પેકેટ વાળુ દૂધ ઉકાળવુ કે કાચુ પીવુ? જાણો શું કહે છે નિષ્ણાંત:

પેકેટ વાળુ દૂધ ઉકાળવુ કે કાચુ પીવુ? જાણો શું કહે છે નિષ્ણાંત
Email :

આપણુ શરીર સ્વસ્થ રહે તે માટે દરેક પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. તેમાંથી એક છે કેલ્શિયમ. કે જે હાડકા મજબૂત બનાવે છે. કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે બેસ્ટ છે દૂધ. દૂધનું સેવન દરેકે કરવુ જોઇએ.

 દૂધ શરીરને અનેક રીતે ફાયદાકારક છે. ગાય અને ભેંસનું દૂધ સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ આજકાલ મોટાભાગના લોકો બજારમાંથી પેકેજ્ડ દૂધનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પેકેજ્ડ દૂધ ઉકાળ્યા પછી પીવે છે, જ્યારે કેટલાક તેને ઉકાળ્યા વિના પીવે છે. ત્યારે સવાલ એ થાય કે પેકિંગ કરેલુ દૂધ ઉકાળીને પીવુ કે કાચુ જ પીવું. આવો જાણીએ નિષ્ણાંતો શું કહે છે.

એક્સપર્ટ શું કહે છે?

પેકેટ વાળુ દૂધ તમારા ઘરે પહોંચે તે પહેલા અનેક પ્રોસેસમાંથી પસાર થાય છે જેને પેશ્ચરાઇઝેશન કહેવામાં આવે છે. ત્યારે હવે સવાલ થાય કે આ દૂધને ઉકાળીને પીવું જોઈએ કે નહીં. આ અંગે એક આયુર્વેદિક નિષ્ણાંત કહે છે કે પેકેજ્ડ દૂધનું ઉકાળ્યા પછી જ તેનું સેવન કરવું જોઈએ. તેમનું કહેવુ હતું કે આ દૂધ ક્યારે પેક થાય છે અને ક્યારે તમારા ઘરે પહોંચે છે. આવા સમયે તેમાં બેક્ટેરિયા વધી શકે છે. તેથી હંમેશા દૂધને ઉકાળીને જ પીવુ જોઇએ.

નિષ્ણાંત વધુમાં જણાવે છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ અને પાચનશક્તિ મજબૂત છે તેઓ ઉકાળ્યા વિનાનુ કાચુ દૂધ પણ પી શકે છે. ઉદાહરણ તરીકે, જે લોકો કસરત કરે છે તેઓ પેકેજ્ડ દૂધ કાચું પી શકે છે. નબળું પાચન અને રોગપ્રતિકારક શક્તિ ધરાવતા બાકીના લોકોએ તેને હંમેશા ઉકાળીને પીવું જોઈએ.

દૂધ કેમ ઉકાળવામાં આવે છે?

દૂધને તેમાં રહેલા બેક્ટેરિયા અને હાનિકારક રસાયણોને મારવા માટે ઉકાળવામાં આવે છે. તો કેટલાક લોકો માને છે કે દૂધ ઉકાળવાથી બેક્ટેરિયાની પ્રક્રિયા પણ ઓછી થાય છે અને તેથી દૂધ ઝડપથી બગડતું નથી. ઉપરાંત, દૂધ ફાટવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

પેશ્ચરાઇઝ્ડ દૂધના ફાયદા

પેકિંગ કરેવા દૂધને પેશ્ચરાઇઝ્ડ દૂધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દૂધ પીવાના ઘણા ફાયદા છે. આ દૂધ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે, કારણ કે તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા પેશ્ચરાઇઝેશન પ્રક્રિયા દ્વારા નાશ પામે છે. આ ઉપરાંત તેમાં ચરબીનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે, જેના કારણે તે વજન ઘટાડવા માંગતા લોકો માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તે હાડકાં માટે પણ સારું છે.

Leave a Reply

Related Post