palmistry : જેમની હથેળીમાં હોય આ નિશાન જરૂર બની જાય ધનવાન

palmistry : જેમની હથેળીમાં હોય આ નિશાન જરૂર બની જાય ધનવાન
Email :

દરેક વ્યક્તિને સફળ થવુ હોય છે દરેકને કિસ્મતનો સાથ મળે તેવુ જરૂરી નથી કેટલાક લોકો ખુબ મહેનત કરે તો પણ માંડ બે ટંકનું ભોજન ખરીદી શકે તેટલી કમાણી થતી હોય છે તો કેટલાક લોકો પાસે એટલા પૈસા હોય છે કે તેનો ક્યાં ઉપયોગ કરવો તેની તેને ખબર નથી પડતી. જો કે આપણે ત્યાં મહેનતની સાથે કિસ્મતને પણ એટલું જ મહત્વનું માનવામાં આવે છે.

હસ્તરેખા પરથી જાણી શકાય કે તમે જીવનમાં ખુબ સફળ થશો

હસ્તરેખા પરથી જાણી શકાય કે તમે જીવનમાં ખુબ સફળ થશો અને સંપત્તિમાં આળોટશો. હસ્તરેખા પરથી જાણી શકાય કે કેટલાક જાતકો ખુબ ધનવાન બનશે. આઓ આજે જાણીએ હાથમાં દર્શાવેલી એવીકઇ રેખા છે જે તમને ખુબ નશીબદાર બનાવશે.

મસ્તિષ્ક રેખા જે ભાગ્ય તરફ કરે સંકેત

જો તમારી હથેળીમાં હૃદય રેખાની પાસે મસ્તિષ્ક રેખા વચ્ચે ક્રોસની નિશાની હોય તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. આને મિસ્ટિક ક્રોસ કહેવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે તેઓ ખુબ ભાગ્યશાળી, આધ્યાત્મિક અને વિશેષ બુદ્ધિના માલીક હોય છે. આ લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં સમાધાન મેળવી લેતા હોય છે. સમયની સાથે તેમની કિસ્મત ચમકવા લાગે છે.

હથેળીની ટચલી આંગળી છે ખાસ

હથેળીની સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળીને હસ્તરેખામાં મરકરી ફિંગર કહેવામાં આવે છે. આ આંગળી બુદ્ધિ, તર્ક, વેપાર, સંવાદનું પ્રતિક છે. હસ્તરેખા અનુસાર કનિષ્ઠા આંગળી લાંબી હોય હથેળીની ઉપર સુધી પહોંચતી હોય અને પાતળી રેખા બનાવતી હોય તો આ જાતકો ખુબ લકી હોય છે તેમને જીવનમાં ક્યારેય તકલીફ થતી નથી. જીવનમાં તેઓ દરેક કાર્યમાં સફળ થાય છે. તેઓ દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી લે તેવા પાવરધા હોય છે.

Leave a Reply

Related Post