હિંમતનગરમાં આવતીકાલે 10મી મે વીજકાપ: મોતીપુરા સબસ્ટેશનમાં કાલે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી સમારકામ

હિંમતનગરમાં આવતીકાલે 10મી મે વીજકાપ:મોતીપુરા સબસ્ટેશનમાં કાલે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી સમારકામ
Email :

હિંમતનગર-1 સબસ્ટેશનમાં જરૂરી સમારકામને કારણે 10 મે શનિવારે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સબસ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો જેવા કે નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી મંદિર, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપૂરા, હિંમતનગર, દુર્ગા, રાજતિરથ, મહાકાલી, અતિથી અને હાપા

ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. વીજકાપના કારણે સહકારી જીન રોડ, ખેડ તસીયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર હાઇવે, જુના-નવા બજાર, હિંમતનગર GIDC, ગાયત્રી મંદિર રોડ અને દોલતવિલાસ પેલેસ રોડ વિસ્તારો પ્રભાવિત થશે. આ ઉપરાંત હિંમતનગર બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ, નવી-જુની સિવિલ હોસ્પિટલ, છાપરીયા

પોલિટેકનિક કોલેજ રોડ અને મહાકાલી મંદિર રોડના આસપાસના વિસ્તારોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. પાંચ ગામો - હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈ અલગ સૂચના આપ્યા વગર વીજ પુરવઠો પુનः શરૂ કરવામાં આવશે.

Leave a Reply

Related Post