વાર્ષિક 50 લાખના પગારદાર IT એન્જિ. મોત કેસમાં ઘટસ્ફોટ: છરો ખરીદી પોતાનું ગળું-હાથ કાપ્યાં, કંપની દ્વારા ડોક્ટર પત્નીને જાણ કરી, પત્ની હોટલે પહોંચે એ પહેલાં કૂદી ગયો

વાર્ષિક 50 લાખના પગારદાર IT એન્જિ. મોત કેસમાં ઘટસ્ફોટ:છરો ખરીદી પોતાનું ગળું-હાથ કાપ્યાં, કંપની દ્વારા ડોક્ટર પત્નીને જાણ કરી, પત્ની હોટલે પહોંચે એ પહેલાં કૂદી ગયો
Email :

સુરતની વેસુની હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પરથી શંકાસ્પદ હાલતમાં સોફ્ટવેર એન્જિનિયરનો મૃતદેહ મળ્યા બાદ ફોરેન્સિક પીએમ અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સોફ્ટવેર એન્જિનિયરે હોટલમાં આવતાં પહેલાં નજીકની એક દુકાનમાંથી છરો ખરીદ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ હોટલના રૂમમાં પોતાના શરીર પર જાતે જ છરાના ઘા મારી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. અક્ષત શાહ નામનો સોફ્ટવેર એન્જિનિયર વાર્ષિક 50 લાખના પેકેજ સાથે બેંગલુરુની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આત્મહત્યા પહેલાં તેને પોતાની કંપનીને એક મેલ કરી પોતે હોટ્લમાં રોકાયો હોવાની તેની પત્નીને જાણ કરવા જણાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસને એક સુસાઈડ નોટ પણ કબજે કરી છે, જોકે આત્મહત્યાનું કારણ હજી અકબંધ હોય પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

IIT પાસઆઉટ અક્ષત શાહ બેંગલુરુની કંપનીમાં 50 લાખના પેકેજ સાથે નોકરી કરતો હતો મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં આવેલા ઊંઝાના વતની અને હાલ મગદલ્લા રોડ પર આવેલ વીરભદ્રા હાઈટ્સમાં રહેતા 35 વર્ષીય અક્ષત જિજ્ઞેશભાઈ શાહ પત્ની અને દોઢ વર્ષનો પુત્ર, માતા-પિતા અને ભાઈ સહિતના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને પત્ની ડૉક્ટર છે. અક્ષત બેંગલુરુ આઈઆઈટીમાં પાસઆઉટ થયેલો છે. અક્ષત બેંગલુરુની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર (સોફ્ટવેર ડેવલપર) તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી વર્ક ફ્રોમ હોમથી કામ કરતો હતો. તેના પિતા મુકેશભાઇ પણ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 15 એપ્રિલે આગમ વિવિયાના હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહ ગત મંગળવારે બપોરે ઘરેથી ઓફિસના કામ માટે જવાનું કહીને નીકળ્યો હતો.

દરમિયાન સાંજે પાંચ વાગ્યાના અરસામાં વેસુ વિસ્તારની આગમ વીવીયાના હોટલ નીચે ભોયતળિયે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં તેના શરીરના ગળા, હાથ અને પગમાં ચાકુના ઘા મારેલ હતા. શંકાસ્પદ આ બનાવ અંગે વેસુ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી, પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેને કબજે કરી છે. અક્ષત શાહના મૃતદેહનું પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમાં તેના શરીર ઉપર મલ્ટીપલ ઇજા, ચોથા માળેથી પડતુ મુકતા તેના માથા, જાંઘના ભાગે ઇજા થતાં મોત નિપજયુ હતુ. જેમાં તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જણાયુ છે. છતાં મૃતકના પરિવાર દ્રારા તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતાં પોલીસે મોબાઈલ ફોન કબજે કરીને કોલ

ડિટેઇલ અને સીસીટીવી કેમેરાના કુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. હોટલમાં આવતાં પહેલા અક્ષતે છરાની ખરીદી કરી હતી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મૃતક અક્ષત બપોરે 1.27 કલાકે આગામ વિવિયાનાની એલિગન્ટ હોટલમાં જતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. સાથે જ ચોથા માળેથી નીચે પટકાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સાથે જ પોલીસ તપાસમાં અક્ષતે હોટલની નજીકમાં જ આવેલી એક દુકાન પરથી રેમ્બો છરાની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. આ દુકાનમાં 1.14 કલાકે રેમ્બો છરો ખરીદી કરીને જતો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. બપોરે 1-27 કલાકે હોટલમાં આવ્યો, સાંજે 5 વાગ્યે કૂદકો લગાવ્યો ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, વેસુના વિવિયાના કોમ્પ્લેક્સના ચોથા માળે એલિગન્ટ નામની હોટલ આવેલી છે. જેના 404 નંબરના રૂમમાંથી

