રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે: ત્રણ મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે, પાક દ્વારા એરસ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે:ત્રણ મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે, પાક દ્વારા એરસ્પેસ બંધ કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
Email :

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ મહિના સુધી 24 કલાક ખુલ્લુ રહેશે. અહીં કોઇપણ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થઈ શકશે. દુબઈ, ઓમાન, શાહજહાં, અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઈટ માટે રાજકોટ એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી લંડનની ફ્લાઈટ પણ હવે પાકિસ્તાનના એરસ્પેસન ઉપયોગ નહીં કરે તેવી શક્યતા છે, જેથી આગામી સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. હજી સુધી તેની જાહેરાત નહીં થઈ હોવાનું એરપોર્ટના સૂત્રો

પાસેથી જાણવા મળી રહ્યું છે. મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઈટની લેન્ડિંગ માટે નિર્ણય લેવાયો પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકરાના પગલાંને લઈ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે એરસ્પેસ ક્લોઝ કરતા હાઈ ઓથોરિટી દ્વારા મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઈટની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ નિર્ણય લઈ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના અધ્યક્ષ સ્થાને ગઈકાલે મહત્ત્વપૂર્ણ મિટિંગ મળી હતી. જેમાં એરપોર્ટના તમામ વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે અગત્યની

વાટાઘાટો સાથે 24 કલાક એરપોર્ટને ચાલુ રાખવા માટે વધુ 50 જેટલો સ્ટાફને મોકલવા વેસ્ટર્ન રીજનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશનની ઓથોરિટીને જાણ કરી છે. ઉચ્ચ કક્ષાએથી ત્રણ મહિના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રાખવા જણાવ્યું ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરે છે. આ સેક્ટર માટે પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો. નેવિગેશનનો આ મેપ શોર્ટકટ હતો અને ઈંધણ પણ ઓછું વપરાય છે.

પાકિસ્તાનના આ નિર્ણયથી આ ફ્લાઈટ લાહોર કે કરાંચી જઈ શકે તેમ નથી એટલે અમદાવાદ એરપોર્ટને ઇમરજન્સી માટે એપ્રોચ કરાયો હતો પરંતુ ત્યાંનું એરપોર્ટ સતત વ્યસ્ત હોવાથી ઇન્ડિગો એરલાઈન્સે રાજકોટ એરપોર્ટ માટે ભલામણ કરી હતી. મળતી વિગતો અનુસાર ઉચ્ચ કક્ષાએથી ત્રણ મહિના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રાખવા માટેની તૈયારી રાખવા જણાવ્યું છે. જાણો શું છે આ એરપોર્ટની ખાસિયત? રાજકોટથી 35 કિલોમીટરના અંતરે હિરાસર ગામ આવેલું છે. જ્યાં 1032 હેક્ટરની વિશાળ જગ્યામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં

આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને ફ્લાઇટ માટે 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે. કુલ 33,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયાં હાલનો રનવે 3040 મીટર લાંબો અને 25 મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયાંની ખાસિયત એ પણ છે કે એક જ કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરી શકશે અને ફ્લાઇટ લેન્ડ થયાની માત્ર 2 મિનિટમાં રનવે ખાલી પણ થઇ જશે. 7 બોર્ડિંગ ગેટની સુવિધા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ

હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1400 મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે. પહેલગામમાં આતંકીવાદીઓના ગોળીબારમાં 26 લોકોના મોત જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના બપોરે લગભગ 2.45 વાગ્યે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગોળીબારમાં 26 લોકોના મોત થયા હતા, ઘણા ઘાયલ થયા હતા.

Related Post