સરહદી ગામના લોકોમાં ​​​​​​​દેશભક્તિનો જુસ્સો: અઠવાડિયા પહેલાં રણમાં BSFનું ફૂટ પેટ્રોલિંગ શરૂ, બનાસકાંઠાની 85 કિલોમીટર સરહદ સાથે જોડાયેલા 24 ગામોમાં શાંતિપૂર્ણ માહોલ

સરહદી ગામના લોકોમાં ​​​​​​​દેશભક્તિનો જુસ્સો:અઠવાડિયા પહેલાં રણમાં BSFનું ફૂટ પેટ્રોલિંગ શરૂ, બનાસકાંઠાની 85 કિલોમીટર સરહદ સાથે જોડાયેલા 24 ગામોમાં શાંતિપૂર્ણ માહોલ
Email :

શાયર રાવલ ભારત સરકારના ઓપરેશન ‘સિંદૂર’ને કારણે ઉશ્કેરાયેલા પાકિસ્તાને ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં છૂટાછવાયા હૂમલાઓ શરૂ કર્યા છે. જેના પરિણામે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત જેવા સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. સરકાર દ્વારા બનાસકાંઠાના નડાબેટથી આગળ જનારા માર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ન્યુ ગુજરાતની ટીમે બનાસકાંઠાની 85 કિ.મી. લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા 24 ગામોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. મહત્વની માહિતી મળ્યા અનુસાર, અઠવાડિયા પહેલા બીએસએફ દ્વારા રણ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં

આવ્યું હતું. સુરક્ષાને ધ્યાને રાખી સુઈગામ તાલુકામાં બીએસએફ ઈમરજન્સી હોસ્પિટલ શરૂ કરી શકે છે. શુક્રવાર સવારે 7 વાગે ન્યુ ગુજરાતની ટીમ વાવ પહોંચેલી અને ત્યાંથી રાજસ્થાન સરહદને અડીને બનાસકાંઠાના વાવ તાલુકાના માવસરી ગામની મુલાકાત લીધી હતી. આશરે 4 હજારની વસ્તી ધરાવતું આ ગામ પૂરું થયા બાદ આશરે 30 કિ.મી.નું રણવિસ્તાર છે, ત્યારબાદ તરત જ પાકિસ્તાની સરહદ શરૂ થાય છે. માવસરીના સરપંચે જણાવ્યું હતું કે ગુરુવારે મોડી સાંજે પાકિસ્તાને અન્ય રાજ્યોની સરહદો પર હુમલાઓ કર્યા હતા. તેના

પરિણામે તંત્ર દ્વારા સરહદી ગામોમાં બ્લેકઆઉટ કરવાની સૂચના અપાઈ હતી. હાલ કોઇ ગંભીર સ્થિતિ નથી છતાં નાગરિકોને પોતાનો કિંમતી સામાન એકત્ર રાખવા સૂચવાયું છે. સાથે જ, પરિસ્થિતિ વણસે તો તાત્કાલિક સ્થળાંતર માટે વાહનોની યાદી તૈયાર કરાઈ છે. તંત્ર દ્વારા તમામ ગામોમાં સમાન સૂચનાઓ આપી દેવામાં આવી છે. ન્યુ ગુજરાતની ટીમે વાવ તાલુકાના રાઘાનેસડા, કુંડાળીયા, લોદ્રાણી, રાછેણા, ચોથરનેસડા, ચતરપુરા, ચંદનગઢ, બરડવી, અસારાવાસ અને અસારાગામ સહિતના ગામોની મુલાકાત લીધી હતી. બનાસકાંઠાના નડાબેટ ગામથી આશરે 23 કિ.મી. દૂર ભારત-પાકિસ્તાન ઇન્ટરનેશનલ

બોર્ડરનું ઝીરો લાઈન છે. નડાબેટ સુધી પહોંચેલી ન્યુ ગુજરાતની ટીમે જાણ્યું કે, હાલમાં પરિસ્થિતિ બીએસએફના સંપુર્ણ નિયંત્રણમાં છે. સુઈગામ તાલુકાના પાડણ, ભરડવા, માઘપુરા, રડોસણ, જલોયા, મસાલી, દુદોસણ અને બોરૂ ગામોમાં શાંતિપૂર્ણ માહોલ છે. અહીંના નાગરિકોએ બીએસએફ અને આર્મીને દરેક રીતે સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. લીમડાબેટથી પાકિસ્તાનના ડુંગરો નજીક દેખાય છે { લીમડાબેટથી પાકિસ્તાનના છાછરા અને સિંધપારકર વિસ્તારમાં આવેલા મોળાવા ડુંગરો નજીક દેખાય છે. અહીંથી પાકિસ્તાનની સરહદ માત્ર 16 કિ.મી. દૂર છે. આ વિસ્તાર રણપ્રદેશ

જેવો છે અને વરસાદથી કાદવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અહીં એક પ્રાચીન સતીમાતાનું મંદિર પણ આવેલું છે. 2002 પહેલા ભારતના સૈનિકોની ટૂકડી અહીં તૈનાત રહેતી હતી. ગામના લોકોને સ્કૂલોમાં આશરો આપવા તૈયારી { યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો સરહદે આવેલા 24 ગામના નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે આયોજન કરાયું છે. હાલ વેકેશન હોવાથી સ્કૂલો ખાલી છે, ત્યાં લોકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા સ્ટેન્ડબાય પર છે. ઉપરાંત નાગરિકોને ખસેડવા માટે વાહનોની વ્યવસ્થાઓ પણ પૂરી પાડવામાં

આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ C.H.C. અને P.H.C. પર જરૂરી દવાઓ અને ફર્સ્ટએડ કિટના પૂરતા સ્ટોક રાખવાનો આદેશ છે. તંત્રની સૂચના ગામે ગામ પહોંચાડવા યુવાનોની ટીમ { કુંડાળીયાના 15 યુવાનોનું ગ્રુપ સતત બીએસએફની સહાયમાં છે. તેઓ ગામલોકોના સંપર્કમાં રહી તંત્રની સૂચનાઓનું પાલન કરાવે છે. સરહદે કોઈપણ હલનચલન હોય તો તેની મોનીટરીંગ કરે છે. રાતે 4-4 કલાકની વોચ માટે શિફ્ટ પણ બનાવેલી છે. સ્થાનિક રહિશ ખોડાભાઈએ કહ્યું કે, બીએસએફ અને વહિવટી તંત્ર માટે હંમેશા ખડેપગે છીએ.

Leave a Reply

Related Post