રાહુલ વૈદ્યએ કહ્યું- 'મારા પૈસાં નહિ, દેશ પહેલાં!': તુર્કીમાં પરફોર્મ કરવાની 50 લાખની ઓફર ઠુકરાવી દીધી, કહ્યું- આપણે આપણા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું જોઈએ

રાહુલ વૈદ્યએ કહ્યું- 'મારા પૈસાં નહિ, દેશ પહેલાં!':તુર્કીમાં પરફોર્મ કરવાની 50 લાખની ઓફર ઠુકરાવી દીધી, કહ્યું- આપણે આપણા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું જોઈએ
Email :

ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા દિવસ પહેલાં જ્યારે તણાવ સર્જાયો હતો, ત્યારે તુર્કી પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. આ કારણે ભારતમાં અલગ-અલગ રીતે તુર્કીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. માત્ર ટ્રાવેલ્સ બુકિંગ જ નહિ, પરંતુ ઘણા સેલેબ્સ પણ ત્યાંના પરફોર્મન્સને રદ કરી રહ્યા છે. સિંગર રાહુલ વૈદ્યએ પણ તાજેતરમાં તુર્કીમાં પરફોર્મ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ માટે તેને

50 લાખ રૂપિયાની ઓફર ફગાવી દીધી છે. રાહુલ વૈદ્યને 5 જુલાઈના રોજ તુર્કીના અંતાલ્યામાં એક લગ્નમાં પરફોર્મ કરવા માટે 50 લાખ રૂપિયાની ઓફર મળી હતી. નવભારત ટાઈમ્સના અહેવાલ મુજબ, રાહુલ વૈદ્યએ કહ્યું- 'આ ઓફર ખૂબ જ સારી હતી. તેઓ મને 50 લાખ રૂપિયા આપી રહ્યા હતા. પણ મેં તેમને કહ્યું કે- કોઈ કામ, કોઈ પૈસા અને

કોઈ ખ્યાતિ દેશના હિતથી મોટી હોઈ શકે નહીં. તેણે મને હજી વધુ ઓફર કરી. પણ મેં સ્પષ્ટ કરી દીધું કે- વાત પૈસાની નથી. આ મુદ્દો તેના કરતાં ઘણો મહત્વપૂર્ણ છે. આ રાષ્ટ્રહિત માટેનો નિર્ણય છે અને આપણે આપણા રાષ્ટ્ર સાથે ઊભા રહેવું જોઈએ. રાહુલે કહ્યું- મને એવા કોઈપણ દેશમાં રસ નથી જે ભારતની વિરુદ્ધ હોય અને તેની

ગરિમાનું સન્માન ન કરે. આજે હું જે કંઈ છું તે ફક્ત મારા દેશ અને મારા દેશવાસીઓને કારણે છું. આવી સ્થિતિમાં, ભારત કે તેના લોકોના હિતની વિરુદ્ધ જે કંઈ જાય તે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. રાહુલે કહ્યું કે- ભારતીય લોકો તુર્કીમાં ઘણા પૈસા ખર્ચે છે, પછી ભલે તે ત્યાં ટ્રાવેલિંગ કરવા માટે હોય કે લગ્ન કરવા

માટે. આના કારણે તુર્કીને કરોડો રૂપિયાનો ફાયદો થાય છે. પરંતુ તેમ છતાં તે દેશ ભારતની વિરુદ્ધ ઊભો રહ્યો. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે- શું આપણે આપણા પૈસા એવા દેશમાં રોકાણ કરવા જોઈએ જે આપણા પ્રત્યે વફાદાર નથી? રાહુલે સ્પષ્ટપણે કહ્યું કે- જે કંઈ ભારત વિરુદ્ધ છે તે તેમને પણ સ્વીકાર્ય નથી. વાત સરળ અને સ્પષ્ટ છે.

FWICE એ પણ તુર્કીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ OTT પ્લેટફોર્મ્સને તુર્કી સામગ્રીનો બહિષ્કાર કરવા અને સ્પષ્ટ વલણ અપનાવવાની અપીલ કરી છે. ભારત અને તુર્કી વચ્ચે વધતા તણાવને કારણે FWICE એ આ પગલું ભર્યું છે. અગાઉ, FWICE એ ભારતીય નિર્માતાઓને તુર્કીએનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો..

Leave a Reply

Related Post