રાજકોટ કેન્સર હોસ્પિટલની નર્સની છરીના ઘા મારી હત્યા: પાડોશમાં રહેતા યુવકે જ હત્યા નિપજાવી, કારણને લઈ અનેક તર્કવિતર્ક; 4 મહિના પહેલા બદલી થતા રાજકોટ આવ્યા હતા

રાજકોટ કેન્સર હોસ્પિટલની નર્સની છરીના ઘા મારી હત્યા:પાડોશમાં રહેતા યુવકે જ હત્યા નિપજાવી, કારણને લઈ અનેક તર્કવિતર્ક; 4 મહિના પહેલા બદલી થતા રાજકોટ આવ્યા હતા
Email :

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, નર્સની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. મૃતક નર્સ આ પહેલા અમદાવાદમાં ફરજ બજાવતા હતા ચાર મહિના પહેલા તેની રાજકોટ બદલી થતા તેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા. નર્સની હત્યા મામલે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે, GCRIના નિયામક સામે તેના સ્ટાફ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. મૃતક નર્સની સામાન્ય કારણોસર રાજકોટ બદલી કરી દેવામાં આવી હતી. તેઓ સલામતી મુદ્દે રજૂઆત

માટે આવ્યા હતા પરંતુ, કોઈએ મુલાકાત કરી ન હતી અને ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ. ઘરમાં એકલા રહેતા નર્સની પાડોશમાં રહેતા યુવકે હત્યા નિપજાવી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા' નામના મકાનમાં ઉપરના માળે છેલ્લા ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્‍સર હોસ્‍પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.53)ની ગઈકાલે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્‍સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરી નાંખી છે. હત્‍યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો

હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્‍યાની શક્‍યતાએ પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી છે. ઋષિકેશ પાર્ક-2માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના બે માળના મકાનમાં નીચેના માળે નિલમબેન અને તેમના પતિ પિયુષભાઇ દલસાણીયા રહે છે અને ઉપરના માળે મુળ અમદાવાદના કુહા ગામના વતની ચૌલાબેન પટેલ રહે છે. રાત્રે ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં હત્‍યા થઇ ગયાની જાણ 108 મારફત થતાં યુનિવર્સિટી પોલીસ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્‍સ. જયંતિભાઇ, સિધ્‍ધરાજસિંહ તેમજ ડી. સ્‍ટાફની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા પણ પહોંચી ગયા હતાં. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. મૃતકની ચાર મહિના પહેલા અમદાવાદથી રાજકોટ બદલી થઈ હતી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્‍યુ હતું

કે હત્‍યાનો ભોગ બનેલા મહિલા રાજકોટ કેન્‍સર હોસ્‍પિટલમાં કીમોથેરાપી વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાં. તેમની બદલી ચાર મહિના પહેલા જ અમદાવાદ સિવિલથી રાજકોટ થઇ હતી. અહિ તે ભાડેથી એકલા જ રહેતાં હતાં. જયારે હત્‍યાનો આરોપી પડોશમાં જ રહેતો કાનજી ભીમાભાઇ વાંજાને પડોશીઓએ પુરીને રાખ્‍યો હોઇ જેથી પોલીસે આવી તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો અને માથાકુટ થયા બાદ મારા પર હુમલો થતાં મેં વળતો પ્રહાર કર્યો હતો. જો કે તેની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે. છુટાછેડા બાદ મૃતક મહિલા એકલા જ રહેતા હતા હત્‍યાનો ભોગ બનેલા ચૌલાબેન પટેલ એક ભાઇથી નાના હતા. અગાઉ લગ્ન કર્યા હતા પણ પતિ સાથે

મનમેળ ન થતા તેમને થોડા સમયમાં છૂટાછેડા લઇ લીધા હતા. તેઓ છેલ્લ 24 વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્‍સર હોસ્‍પિટલમાં ફરજ બજાવતાં હતાં. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશીને કહેતાં હતાં. હત્‍યાના બનાવની જાણ થતાં કુહા ગામેથી હત્‍યાનો ભોગ બનનાર ચૌલાબેનના મોટા ભાઇ શીવાંગભાઇ ત્રિભોવનદાસ પટેલ સહિતના સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્‍યા હતાં. પોલીસે તેમના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ પૂછતાછ હાથ ધરી છે. હત્‍યા નિપજાવનારો કાનજી ભીમાભાઇ વાંજા 34 વર્ષનો છે અને છુટક કામ કરે છે. તેની પત્‍નિ નાના મવા રોડ પર ખાનગી હોસ્‍પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. કાનજીને સંતાનમાં બે પુત્ર 11 અને 9

