પાર્થો ઘોષના અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સ્ટાર્સ 'ઘેરહાજર'!: સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ, યૂઝર્સે રોષ ઠાલવ્યો- 'ફિલ્મી દુનિયા સ્વાર્થી લોકોનો અડ્ડો છે'

પાર્થો ઘોષના અંતિમ સંસ્કારમાં બોલિવૂડ સ્ટાર્સ 'ઘેરહાજર'!:સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ, યૂઝર્સે રોષ ઠાલવ્યો- 'ફિલ્મી દુનિયા સ્વાર્થી લોકોનો અડ્ડો છે'
Email :

બોલિવૂડના પ્રખ્યાત ડિરેક્ટર પાર્થો ઘોષના અવસાન પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો પાર્થો ઘોષના અંતિમ સંસ્કાર સાથે સંબંધિત છે. વીડિયોમાં, એક વ્યક્તિ કહી રહ્યો છે, 'ફિલ્મી બોલિવૂડની વાસ્તવિકતા જુઓ. આ પાર્થો ઘોષના અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે. એ જ પાર્થો ઘોષ, જે કહેતા હતા - લાઈટ, કેમેરા, એક્શન! જેકી શ્રોફ, નાના પાટેકર, શ્રીદેવી, મિથુન જેવા

ડઝનબંધ કલાકારો તેમના લાઈટ, કેમેરા, એક્શનથી પોતાનું નાટક શરૂ કરતાં હતાં. વાહ રે સમાજ સેવક! વાહ રે રાઇટર અસોસિએશન! વાહ રે ફિલ્મી દુનિયા! સોશિયલ મીડિયા પર યૂઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને ફરી એકવાર બોલિવૂડ પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે, પાર્થો ઘોષનું 75 વર્ષની વયે સોમવારે હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું. પાર્થો ઘોષે 90ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. પાર્થો

ઘોષે ત્રણ દાયકા સુધી હિન્દી અને બંગાળી સિનેમામાં કામ કર્યું. તેમને એક એવા ડિરેક્ટર માનવામાં આવતા હતા, જેમણે પોતાની ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓને સુંદર રીતે રજૂ કર્યા હતા. કરિયરની શરૂઆત અને હિટ ફિલ્મો પાર્થો ઘોષે 1985માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. 1991માં આવેલી ફિલ્મ '100 ડેઝ'થી તેમને ડિરેક્ટર તરીકે મોટો બ્રેક મળ્યો. આ ફિલ્મ તમિલ ફિલ્મ 'નૂરવથુ નાલ'ની રિમેક હતી. માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ

અભિનીત ફિલ્મ '100 ડેઝ' (1991) સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી, પાર્થો ઘોષની ફિલ્મ 'દલાલ' (1993) મિથુન ચક્રવર્તી સાથે આવી અને તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક હતી. 'તીસરા કૌન?' (1994) પણ હિટ રહી. આ મલયાલમ ફિલ્મ 'નંબર 20 મદ્રાસ મેઇલ'ની હિન્દી રિમેક હતી. આ ઉપરાંત, તેઓ 'અગ્નિ સાક્ષી' (1996), 'ગુલામ-એ-મુસ્તફા' (1997) અને 'યુગપુરુષ' (1998) જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. પાર્થો ઘોષની ફિલ્મ

'અગ્નિ સાક્ષી' ઘરેલુ હિંસા જેવા સંવેદનશીલ વિષય પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. તેમાં મનીષા કોઈરાલા, જેકી શ્રોફ અને નાના પાટેકરે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મ માત્ર હિટ જ નહોતી પરંતુ તે વર્ષે ભારત વતી ઓસ્કારમાં પણ મોકલવામાં આવી હતી. ફિલ્મ 'અગ્નિ સાક્ષી' માટે તેમને બેસ્ટ ડિરેક્ટર શ્રેણીમાં ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. પાર્થો ઘોષ પછીના વર્ષોમાં પણ સક્રિય રહ્યા વર્ષ 2010માં, પાર્થો

ઘોષે 'એક સેકન્ડ... જો ઝિંદગી બાદલ દે?' અને 'રહેમત અલી' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. 2018માં, તેણે 'મૌસમ ઇકરાર કે દો પલ પ્યાર કે' સાથે વાપસી કરી. આ રોમેન્ટિક ફિલ્મમાં મદાલસા શર્મા અને અવિનાશ વાધવન મુખ્ય ભૂમિકામાં હતા. પાર્થો ઘોષે બંગાળી સિનેમા અને ટીવીમાં પણ કામ કર્યું હતું પાર્થો ઘોષે ઘણી બંગાળી ફિલ્મો અને ટીવી સિરિયલો પણ બનાવી. તેમણે બંગાળી એક્ટ્રેસ ઋતુપર્ણા સેનગુપ્તાને હિન્દી સિનેમામાં લોન્ચ કર્યાં.

Leave a Reply

Related Post