સુરત એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી: રનવે પાસે 200 મીટરમાં ઘાસ સળગ્યું, 7 ફાયરની ગાડીએ માંડ-માંડ આગને કાબૂમાં લીધી, DGCA-AAI રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે

સુરત એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી:રનવે પાસે 200 મીટરમાં ઘાસ સળગ્યું, 7 ફાયરની ગાડીએ માંડ-માંડ આગને કાબૂમાં લીધી, DGCA-AAI રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે
Email :

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પાસે અવાવરૂ જગ્યા પર પક્ષીઓને ભગાડવા માટે ગનથી ફોડવામાં આવી રહેલા ફટાકડાને કારણે 29 મેના રોજ ઘાસમાં આગ લાગી ગઇ હતી. પવનની ગતિ વધારે હોવાને કારણે આગ ગણતરીના સમયમાં 200 મીટર જેટલા મોટા એરિયામાં ફેલાઇ ગઇ હતી. આગને કાબૂમાં લેવા એરપોર્ટ ફાયર ફાઈટિંગ સ્ટાફ અને સુરત ફાયરના સાત ગાડીના જવાનો લાંબો સમય મથ્યા હતા. બે કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. આગને કારણે એરપોર્ટનું ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. એને લઈને પાંચ ઉડાનને સીધી રીતે અને અન્ય ઉડાનોના સમયમાં લાંબો વિલંબ થયો હતો. જ્યારે દીવની

ફ્લાઇટ કેન્સલ કરવાની ફરજ પડી હતી. આ અંગે હવે સુરત એરપોર્ટ ઓથોરિટી રિપોર્ટ તૈયાર કરશે. DGCA અને AAI રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી કરશે. બર્ડ હિટ રોકવા ફોડેલા ફટાકડાથી આગ લાગી મળતી માહિતી પ્રમાણે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગઈકાલે બપોરે સવા એક વાગ્યાની આસપાસ એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-દિલ્હીની ફ્લાઇટ ટેકઓફ કરવાની તૈયારીમાં હતી. એ સમયે રનવેની આસપાસ રહેલાં પક્ષીઓને ઉડાવવા માટે ગેસ ગનથી ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. એક ફટાકડાને ફોડતી વખતે એની ફલેમ ત્યાં ઘાસમાં પડતાં એમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને ફ્લાઇટ ટેકઓફ કરવા રનવે પર આવે એ પહેલાં પવનની

તીવ્ર ગતિને કારણે ઘાસમાં આગ લાગી ગઇ હતી. એરપોર્ટના ફાયર ફાઇટરથી આગ કાબૂમાં ન આવી બપોરે એક કલાક અને 20 મિનિટે આગની જાણ થતાં જ રનવે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. બપોરે એક કલાક અને 22 મિનિટે એરપોર્ટ ખાતે ફરજ બજાવતા ફાયર ફાઇટર સ્થળ પર પહોંચી ગયા હતા. બપોરે બે વાગ્યા સુધી પણ આગ કાબૂમાં ન આવતાં સુરત ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી અને સુરત ફાયરની મળીને સાત ગાડી દ્વારા આગ પર આખરે બપોરે બે વાગીને 57 મિનિટે કાબૂ મેળવવામાં આવ્યો હતો. ત્રણ કલાક સુધી એરપોર્ટનું સંચાલન

ખોરવાયું આગ અરપોર્ટના મુખ્ય રનવેની વેસુ બાજુ આવેલા 615 મીટરના બ્લોક એરિયામાં આવેલી અવાવરૂ જગ્યામાં લાગી હતી. આગ 200 મીટરના એરિયામાં ફેલાઇ ગઇ હતી, જેથી ફાયર વિભાગને આગ પર કાબૂ લેવા માટે લાંબો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન એરપોર્ટની તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી, જેથી પાંચ ઓપરેશનને અસર પડી હતી. એક ફ્લાઇટ જે ઓલરેડી ટેકઓફ માટે પેસેન્જર લઈને તૈયાર હતી તેને પણ બે કલાક જેટલો સમય રોકાવાનો વારો આવ્યો હતો. જ્યારે બે ફ્લાઈટ અમદાવાદ અને એક ફ્લાઇટ જે ટેકઓફ કરવાની હતી, તેને વડોદરા ડાઇવર્ટ કરવામાં આવી હતી. આ

