65 વર્ષ જૂની લાયબ્રેરીના બાથરૂમના છતનો ભાગ ધરાશાયી: મણિનગરમાં AMCની લાયબ્રેરીમાં વાંચવા આવેલા નાગરિકોમાં દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

65 વર્ષ જૂની લાયબ્રેરીના બાથરૂમના છતનો ભાગ ધરાશાયી:મણિનગરમાં AMCની લાયબ્રેરીમાં વાંચવા આવેલા નાગરિકોમાં દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં
Email :

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મણિનગરના રામબાગ પાસે આવેલી AMC સંચાલિત લાયબ્રેરીની છતનો એક ભાગ તૂટી પડતાં લોકોમાં દોડધામ મચી હતી. લાયબ્રેરીમાં વાંચવા આવેલા તમામ લોકો દોડી અને બહાર જતા રહ્યા હતા. લગભગ 65 વર્ષ જૂની આ લાઇબ્રેરી થઈ ગઈ છે અને કોર્પોરેશન દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે આજે આ ઘટના બની હતી. સદનસીબે બાથરૂમના ભાગમાં છતનો ભાગ ધરાશાયી થયો હતો જેથી કોઈ જાનહાની થઈ નથી. લાઇબ્રેરીમાં

વાંચવા આવનારા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આશરે 65 વર્ષ આ જૂની કોર્પોરેશનની લાઇબ્રેરી છે અને તેનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હોવાથી સમારકામ માંગી રહ્યું છે. લાયબ્રેરીના બે માળના બિલ્ડિંગમાં અનેક જોખમી તિરાડો પડી ચુકી છે. અને ધાબા પરની પેરાફિટ પડુ પડુ થઈ રહી હોય તેમ ગમે ત્યારે તે ધરાશયી થાય તેવી ભીતિ સેવાઇ રહ્યી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની મણિનગર ઝોનલ કચેરી આ મ્યુનિસિપલ સંચાલિત લાયબ્રેરીના

નીચે ચાલે છે. રોજના અનેક રેશનકાર્ડ ધારકો હાલમાં eKYC સહિતના બારકોડ રેશનકાર્ડમાં સુધારા વધારા માટે આવી રહ્યા છે, ત્યારે જ આજે સવારે બીજા માળના ધાબાની છતનો ભાગ નીચે પડ્યો હતો. હજુ ચાર દિવસ પહેલા આ જર્જરીત બની ચુકેલી આ બિલ્ડિંગના સમારકામ માટે સંબંધિત વિભાગને પત્ર લખી સત્તાવાર જાણ કરી હતી. જોકે ચાર દિવસ બાદ પણ મ્યુનિસિપલ તંત્રમાંથી કોઈ જોવા સુદ્ધા ના આવતા નાગરિકો માથે સંભવિત જોખમ ઊભું થયું છે.

Leave a Reply

Related Post