી દેવાશે.’ વાયુસેનાની એરસ્ટ્રીપ પર સઘન સુરક્ષા છે. ભારતીય સેનાએ બોર્ડર પર રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને તૈનાત કરી રાખી છે, જેવો જ કોઈ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો આ સિસ્ટમને એક્ટિવ કરી દેવામાં આવી હતી.પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા હતા. કંડલા-મુંન્દ્રા જેવા મહાબંદરો ધરાવતું કચ્છ પાકિસ્તાન સામેના 1965, 1971 અને 1999 એમ ત્રણ યુદ્ધનું સાક્ષી છે, દરિયા અને રણ માર્ગેથી પડોશી દેશ

સાથે સંકળાયેલા આ જિલ્લાના લોકોને આ યુદ્ધનો કોઇ ભય નથી, ઉત્તરીય કચ્છના હિન્દુ વસ્તીવાળા અંતિમ એવા કુરન ગામના પૂર્વ સરપંચ ઝાલુભા સોઢા કહે છે ભૂકંપ, દુકાળ, સુનામી, કોરોનાને પહોંચી વળ્યા તો આ ભુખેમરતો દેશ શું નુકસાન કરશે? નડાબેટ મંદિરના દર્શન કરી શકાશે, પણ ઝીરો લાઈન સુધી જવા પર પ્રતિબંધ નડાબેટ મંદિરના દર્શન હાલમાં કરવામાં આવી રહ્યા છે પરંતુ ઝીરો લાઈન સુધી જવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. ન્યુ ગુજરાત બોર્ડરના છેલ્લા જલોયા ગામ પહોંચ્યું જ્યાં ગામ લોકોએ જણાવ્યું કે હવે તો અમને હથિયાર આપો તો અમે લડી લઈએ તેવો જુસ્સો છે. આ બોર્ડર વિસ્તારનું ગામ છોડવાના નથી છેલ્લા શ્વાસ

શોધી લડી લેવાના છીએ. સોમનાથ મંદિરે સ્ટ્રેટેજિક પોઇન્ટ પર સુરક્ષામાં વધારો, બોમ્બ સ્ક્વોર્ડ તૈનાત જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર અને ગીર સોમનાથની દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોમનાથના સ્ટ્રેટેજિક પોઇન્ટ પણ વધી પીઆઈ અને પીએસઆઇની નિમણૂંક કરવામાં આવી છે તથા કંટ્રોલ રૂમ ખાતે પણ નવા અધિકારીઓની શિફ્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી છે. સોમનાથ મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવે છે ત્યારે ત્રીસ્તરીય સુરક્ષા પહેલેથી જ અહીં અમલમાં છે. સાથોસાથ બોમ્બ અને ડોગ સ્કવૉડ પણ તહેનાત છે 500 જેટલી બોટ પરત બોલાવી લેવાઈ, આગામી સુચના સુધી માછીમારી બંધ કચ્છની ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે તણાવભરી પરિસ્થિતિને લઈને માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે.

કચ્છના સરહદી વિસ્તારમાં આવેલ નારાયણ સરોવર, જખૌ અને લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.આગામી આદેશ ન મળે ત્યાં સુધી માછીમારી પ્રવૃત્તિ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે સેનાએ મોરચો સંભાળ્યો ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પાકિસ્તાનની નાપાક નજર હર ઘડી દ્વારકા ઉપર રહી છે. ત્યારે દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દ્વારકા દરિયા કિનારે ભારતીય ફોજે મોરચો સંભાળી લીધેલ છે. દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી નાખી છે. દ્વારકા સાથે ઓખામાં પણ આવેલસુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.

Leave a Reply

Related Post