માતા નરગિસની પુણ્યતિથિએ સંજય દત્ત ભાવૂક થયો: ફોટો શેર કરી લખ્યું, "તું અહીં નથી પણ તારો પ્રેમ ક્યાંય ગયો નથી, તને દરરોજ યાદ કરું છું"

માતા નરગિસની પુણ્યતિથિએ સંજય દત્ત ભાવૂક થયો:ફોટો શેર કરી લખ્યું, "તું અહીં નથી પણ તારો પ્રેમ ક્યાંય ગયો નથી, તને દરરોજ યાદ કરું છું"
Email :

'મધર ઇન્ડિયા' ફિલ્મમાં એક્ટિંગથી સૌને સ્તબ્ધ કરી ચાહકોના હૃદયમાં અનેરૂં સ્થાન મેળવનારા એક્ટ્રેસ નરગિસ દત્તની આજે 44મી પુણ્યતિથિ છે. 51 વર્ષની વયે ફાની દુનિયાને અલવિદા કહેનારા નરગિસ દત્તને હજુ પણ સિનેરસિકો યાદ કરતા રહે છે. ત્યારે દીકરા સંજય દત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર માતા નરગિસની કેટલીક તસવીરો શેર કરી ભાવૂક પોસ્ટ મૂકી છે. એક્ટરે લખ્યું કે, "તું કદાચ અહીં નહીં હોય પણ તારો પ્રેમ ક્યારેય ક્યાંય ગયો જ નથી, તને દરરોજ યાદ કરું છું મા." આ કેપ્શન સાથે સંજય દત્તે માતા નરગિસની સુંદર તસવીર પોસ્ટ કરી છે. તેમજ

પોતાના બાળપણની પણ કેટલીક તસવીરો શેર કરી છે. યૂઝર્સે પણ પોસ્ટમાં કમેન્ટ કરીને દિવંગત એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નરગિસનું જીવન પડકારો અને દર્દથી ભરેલું હતું. 6 વર્ષની ઉંમરે તેમણે બાળકલાકાર તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે મજબૂરીના કારણે તેમને આ ક્ષેત્રમાં આવવું પડ્યું હતું. જ્યારે તેમની કરિયર ટોચ પર હતી, ત્યારે તેમણે એક્ટર સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા પછી નરગિસ ત્રણ બાળક સાથે સારી રીતે જીવન પસાર કરતાં હતાં. ત્યારે કેન્સરે તેમને ઝપેટમાં લઈ

લીધાં હતાં. તેમના જીવનના છેલ્લા દિવસોમાં તેઓ ખૂબ જ પીડામાંથી પસાર થયાં હતાં. તેમને પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ 'રોકી' જોવાની તીવ્ર ઇચ્છા હતી પરંતુ ફિલ્મની રિલીઝના ત્રણ દિવસ પહેલાં જ તેમનું અવસાન થયું હતું. અગાઉ નરગિસના દીકરી પ્રિયા દત્તે ન્યુ ગુજરાતને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, "નરગિસ તેમના બાળકોના શિક્ષણને લઈને ખૂબ ગંભીર હતાં. જ્યારે સંજય દત્તને દિલ્હીની એક બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન મળ્યું, ત્યારે તે ખૂબ જ ચિંતિત રહેવાં લાગ્યાં, તે સંજુને મળવા દરરોજ દિલ્હી જતાં હતાં. અમારા ત્રણેય ભાઈ-બહેનોમાં સંજય સૌથી નાનો છે, બધાં તેને મમ્મીનો ચમચો કહેતા."

Leave a Reply

Related Post