ગાંધીધામમાં 350થી વધુ દબાણો હટાવવાની તૈયારી: સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફરશે, દબાણકર્તાઓને નોટિસ અપાઈ

ગાંધીધામમાં 350થી વધુ દબાણો હટાવવાની તૈયારી:સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફરશે, દબાણકર્તાઓને નોટિસ અપાઈ
Email :

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મોટી કાર્યવાહીની તૈયારી કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરમાં કરેલા સર્વે મુજબ 350થી વધુ દબાણો શોધી કાઢ્યા છે, જેમાં ટાગોર રોડ, ઘોડા ચોકી, કોલેજ સર્કલ, રામબાગ, રાજવી ફાટકથી આપના નગર ચાર રસ્તા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજના

જણાવ્યા અનુસાર, તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે અને સોમવાર સુધીમાં સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા જણાવવામાં આવ્યું છે. જો આ સમયમર્યાદામાં દબાણો નહીં હટાવવામાં આવે તો સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર દ્વારા દબાણો તોડી પાડવામાં આવશે. મહાનગરપાલિકાની આ કાર્યવાહી ગાંધીધામ અને આદિપુર બંને શહેરોના માર્ગોને પહોળા કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી

રહી છે. આદિપુર રોડ અને ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં પણ રસ્તાની માપણીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાક લોકોએ નોટિસને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા છે, પરંતુ જે લોકો હજુ પણ દબાણો નહીં હટાવે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોમવારે શરૂ થનારી આ ઝુંબેશમાં દબાણકર્તાઓને કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં.

Related Post