Mahakumbh 2025માં તૈનાત પોલીસકર્મીઓને મળશે 1 અઠવાડિયાની રજા, 10,000 રૂપિયા બોનસ:

Mahakumbh 2025માં તૈનાત પોલીસકર્મીઓને મળશે 1 અઠવાડિયાની રજા, 10,000 રૂપિયા બોનસ
Email :

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે મહાકુંભ 2025ના સફળ આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો અને તેમને ખરેખર વૈશ્વિક કાર્યક્રમ ગણાવ્યો છે. વધુમાં CM યોગીએ મહાકુંભમાં તૈનાત પોલીસ કર્મચારીઓની પ્રશંસા કરી અને ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ માટે એક અઠવાડિયાની રજા જાહેર કરી છે.

તૈનાત તમામ પોલીસ અધિકારીઓને 10,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે

જો કે આ રજા અલગ અલગ તબક્કામાં તમામ પોલીસકર્મીઓને આપવામાં આવશે. તેમણે કહ્યું કે ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને કુંભ મેડલ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ઉપરાંત અહીં તૈનાત તમામ પોલીસ અધિકારીઓને 10,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. તેમણે કહ્યું, "હું પોલીસ અધિકારીઓને અભિનંદન આપું છું. પડકાર ખૂબ મોટો હતો, પરંતુ અમે તેને સર્વોચ્ચ શિખર પર લઈ ગયા છીએ. આ કાર્યક્રમમાં સમસ્યા અને ઉકેલના બે રસ્તા હતા, અમે સમસ્યા વિશે વિચાર્યું નહીં પણ ઉકેલ વિશે વિચાર્યું. હું 2700થી 3000 કેમેરાથી દરરોજ નજર રાખતો હતો. દરરોજ 2થી 2.5 કરોડ ભક્તો આવતા હતા અને કૂલ 66 કરોડ લોકો મહાકુંભમાં આવ્યા છે."

વધુ 30,000 પોલીસ કર્મચારીઓની ભરતી કરાશે

તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓની ભરતી પેન્ડિંગ હતી, કોર્ટમાં સ્ટે હતો. તે પછી, પારદર્શક વ્યવસ્થા હેઠળ મેં કોર્ટમાં સોગંદનામું આપીને તેને આગળ ધપાવ્યું. ત્યારબાદ 1 લાખ 56 હજાર પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. અમે 30 હજાર વધુ ભરતી કરવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ કોઈ મંડપમાં આગ લાગી, ત્યારે તેને 10 મિનિટમાં કાબુમાં લઈ લેવામાં આવતી. ડૂબવાથી કોઈ મૃત્યુ કે અકસ્માત થયો નથી. મૌની અમાવસ્યા પર અકસ્માત થયો, બધા ઘાયલો માટે બનાવેલો ગ્રીન કોરિડોર પ્રશંસનીય હતો. અખાડા સહિત દરેક વ્યક્તિ જાણે છે કે ભીડનું સંચાલન કેવી રીતે થાય છે.

28, 29 અને 30 જાન્યુઆરીએ 15 કરોડ લોકો આવ્યા

મુખ્યમંત્રીએ કહ્યું કે ખૂણામાં બેસીને ટિપ્પણી કરવી એ અલગ વાત છે, જે લોકો તેમાં સામેલ છે તેઓ જ આ વિશે કહી શકે છે. ભક્તોએ પોલીસના વર્તનની ચર્ચા કરી. પોલીસકર્મીઓએ દેખાડો ન કર્યો. જ્યારે ભક્તો તેને ધક્કો મારતા અને શાંતિથી વાત કરતા, ત્યારે એ એક બોધપાઠ છે કે પોલીસ પણ મિત્ર હોઈ શકે છે. હું જે અધિકારી સાથે વાત કરતો હતો તે કહેતો કે ત્યાં ખૂબ ભીડ હતી અને હું કેમેરા તરફ જોતા વાત કરતો હતો. 28, 29 અને 30 તારીખે 15 કરોડ લોકો આવ્યા, જ્યારે ક્ષમતા 25 લાખ હતી. જો એક ઘરમાં 5 લોકો રહે છે, 10 કે 100 લોકો આવે છે તો પરિસ્થિતિ શું છે? જ્યારે મેં સંગમમાં ડૂબકી લગાવી, ત્યારે મેં પોલીસનો આભાર માન્યો અને કહ્યું કે ભારતનું સન્માન વધ્યું છે.

Leave a Reply

Related Post