JEE એડવાન્સનું પરિણામ જાહેર: ટોપ 100માં છ ગુજરાતના વિદ્યાર્થી; અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12માં ક્રમ સાથે ગુજરાત ટોપર

JEE એડવાન્સનું પરિણામ જાહેર:ટોપ 100માં છ ગુજરાતના વિદ્યાર્થી; અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12માં ક્રમ સાથે ગુજરાત ટોપર
Email :

આજે (2 જૂન, 2025) JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. 360 પૈકી 332 માર્ક મેળવી રાજિત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યો છે. તો JEE એડવાન્સમાં ટોપ 100માં છ ગુજરાતનાં વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે. તો સુરતનો અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે છે. દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી. IIT, NIT સહિતની સંસ્થાઓ માટે JEE એડવાન્સ લેવાય છે. જેઈઈ એડવાન્સની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું આગામી સમયમાં આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં

આવશે. કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થામાં સીટો એલોટ કરવામાં આવશે. ક્લિક કરી પરિણામ જુઓ ઓલ ઇન્ડિયા રેન્કમાં 100માંથી છ વિદ્યાર્થી ગુજરાતના સુરતના 7 વિદ્યાર્થીએ શહેર ટોપર્સ તરીકે સ્થાન મેળવ્યું JEE એડવાન્સમાં સુરતના 7 વિદ્યાર્થીએ શહેર ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે. જેમાં આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17માં ક્રમ સાથે સુરત સિટી ટોપર બન્યો છે. કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86માં ક્રમ સાથે બીજા ક્રમે, મોક્ષ ભટ્ટ ઓલ ઇન્ડિયા રેન્કમાં 219માં ક્રમ સાથે ત્રીજા ક્રમે, કનિષ્કસિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294માં ક્રમ સાથે ચોથા ક્રમે, હિતાંશ ગાંધી ઓલ ઇન્ડિયા રેન્કમાં 360માં ક્રમ સાથે પાંચમાં ક્રમે, વિશ્વ

પંડ્યા ઓલ ઇન્ડિયા રેન્કમાં 375માં ક્રમ સાથે છઠ્ઠા ક્રમે અને યશ કોઠારી ઓલ ઇન્ડિયા રેન્કમાં 418માં ક્રમ સાથે સુરત સિટીમાં સાતમાં ક્રમે સ્થાન મેળવ્યું છે. 18 મે, 2025ને રવિવારના રોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષા લેવાઈ હતી. JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થી JEE એડવાન્સની પરીક્ષા માટે ક્વોલિફાઈ થયાં હતાં. ચાલુ વર્ષની JEE એડવાન્ડની પરીક્ષા IIT કાનપુર દ્વારા લેવામાં આવી હતી. 360 માર્ક અને 108 માર્કના 2 પેપર પૈકી 140 માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઇઆઇટીમાં એડમિશન મળશે.

દેશની 23 IITમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે મુંબઈ, દિલ્હી, કાનપુર, ખરગપુર, મદ્રાસ, ગુવાહાટી, રૂરકી, હૈદરાબાદ, પટના, ભુવનેશ્વર, રોપાર, જોધપુર, ગાંધીનગર, ઇન્દોર, મંડી, વારાણસી, તિરુપતિ, પલક્કડ, ગોવા, જમ્મુ, ધરવડ, ધનબાદ અને ભિલાઈ. પેપર પેટર્ન IIT કાનપુર દ્વારા તૈયાર કરાઈ આ પરીક્ષા માટે દર વર્ષે અલગ-અલગ એક્ઝામિન બોડી હોય છે. જેમાં અલગ અલગ IIT ને પેપર પેટર્ન ફ્રેમ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. વર્ષ 2025ની JEE એડવાન્સ પરીક્ષાની પેપર પેટર્ન તૈયાર કરવાની જવાબદારી IIT કાનપુરને સોંપવામાં આવી હતી. JEE એડવાન્સનુ પેપર દુનિયાની તમામ પરીક્ષામા સૌથી અઘરા પેપરોમાનું એક પેપર હોય છે. JEE એડવાન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને

મેથ્સ એમ 3 વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. 18 મેના રોજ સવારે 9થી 12 અને બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન એમ બે તબક્કામાં 2 પેપર લેવામાં આવ્યાં હતાં. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હતી. JEE એડવાન્સની પરીક્ષાના પેપર અને માર્કસ પ્રથમ પેપરમાં 54 પ્રશ્નો હશે, જેમાં 18 ફિઝિક્સ, 18 કેમેસ્ટ્રી અને 18 મેથ્સના સવાલો હોય છે. આજ રીતે બીજા પેપરમાં પણ 54 પ્રશ્નો હશે. 108 પ્રશ્નોનું 360 માર્કનુ વેઇટેજ હોય છે, તેમાંથી મળતા માર્ક મૂજબ તેઓનું મેરીટ બનતું હોય છે. જેમાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જેમાં જવાબમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. જેમાંથી

એક વિકલ્પ સાચો હોય છે. આ ઉપરાંત સામસામે જોડકાં જોડવાના પ્રશ્ર્નો પૂછવામાં આવે છે. આ ઉપરાંત અમુક સવાલો મલ્ટીપલ કરેક્શન પ્રકારના હોય છે કે જેના 2 કે 3 જવાબો પણ સાચા હોય છે. જેમાં પાર્શિયલ માર્કિંગ સિસ્ટમ હોય છે કે જેથી કરીને તે પ્રશ્નનુ કઠિનતા મૂલ્ય વધારવામાં આવે છે. ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભર્યુ હતુ ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભર્યુ હતુ. આ એડવાન્સના રિઝલ્ટ પર વિદ્યાર્થીઓનું મેરીટ બહાર પડતું હૉય છે. જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક બહાર પડતા હોય છે અને બાદમાં ટોપ IITમાં વિદ્યાર્થીઓના એડમિશન થતા હોય છે.

Leave a Reply

Related Post