2 વર્ષની રાહા બનશે 250 કરોડના બંગલાની માલકિન!: રણબીર કપૂર-આલિયા ભટ્ટનું આલીશાન ઘર તૈયાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ પહેલી ઝલક

2 વર્ષની રાહા બનશે 250 કરોડના બંગલાની માલકિન!:રણબીર કપૂર-આલિયા ભટ્ટનું આલીશાન ઘર તૈયાર, સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ પહેલી ઝલક
Email :

બોલિવૂડ એક્ટરના ક્યૂટ કપલમાં સ્થાન ધરાવતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડીને ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળે છે. બંને ઘણા સમયથી તેમના નવા ઘરમાં રહેવા જવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે એટલે કે તેમનું નવું સ્વપ્ન ઘર તૈયાર થઈ ગયું છે. રણબીર-આલિયાના આ વૈભવી ઘરની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે. તેમના નવા ઘરનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે રણબીર-આલિયા

આ 250 કરોડનો બંગલો તેની દીકરી રાહાના નામ પર રજીસ્ટર કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાહા બોલિવૂડની 'સૌથી નાની અને સૌથી અમીર સ્ટાર કિડ' બનશે. રણબીર- આલિયાનાં સપનાનું ઘર! રણબીર કપૂરના બંગલાનું નામ 'કૃષ્ણા રાજ' બંગલો છે, જે તેમના સ્વર્ગસ્થ દાદી કૃષ્ણા રાજ કપૂરના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ 4 માળના વૈભવી ઘરની સુંદરતા દૂરથી છલકાઈ રહી છે. આ વૈભવી ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જે વીડિયો ક્લિપ સામે

આવી છે તેમાં બંગલાના સંપૂર્ણ રીતે તૈયાર થયેલા ભાગને દર્શાવવામાં આવ્યો છે, જેમાં દરેક બાલ્કનીને ગ્રિનરી ગાર્ડન માફક સજાવવામાં આવી છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે આ દંપતીએ ઘરના ટેરેસ એરિયા પર એક સુંદર ગાર્ડન તૈયાર કરાવ્યું છે. અહેવાલો અનુસાર, બંને ટૂંક સમયમાં ગૃહપ્રવેશ કરશે. રાજ કપૂર દ્વારા 1980ના દાયકામાં તેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં કપૂર પરિવારની અનેક પેઢીઓએ જીવન વિતાવ્યું છે. વર્ષો સુધી આ બંગલો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મહત્ત્વના સોશિયલ અને ફિલ્મી

ઇવેન્ટ્સનું હબ રહ્યું છે. કૃષ્ણા કપૂરના અવસાન બાદ અને સમય જતાં આ જૂના બંગલાને તોડી નવો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ થયો, જેમાં ગોદરેજ પ્રોપર્ટિસ સાથે કપૂર પરિવારે ભાગીદારી કરી છે. 'કૃષ્ણા રાજ' બંગલો આજે પણ કપૂર પરિવારના ઇમોશનલ વારસા સાથે જોડાયેલ છે. 2 વર્ષની રાહાના નામે રજીસ્ટર થશે 'કૃષ્ણા રાજ' બંગલો! રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા બંગલાની કિંમત લગભગ 250 કરોડ છે. જે અમિતાભ બચ્ચનના 'જલસા'ની સરખામણીમાં મુંબઇનો સૌથી મોંઘા અને આલિશાન બંગલો હશે. મુંબઈ સ્થિત

આ મિલકત મૂળ રૂપે ફિલ્મ દિગ્ગજ રાજ કપૂર અને કૃષ્ણા રાજ કપૂરની હતી. 1980ના દાયકામાં, આ મિલકત ઋષિ અને નીતુ કપૂરને આપવામાં આવી હતી. રણબીર-આલિયાએ હવે તે વારસાને આગળ ધપાવ્યો છે, અહેવાલ મુજબ આ વૈભવી ઘર તેમની પુત્રી રાહા કપૂરના નામે રજીસ્ટર થવા જઈ રહ્યું છે. આ દંપતીનું આ ઘર તેમની પુત્રી રાહાને સમર્પિત છે. રણબીર ટૂંક સમયમાં આલિયા, પુત્રી રાહા અને માતા નીતુ કપૂર સાથે આ વૈભવી ઘરમાં શિફ્ટ થઈ શકે છે. આલિયા ભટ્ટનું વર્કફ્રન્ટ વર્કફ્રન્ટની વાત

કરીએ તો આલિયા 'આલ્ફા'નું શૂટિંગ પૂરું કર્યા પછી રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વૉર'માં કામ કરી રહી છે. એવા અહેવાલો પણ છે કે તે એક ફીચર ફિલ્મ માટે દિનેશ વિજન સાથે વાતચીત કરી રહી છે. રણબીર કપૂરની આગામી ફિલ્મો રણબીર કપૂરની વાત કરીએ તો તે ફિલ્મ 'લવ એન્ડ વોર'નો પણ એક ભાગ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં તે સંદીપ રેડ્ડી વાંગાની સિક્વલ 'એનિમલ પાર્ક' અને ફિલ્મ 'રામાયણ'માં પણ જોવા મળશે.

Leave a Reply

Related Post