સમગ્ર આગની ઘટનાને લઇને ત્રણ કલાક સુધી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન ખોરવાઈ ગયું હતું. લાખો રૂપિયાનો ખર્ચ છતાં પણ ઘાસ કાપવામાં બેદરકારી સુરત એરપોર્ટના રનવે નજીકના ઓપરેશનલ એરિયામાં અને એરપોર્ટ પરિસરમાં પક્ષીઓ- પ્રાણીઓ સંતાઈ ન જાય એ માટે ઊગી નીકળતું જંગલી ઘાસ ચોમાસા પૂર્વે અને પછી વર્ષમાં બેવાર કાપવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ કાલની આગ લાગવાની ઘટના રનવે નજીકના ઓપરેશનલ એરિયામાં ઊગેલા ઘાસ કટિંગ નહીં કરવાની બેદરકારીને લીધે બની હતી. નવાઈની વાત એ હતી કે આગ દિલ્હી જવા રનવે પર આવેલી ફલાઈટના પાઇલટને દેખાતાં તેમણે વિમાન ફરી

રનવેથી ટેક ઓફ કરવાને બદલે વાળી લઈ એપ્રન તરફ લઈ લીધું હતું. ચોમાસાના પ્રારંભમાં બે દિવસ વરસાદ રહ્યો હોવા છતાં ઘાસમાં આગ લાગવાની ઘટનાએ અચરજ ઊભું કર્યું છે. ઘટનામાં કોઈ ઇજા, જાનહાનિની ઘટના બની નથી, પણ આ ઘટનાને લઈ સુરત એરપોર્ટની સલામતી વ્યવસ્થાને લઈ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. જાણકારોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઘટના પાછળનું કારણ એ છે કે રનવેની આસપાસની ખુલ્લી જગ્યામાં ઊગી નીકળેલા ઘાસનું ટ્રીમિંગ કરાયું ન હતું. એને કારણે ઘાસની લંબાઈ ખાસ્સી વધી ગઈ હતી. એમાં તણખો પડતાં ઘાસ ભડભડ સળગવા માંડ્યું હતું,

જેને લઈને આગ મોટી હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું. જો રનવેની આસપાસમાં ઊગતા ઘાસ અને અન્ય વનસ્પતિઓનું રેગ્યુલર ટ્રીમિંગ કરાવવામાં આવ્યું હોત તો આ ઘટનાને નિવારી શકાય હોત. પક્ષી ભગાડવા કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે? એરપોર્ટ પ્રિમાઇસીસ અને રનવેમાં બર્ડ હિટ જેવી ઘટનાઓ રોકવા માટે ત્રણ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. એમાં પહેલો પ્રયાસ જે માણસો આ વિસ્તારમાં મૂકવામાં આવ્યા હોય છે તેઓ દ્વારા જાતે દોડીને પક્ષી ભગાડવામાં આવે છે. બીજા પ્રકારમાં ગનનો ઉપયોગ કરવામાં આવે છે એમાંથી ફટાકડા જેવો અવાજ આવે છે અને પક્ષીઓ એ બાજુ આવતા નથી. જે

ગેસ સિલિન્ડર સાથે જોડાયેલી પાઇપ હોય છે, જેમાંથી ફલેમ નહિ, માત્ર અવાજ નીકળે છે. જ્યારે ત્રીજો ઉપાય વિશેષ પ્રકારના ફટાકડા ફોડવામાં આવે છે જે સામાન્ય રીતે ફ્લાઈટ લેન્ડ થવાની હોઇ અથવા ફ્લાઇટ ટેકઓફ થવાની હોઇ ત્યારે ફોડવામાં આવે છે. ફટાકડા ફોડતી વખતે જ ગઈકાલે આગની ઘટના બની હતી. સમગ્ર ઘટનાનો રિપોર્ટ તૈયાર કરાશેઃ ડાયરેક્ટર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેકટર આણંદ શર્માએ જણાવ્યું હતું કે પક્ષી ભગાડવા ફોડવામાં આવેલા ફટાકડાને કારણે આ ઘટના બની હતી. એરપોર્ટ ઓથોરિટીના નિયમો અનુસાર રનવે ઓપરેશન માટે બંધ કરવામાં આવ્યો હતો. આગની ઘટનાથી રનવે દૂર હતો, પરંતુ સ્ટાફને

યોગ્ય કાળજી લેવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર ઘટનાનો રિપોર્ટ ઉપલી કચેરીમાં મોકલવામાં આવશે. જ્યારે પણ કોઈપણ એરપોર્ટ પર કોઈ ઘટના બને છે ત્યારે એનો રિપોર્ટ ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) અને એએઆઇ (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)ને મોકલવાનો રહે છે. સુરત એરપોર્ટના રનવે પાસે બનેલી ઘાસમાં આગની ઘટનામાં ઘાસ ન કપાયું હોવાથી આ આગ લાગી હોવાની બેદરકારી દેખાઈ રહી છે. એને લઈને રિપોર્ટ મોકલવામાં આવ્યા બાદ આ બાબતે શું પગલાં લેવામાં આવે છે એ જોવું રહ્યું. એરપોર્ટ પર આગ લાગવાનો ઘટનાક્રમ આગથી આ ફ્લાઇટને અસર થઈ ​​​​​​

Leave a Reply

Related Post