જુનાગઢ પોલીસની સરાહનીય કામગીરી: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 5.51 લાખનો મુદ્દામાલ માલિકોને સોંપ્યો

જુનાગઢ પોલીસની સરાહનીય કામગીરી:તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 5.51 લાખનો મુદ્દામાલ માલિકોને સોંપ્યો
Email :

જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસે ગુમ થયેલા મોબાઇલ ફોન અને ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલો મુદ્દામાલ ફરીયાદીઓને પરત કર્યો છે. પોલીસ ઈન્સ્પેક્ટર આર. કે. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સોર્સ અને CEIR પોર્ટલની મદદથી 29 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા. આ મોબાઇલની કુલ કિંમત 4,08,343 રૂપિયા છે.

ઘરફોડ ચોરીના કેસમાં 1,03,250 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. વધુમાં, બે ચોરાયેલા વાહનો - એક એક્ટિવા અને એક હીરો હોન્ડા મોટરસાયકલ - મળીને કુલ 40,000 રૂપિયાની કિંમતના વાહનો પણ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા

અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમાં થઈ. પો.ઇન્સ. આર. કે. પરમાર, પો.સબ ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી, એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા અને હેડ કોન્સ્ટેબલ ટી.બી. સિંધવની ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી. પોલીસે જણાવ્યું કે, આ કામગીરીનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાનો છે. એ ડિવિઝન પોલીસ હજુ પણ અન્ય ગુમ થયેલા મોબાઈલ ફોનોની શોધખોળ કરી રહી છે.

Leave a Reply

Related Post