એક યુવકે છલાંગ લગાવીને આપઘાત કર્યો હોવાની જાણ થયા બાદ વેસુ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં યુવક અક્ષત મુકેશભાઈ શાહ હોવાનું અને સોફ્ટવેર એન્જિનિયર હોવાનું સામે આવ્યું હતું. તે ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર અને વર્ક ફોર્મ હોમ તરીકે કામ કરતો હતો અને તેનો વર્ષનો પગાર 50 લાખ રૂપિયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અક્ષત 15 એપ્રિલના રોજ 1.27 કલાકે નીચે પોતાની કાર પાર્ક કરીને હોટલની અંદર આવે છે અને એક રૂમ બુક કરાવે છે. રૂમ પહેલા જોવા જાય છે અને પછી તે 404 નંબરના રૂમમાં જતો રહે છે. 5:00 વાગ્યા આસપાસ અક્ષત રૂમમાંથી નીચે કૂદી જાય છે. મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો સાથે તપાસ કરવામાં આવતા તેના શરીર પર

ખૂબ જ ઊંડા ઘા મળી આવ્યા હતા. જેથી જે તે સમયે આત્મહત્યા કે હત્યાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. કેમ કે ગળા હાથ અને પગ પર ચપ્પુના ઊંડા ઘા હતા. વેસુ પોલીસ દ્વારા સીસીટીવી સહિતનાની તપાસ કરવામાં આવી હતી. અક્ષત જે રૂમમાં રોકાયેલો હતો તે રૂમનું બાથરૂમ લોહીથી ખરડાયેલું હતું. તેના રૂમમાંથી એક મોટું ચપ્પુ પણ મળ્યું હતું અને તે પણ નવું જ ખરીદેલું હતું. આ ચપ્પુ જાતે ખરીદેલું હતું તેનું સ્ટીકર અને તેનું પેકેટ પણ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા બાજુમાં જ આવેલી એક દુકાનમાંથી આ ચપ્પુ ખરીદવામાં આવ્યું હતું. અક્ષત દ્વારા 1.14 કલાકે 260 રૂપિયા ઓનલાઇન પેમેન્ટ કરી આ ચપ્પુની ખરીદી કરવામાં આવી હતી. આત્મહત્યા કરતાં પહેલાં કંપનીને મેલ કરી પત્નીને

જાણ કરવા કહ્યું અક્ષત પાસેથી એક બેગ પણ મળી આવી હતી. જેમાં લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ સાથે એક ડાયરી, એક જીન્સ, થોડાક રોકડા રૂપિયા અને એક પર્સ મળી આવ્યું હતું. ડાયરીમાં સુસાઇડ નોટ પણ લખેલી હતી. જેમાં કોઈના પર આક્ષેપ કરવામાં આવ્યા નથી. સુસાઈડ નોટની હેન્ડરાઇટિંગ તેના જુના લખાણ સાથે મેચ કરવામાં આવી રહી છે. અક્ષતે એ પગલું ભરતા પહેલા કંપનીને એક મેઈલ પણ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મહેરબાની કરીને તેની પત્નીનું નામ અને મોબાઈલ નંબર લખ્યો હતો અને વધુમાં લખ્યું હતું કે તેમને જાણ કરી દો કે હું આ હોટલના 404 નંબરના રૂમમાં છું. થેન્ક્સ અને સોરી. અક્ષતે કંપનીમાં કરેલા મેઇલના આધારે કંપનીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક તેની પત્નીને

જાણ કરવામાં આવી હતી. જેથી અક્ષતની પત્નીએ હોટલના નામ આધારે ગૂગલમાં મોબાઈલ નંબર સર્ચ કરીને હોટેલ વાળા સાથે વાત કરી હતી. આ વાત કરવામાં આવી રહી હતી દરમિયાન જ અક્ષતે બારીમાંથી છલાંગ લગાવી દીધી હતી. જેથી નીચે પડવાથી અને તેના શરીર ઉપર ચેક કટ મારવામાં આવ્યા હતા તેનાથી લોહી વહી જતા તેનું મોત થયુ હતું. લેપટોપ અને મોબાઈલ FSLમાં તપાસ માટે મોકલાયા ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, અક્ષતના લેપટોપ, બે મોબાઈલ જે કંઈ પણ છે તેને અમે એફએસએલમાં મોકલ્યું છે અને તેમાં જે ડેટા છે તેની તપાસ કરી શકાય. રૂમમાંથી જે કંઈ પણ પુરાવા મળ્યા છે ચપ્પુ, તેના કપડા સહિતની તમામ વસ્તુઓ એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. પરિવારના સભ્યો અને અક્ષત સાથે સંકળાયેલા લોકોની પૂછપર

જ કરવામાં આવી રહી છે. કંપનીમાં પણ મેઈલ કરીને આપેલા પણ ક્યારેય અક્ષતે આ રીતનો મેઈલ કર્યો છે કે નહીં તેની પણ માહિતી મંગાવવામાં આવી છે. હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે અક્ષતના કબજામાંથી એક સુસાઈડ નોટ કબજે કરી અક્ષતે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મને માફ કરજો મને ગમતું નથી. પરિવારના બધાને હું મીસ કરી રહ્યો છું. જીવનથી થાકી અને કંટાળી ગયો છું. હું અહીં રહેવા લાયક નથી. મને ગૂંગળામણ થાય છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુસાઇડ અંગે જણાવ્યું હતું કે, અક્ષતે સુસાઈડનોટમાં બધાને પોતાના જીવન અંગે નિરાશા જાહેર કરી છે. પરિવારજનોની માફી માંગી છે. સુસાઈડ નોટમાં પરિવારના કે બહારના કોઈની ઉપર આક્ષેપ કે પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા નથી.

Related Post