ચંડોળા ડિમોલિશન ફેઝ-2નો બીજો દિવસ: વહેલી સવારથી મસ્જિદો સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત, ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો

ચંડોળા ડિમોલિશન ફેઝ-2નો બીજો દિવસ:વહેલી સવારથી મસ્જિદો સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત, ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
Email :

અમદાવાદના ચંડોળા ડિમોલિશન ફેઝ-2ના બીજા દિવસે વહેલી સવારથી જ ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે. ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવમાં સિરાજ નગરમાં આવેલી સિરાજ મસ્જિદને વહેલી સવારે તોડી પાડવામાં આવી છે. લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી નામની મસ્જિદને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલી તમામ મસ્જિદો સહિતના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ચંડોળા તળાવમાં 9 નાની મોટી મસ્જિદો આવેલી છે. આજે વહેલી સવારથી મસ્જિદો તોડવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કામગીરી દરમિયાન કોઈપણ

અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગઇકાલે (20 મે) સવારે 6:30 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરીની મદદથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. 35 હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 નાના-મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની 2.5 લાખ ચો. મીટર જગ્યા પરથી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં તમામ દબાણો દૂર થઈ ગયા હોત, પરંતુ ગરમીમાં

સતત હિટાચી મશીન કામગીરી કરી રહ્યું હતું જેના કારણે મશીનો બગડ્યા હતા જેના કારણે સમય વેડફાયો હતો. આ પણ વાંચો: પહેલા એક કાચો શેડ બનાવ્યો, પછી આખા ચંડોળા પર કબજો, બાંગ્લાદેશીઓને વસાવવાનું પેકેજ આપતો; લલ્લા બિહારીની ક્રાઇમકુંડળી આ પણ વાંચો: ‘ડ્રગ્સ, ચોરી, દેહવ્યાપારની પ્રવૃત્તિ થાય છે ચંડોળામાં’:લલ્લા બિહારીના પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર, કોર્ટે કહ્યું- ગેરકાનૂની પ્રવૃત્તિ સામે આંખ મીચનાર અધિકારીઓની તપાસ જરૂરી આ પણ વાંચો: ચંડોળા તળાવ પરથી 2000 બાંગ્લાદેશીનાં ઝૂંપડાં ધ્વસ્ત:1 લાખ ચો.મી જગ્યા ખુલ્લી કરી, ચંડોળાના લોકો થકી બાંગ્લાદેશી આતંકી સંગઠન સ્લીપર સેલ એક્ટિવ કરવા માગે છે

Leave a Reply

Related Post