વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી: હિંમતનગરમાં મેવાડા સુથાર સમાજ દ્વારા પંચકુંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન

વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી:હિંમતનગરમાં મેવાડા સુથાર સમાજ દ્વારા પંચકુંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન
Email :

હિંમતનગરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શ્રી મેવાડા સુથાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સન્માનપાર્ક સ્થિત વિશ્વકર્મા સદન ખાતે પંચકુંડી યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યજમાનોના નેતૃત્વમાં યજ્ઞનો પ્રારંભ થયો હતો. વિશ્વકર્મા સદન ખાતેથી

વિશ્વકર્મા દાદાની ફોટો પ્રતિમાને લાકડાની પાલખીમાં પૂજન-અર્ચન સાથે બિરાજમાન કરવામાં આવી હતી. શોભાયાત્રા છાપરિયા વિશ્વકર્મા સર્કલથી શરૂ થઈ મહાવીરનગર ચાર રસ્તા સુધી પહોંચી હતી. ત્યાંથી પંચદેવ મંદિરે દર્શન કરી, ખેડતસીયા રોડ પરના વિશ્વકર્મા સદન ખાતે પરત ફરી

હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં યજ્ઞ પૂર્ણાહુતિ, આરતી અને થાળનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો અને સમાજના વિકાસમાં યોગદાન આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related Post