રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મિસ્ટર Xની શોધખોળ: યુવતી-સગીરા સાથે મળી હનીટ્રેપનું ષડ્યંત્ર ઘડ્યું, સુસાઇડ નોટમાં મૃતકના જ અક્ષર, અનિરુદ્ધ-રાજદીપની ભૂમિકાની તપાસ થશે

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મિસ્ટર Xની શોધખોળ:યુવતી-સગીરા સાથે મળી હનીટ્રેપનું ષડ્યંત્ર ઘડ્યું, સુસાઇડ નોટમાં મૃતકના જ અક્ષર, અનિરુદ્ધ-રાજદીપની ભૂમિકાની તપાસ થશે
Email :

રાજકોટમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાઓએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે સુસાઇડ નોટમાં લખેલા અક્ષર પણ મૃતકના જ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે હાલ આ મામલે મિસ્ટર Xની શોધખોળ હાથ ધરી છે. જેની ધરપકડ બાદ આ કેસમાં અનિરુદ્ધ-રાજદીપની ભૂમિકા અંગે તપાસ થશે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પોલીસ ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાલ પૂજા રાજગોર તેમજ વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી છે. 17 વર્ષીય સગીરાએ પોક્સો વિથ રેપની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ 5 તારીખના ગુનો દાખલ થયો હતો. સુસાઇડ નોટમાં મૃતકના જ અક્ષર રાજકોટ જિલ્લા

પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે, 5 મેના અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડામાં પોતાની વાડીમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેના જમણા ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેને FSLમાં મોકલી આપવામાં આવી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં અક્ષર અમિત ખૂંટના જ હોવાનું જણાઇ રહ્યું છે. સુસાઇડ નોટમાં ચાર લોકોના નામ લખ્યા હતા તેમની સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અનિરુદ્ધ સિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર અને એક સગીરાના નામ લખવામાં આવ્યા હતા. આ પણ વાંચો: દીકરાએ ભીની આંખે અગ્નિદાહ આપ્યો, ગણેશ ગોંડલ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા આ પણ વાંચો: દુષ્કર્મ, ગળાફાંસો ને રીબડા જૂથ કનેક્શન, જાણો અમિત ખૂંટ કેસનો ઘટનાક્રમ X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યું વધુ જણાવતા કહ્યું હતું કે, પોલીસની પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી

હતી. જેમાં એક સગીરા અને અન્ય મહિલાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ કાવતરું રચ્યું હોવાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે. 2મે પૂર્વે 10 દિવસ અગાઉ બંને મહિલાઓ X નામના વ્યક્તિને મળી હતી. મિસ્ટર Xએ એક વ્યક્તિને ફસાવવા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપી હતી. સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકિલો તમારી સાથે રહેશે અને મીડિયા આ કેસમાં પ્રેશર કરશે એટલે ઝડપથી ફરિયાદ પણ દાખલ થશે. કહીને X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યું હતું. આ ષડયંત્રમાં મિસ્ટર X 1 વર્ષથી પૂજા રાજગોરના સંપર્કમાં હતો અને તેની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા છે. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મિસ્ટર X વાત કરતો સગીરાએ ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લાઇક

કરી હતી. તે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આઇડિ અને પાસવર્ડ મેળવી મિસ્ટર X પોતે સગીરા બનીને વાત કરતો હતો. ચેટમાં વાત કરવાની હોય ત્યારે મિસ્ટર X વાત કરતો હતો જ્યારે ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા અમિત ખૂંટ સાથે વાત કરતી હતી. પોલીસ તપાસમાં મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે. ઝડપાયેલા બંને વકિલોનો ગુનાહિત ઇતિહાસ બંને મહિલાઓ સાથે ઝડપાયેલા બંને વિકલો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. સંજય પડિત સામે 2023માં રાજકોટ ડિવિઝનમાં રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 2019માં રાજકોટ, ગાંધીગ્રામમાં એટ્રોસિટી એક્ટ હેઠળ અને 2022માં ફોજદારીનો ગુનો દાખલ કરાયો હતો, 2019માં એ-ડિવિઝન પોલીસમાં એક્સટોર્શનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે દિનેશ પાતર ગોંડલનો રહેવાસી છે

