પાકિસ્તાનના ઝંડા રોડ પર લાગતાં વડોદરા પોલીસ દોડતી થઈ: મુખ્ય રોડ પર લગાવેલાં સ્ટિકરો તરત જ હટાવી દેવાયાં; કોણે ચોંટાડ્યાં એ રહસ્ય અકબંધ

પાકિસ્તાનના ઝંડા રોડ પર લાગતાં વડોદરા પોલીસ દોડતી થઈ:મુખ્ય રોડ પર લગાવેલાં સ્ટિકરો તરત જ હટાવી દેવાયાં; કોણે ચોંટાડ્યાં એ રહસ્ય અકબંધ
Email :

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. આ દરમિયાન આજે (29 એપ્રિલ) વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુખ્ય રોડ પર પાકિસ્તાન રાષ્ટ્રધ્વજનાં પોસ્ટર લાગ્યાં હતાં. ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોસ્ટરો હટાવી દીધાં હતાં. હાલમાં આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવ્યાં હતાં એ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ વડોદરા

શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી વાઘેશ્વરી સોસાયટી, ચંદ્રાવતી સોસાયટી પાસે અને કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ પાકિસ્તાન ધ્વજનાં પોસ્ટર રોડ પર અજાણી વ્યક્તિએ લગાવી દીધાં હતાં. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ

હતી અને રોડ ઉપર ચોંટાડેલાં પાકિસ્તાનનાં પોસ્ટર હટાવી દીધાં હતાં. રાત્રિના પોસ્ટર લાગ્યાંનું અનુમાન આ પોસ્ટર કોણે લગાવ્યાં અને ક્યારે લગાવ્યાં એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સવારે લોકો રસ્તા પરથી પસાર થતા હતા, એ સમયે આ પોસ્ટરો લોકોએ જોયા હતા. પ્રાથમિક દૃષ્ટિએ રાત્રિના સમયે આ પોસ્ટરો કોઈએ લગાવ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. 'ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરિયાઓને પ્રવેશ કરવો'નાં

બેનર્સ લાગ્યાં વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વર ચાલીમાં લારીવાળા અને ફેરિયાઓને ભારતીય નાગરિકતાનો પુરાવો ચેક કરીને ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એનાં પોસ્ટર પણ ચાલીમાં લગાવવામાં આવ્યાં છે, જેમાં લખવામાં આવ્યું છે કે રામેશ્વર ચાલીમાં ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરિયાઓને પ્રવેશ કરવો. ઓળખપત્ર અને આધારકાર્ડ પુરાવો બતાવવો ફરજિયાત રહેશે. પાક.ને દુનિયાના નકશામાંથી નાબૂદ કરી દેવું જોઈએઃ અતુલ ગામેચી વડોદરાના

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટી પાસે પાકિસ્તાનનાં પોસ્ટરો લાગ્યાં હતાં અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર શાંતિપ્રિય અને સંસ્કારી નગરી છે. વિરોધ કરવાનો તમામને અધિકાર છે. મેં આ રોડ પર લાગેલાં પોસ્ટર જોયાં હતાં, જેથી કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. કારેલીબાગ પોલીસને આવીને પોસ્ટર હટાવ્યાં હતાં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમે વડાપ્રધાનને કહેવા માગીએ

છીએ કે પાકિસ્તાન આતંકવાદને આશરો આપી રહ્યું છે. આવા પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નાબૂદ કરી દેવું જોઈએ. અમે તપાસ કરી રહ્યા છીએઃ PI કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એમ. વ્યાસે જણાવ્યું હતું કે મુખ્ય રોડ પર પોસ્ટરો લાગેલાં હોવાની માહિતી મળતાં અમારી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તરત જ પોસ્ટર હટાવી દીધાં હતાં. આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

Leave a Reply

Related Post