વર્ષના છે. તેની પત્‍નિએ પોતાને આ ઘટના બાબતે કોઇ જાણકારી નહિ હોવાનું રટણ કર્યુ હતું. નિયામક દ્વારા સંસ્થાના સ્ટાફને માનસિક ત્રાસ આપવામાં આવે છે: અમિત ચાવડા રાજકોટની કેન્સર હોસ્પિટલની નર્સની હત્યા મામલે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. ખુલ્લેઆમ મહિલાઓ પર અત્યારચાર થાય, બળાત્કારના પ્રયાસો થાય અને હત્યા થાય એવા બનાવો રોજબરોજ વધી રહ્યા છે. રાજકોટની કેન્સર હોસ્પિટલના એક સ્ટાફ નર્સ પર બળજબરી કરવાનો પ્રયત્ન થયો. જ્યારે તેમણે સામનો કર્યો ત્યારે તેમની કરપણી હત્યા કરવામાં આવી. આ હત્યાના જે પડઘા પડ્યા છે એમાં પણ ખાસ કરીને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે આપણી જાણીતી સંસ્થા છે એને તમામ સ્ટાફ નર્સની બહેનો

છે, ડોક્ટર છે અને કર્ચારીઓએ છે એણે ખુબ આક્રોશ સાથે મીડિયા સમક્ષ ફરિયાદ કરી. અમારી પર માનસિક ત્રાસ ગુજરાવામાં આવે છે. આ સંસ્થાના નિયામક દ્વારા ગેરવર્તુણાક કરવામાં આવે છે. હેરાનગતિ કરવામાં આવે છે. ગેરવહીવટ થઈ રહ્યો છે. એનો ભોગ આજે અમારા સ્ટાફ નર્સની એક બહેનની રાજકોટમાં તેની હત્યા થઈ. થોડા દિવસ પહેલાં પણ સંસ્થાના અનેક જુના ડોક્ટર સરકાર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા. ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પણ આ મુદ્દા અને આ સંસ્થામાં જે વહીવટકર્તા દ્વારા હેરાનગતિ થઈ રહી છે તે બાબાતે વિધાનસભામાં પણ પ્રશ્ન કરવામાં આવ્યા. પત્ર લખીને સરકારને રજૂઆત કરવામાં આવી પણ તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં એનો ભોગ આજે એક બહેન બન્યા છે. આ સંસ્થાના નિયમાકની ભરતી ખોટી રીતે થઈ એવી વારંવાર રજૂઆત થઈ.

નિયામક દ્વારા સંસ્થામાં જે પણ ડોક્ટર કામ કરે છે તેની સાથે પણ બેહુદુ વર્તન કરવામાં આવે. જે સ્ટાફના લોકો છે તેને પણ માનસિક ત્રાસ આપવામાં આવે. વારંવાર બદલીઓ કરવામાં આવે છે. આ બહેનની બદલી ચાર મહિના પહેલાં નજીવા કારણસર અમદાવાદથી રાજકોટ કરવામાં આવી હતી. આ બહેન જ્યારે રજૂઆત કરવા આવ્યા કે રાજકોટના સેન્ટરમાં સ્ટાફ નર્સ માટે કોઇપણ જાતની રહેવાની વ્યવસ્થા નથી. એની સુરક્ષાના પ્રશ્નો છે. તેની કોઈ સલામતી નથી. એ રજૂઆત કરવા ચાર દિવસ પહેલાં આવ્યા ત્યારે તેમને મળવાનો સમય પણ આપવામાં આવ્યો ન હતો અને આજે તેમની હત્યા થઈ. આજે જે સ્ટાફના મિત્રો, બહેનો દ્વારા અમને મળી રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે કે જે પણ નિયામક દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. અપમાન કરવામાં આવે છે. અનેક

સિનિયર ડોક્ટરને ખોટી રીતે ટર્મિનેટ કરવામાં આવ્યા. અનેક કર્મચારીઓને ખોટી રીતે વારંવાર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. કોઇની પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી. સાથે સાથે સરકારની અલગ અલગ યોજનામાં જે પણ ડોક્ટર કે કર્મચારીઓ કામ કરે તેમને ઇન્સેન્ટિવનો લાભ પણ આપવામાં આવતો નથી. મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની રજૂઆત પણ કરવામાં આવી છે. GCRIના નિવૃત્ત HOD ડો. બિપિન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની કેન્સર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ સાથે જે ઘટના બની તે દુ:ખદ છે. સિદ્ધપુર રાજકોટ અને ભાવનગરનો વહીવટ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. હોસ્પિટલના નિયામક સ્ટાફની કોઇ રજૂઆતો સાંભળતા નથી. ગુજરાત સરકાર 100 ટકા અનુદાન આપે છે. સરકારે પગાર પંચનું મહેકમ મંજૂર કર્યું હતું. સરકાર તટસ્થ તપાસ કરશે તો આર્થિક કૌભાંડ સામે આવશે.

Leave a Reply

Related Post