પીએમ મોદીએ 'WAVES 2025'નું ઉદ્ઘાટન કર્યું: શાહરુખ, અક્ષય, રણવીર-આલિયા સહિત ઘણા સ્ટાર્સે કાર્યક્રમમાં હાજરી આપી, અનુપમ ખેરે ઐતિહાસિક ક્ષણ ગણાવી

પીએમ મોદીએ 'WAVES 2025'નું ઉદ્ઘાટન કર્યું:શાહરુખ, અક્ષય, રણવીર-આલિયા સહિત ઘણા સ્ટાર્સે કાર્યક્રમમાં હાજરી આપી, અનુપમ ખેરે ઐતિહાસિક ક્ષણ ગણાવી
Email :

'WAVES 2025' કોન્ફરન્સનું આયોજન વૈશ્વિક સ્તરે ભારતના મીડિયા અને મનોરંજન ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. આ ચાર દિવસીય કાર્યક્રમ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિટમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં શાહરૂખ ખાન, અનુપમ

ખેર, આમિર ખાન અને રણબીર કપૂર જેવા નામોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ મુંબઈમાં WAVES 2025- વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટને સંબોધન કરતા કહ્યું, આજે 1 મે છે. 112 વર્ષ પહેલાં 3 મે 1913ના રોજ, ભારતમાં પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થઈ હતી. તેના નિર્માતા દાદાસાહેબ ફાળકેજી હતા અને ગઈકાલે તેમની

જન્મજયંતિ હતી. છેલ્લી સદીમાં, ભારતીય સિનેમા ભારતને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવામાં સફળ રહ્યું છે. દરેક કહાની ભારતીય સંસ્કૃતિનો અવાજ બની છે અને વિશ્વભરના લાખો લોકોના દિલ સુધી પહોંચી છે. અનુપમ ખેરે 'WAVES 2025'ને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી આ કોન્ફરન્સમાં પીઢ એક્ટર અનુપમ ખેરે હાજરી આપી હતી. આ દરમિયાન તેણે કહ્યું, 'સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ભારત માટે

આ એક ઐતિહાસિક ક્ષણ છે.' સિંગર શાને ખુશી વ્યક્ત કરી સિંગર શાને કહ્યું- 'હું આ સમિટ માટે રોમાંચિત અને ઉત્સાહિત છું. આજે, વિવિધ રાજ્યોમાંથી કલાકારો, કન્ટેન્ટ ક્રિએટર અને સિંગર અહીં આવ્યા છે. જેકી શ્રોફે પહેલગામ હુમલા પર કરી વાત જેકી શ્રોફે કહ્યું, 'આ દુનિયા માટે એક સાથે આવવાની એક શ્રેષ્ઠ તક છે. તેનું પ્લાનિંગ પીએમ

મોદી કરી રહ્યા છે. ભારતમાં પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પ્રતિબંધ અંગે જેકીએ કહ્યું, 'હું પહેલગામ આતંકી હુમલાના પીડિતોના પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દરેક વ્યક્તિ આનાથી નાખુશ છે. હું સરકારી નીતિમાં દખલ અને વિવાદ ઊભો કરવા માંગતા નથી. બોલિવૂડ સેલિબ્રિટીઓ સેશનમાં સ્પીકર હશે "લેજેન્ડ્સ એન્ડ લેગેસીઝ: ધ સ્ટોરીઝ ધેટ શેપ્ડ ઈન્ડિયાઝ સોલ" શીર્ષક હેઠળના

પેનલમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, હેમા માલિની, ચિરંજીવી, મોહનલાલ અને મિથુન ચક્રવર્તી જેવા બોલિવૂડના મોટા નામો પેનલમાં સ્પીકર રહેશે. આ સત્રનું સંચાલન અક્ષય કુમાર કરશે. WAVES 2025 ના બાકીના સત્રમાં આમિર ખાન, આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને વિકી કૌશલ જેવા કલાકારો તેમજ એસએસ રાજામૌલી અને એઆર રહેમાન જેવા ટોચના દિગ્દર્શકો અને નિર્માતાઓ ભાગ લેશે.

Leave a Reply

Related Post