તેના વિરુદ્ધમાં 2021માં ગોંડલ સિટીમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જુનાગઢ પોલીસ સ્ટેશનમાં 498 (A) હેઠળ ગુનો દાખલ કરાયો હતો અને 2021માં ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે સંજય પંડિત અને દિનેશ પાતરને કોર્ટમાં રિમાન્ડ અર્થે આજે રજૂ કરવામાં આવશે. બે ક્ષત્રિય બાહુબલીના વર્ચસ્વના જંગમાં પાટીદાર યુવકે જીવ ગુમાવ્યો? 2022ની વિધાનસભા ચૂંટણી સમયથી રીબડા(અનિરુદ્ધસિંહ જાડેજા) અને ગોંડલ જૂથ(જયરાજસિંહ જાડેજા) સામ સામે છે. આ બે બાહુબલીઓના વર્ચસ્વની લડાઈમાં આજે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. મૃતક અમિત ખૂંટ પર 2022ની ચૂંટણી બાદ હુમલો થયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધી આ વિવાદ ચાલતો હતો. જેમાં જમીન વિવાદ અને હનીટ્રેપના તત્વો ઉમેરાયા અને અમિત ખૂંટે જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો: 'તમારાં સરનામાં હું વીખી ન નાખું તો જયરાજસિંહ નહીં' 8 ડિસેમ્બર,

2022ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાનો વિજય થયો હતો. ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે આવી ગયા હતા. તેમજ આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર ચાલ્યો હતો. ત્યાર બાદ રીબડા ગામે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલાં ઝરતાં મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ ગઈ હતી. જ્યારે એક દિવસ અગાઉ રીબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જે કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા. એના બીજા જ દિવસે અમિત ખૂંટ પર પર હુમલાની ઘટના ઘટી હતી. તે સમયે અમિત ખૂંટે જણાવ્યું હતું કે, મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂકની નાળ ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પોપટ

લાખા સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરવા કરી હતી અરજી આ ઉપરાંત અનિરૂધ્ધસિંહને પોપટભાઈ લાખાભાઈ સોરઠીયાના મર્ડર કેસમાં સજા થતા આ સજા માફી રદ કરવા અમિતે ગૃહ વિભાગને અરજી કરી હતી. આ વાતનો ખાર રાખી અનિરૂધ્ધસિંહ તથા રાજદિપસિંહે મળીને પૈસા આપી છોકરીયું એક સગીર તથા મીડીયામા બોલે છે તે પુજા રાજગોરે મને હનીટ્રેપમા ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી બદનામ કરેલ છે. આ બધા ભેગા મળીને મારી સાથે ફ્રોડ કરેલ છે અને આ રીબડા અનિરૂધ્ધસિંહે જ કરાવેલી છે અને અનેકવાર ધમકી ગુજારવામા આવી છે જેથી આ લોકોના ત્રાસથી મરવા મજબુર કરેલ છે વગેરે વાત સુસાઇડ નોટમાં લખેલી છે. જેથી મારી ફરિયાદ છે કે અનિરૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, એક સગીરા તથા પુજા રાજગોરે ભેગા મળી અમિતને ફસાવવા માટે અગાઉથી નક્કી કરી કાવતરૂ રચી, મારાભાઈ અમિતને

હનીટ્રેપમાં ફસાવી, બળાત્કારનો ખોટો કેસ કરાવી, બદનામ કરી માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરતા અમિતે વાડીએ જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ જેથી આ તમામ વિરુધ્ધ મારી ફરીયાદ છે. ઉલ્લેખનીય છે કે અમિત ખૂંટને સંતાનમાં એક 9 વર્ષનો દીકરો છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ ગોંડલ તાલુકા પોલીસે BNS કલમ 108, 61(2), 54, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અનિરુદ્ધસિંહે ધારાસભ્ય પોપટ લાખાની 1988માં હત્યા કરી 80ના દાયકામાં મહિપતસિંહ જાડેજાની ગોંડલમાં હાક વાગતી. જેથી તેઓ ધારાસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ આ સમયે ગોંડલમાં કોંગ્રેસના પોપટ લાખા સોરઠિયાનો ડંકો વાગતો હતો. તેઓ 1975થી 1980 અને 1985માં બીજી ટર્મથી ચૂંટાયા હતા. જેથી મહિપતસિંહ માટે પોપટભાઈ સોરઠિયા કાંટારૂપ હતા અને તેમને હટાવી દેવા માટે મહિપતસિંહના 22 વર્ષના દીકરા અનિરુદ્ધસિંહે 15મી

ઓગસ્ટ, 1988ની સવારે ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન ગોળી મારી હત્યા કરી દીધી. આ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. 2018માં તત્કાલીન જેલ આઇજી બિષ્ટે સજા માફી આપી ત્યાર બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રએ 29 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન જેલ આઈજી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી.આમ અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. આ અરજીના આધારે ન્યાયમૂર્તિ ડી.એમ દેસાઈએ રાજ્ય સરકાર, પૂર્વ જેલ આઇજી ટી.એસ બિષ્ટ અને અનિરુદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા હતા.

Leave a Reply

Related Post