Shani Gochar: શનિદેવનું પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં ગોચર

Shani Gochar: શનિદેવનું પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં ગોચર
Email :

કર્મ ફળના દાતા શનિદેવ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની તમામ રાશિ પર અસર પડે છે એ જ રીતે શનિદેવના નક્ષત્ર પરિવર્તનની પણ ખુબ અસર થાય છે. શનિદેવ એટલે કર્મ અનુસાર ફળના દાતા શનિદેવ જો ધારેતો રંકને રાજા અને રાજાને રંક બનાવી શકે છે. શનિ વક્રી કે માર્ગી થાય તો પણ તેની ખાસ અસર જોવા મળે છે. શનિદેવ માર્ગી કે વક્રી કે અસ્ત કે ઉદીત થાય ત્યારે તમામ રાશિ પર તેની અસર થાય છે.

શનિ દેવે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમા પ્રવેશ કરી લીધો છે

વેદિક પંચાગ અનુસાર શનિવારે શનિ દેવે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ ચરણમા પ્રવેશ કરી લીધો છે. જે 7 જૂન 2025એ થયેલ છે. શનિના આગોચરની કેવી અસર થશે જાણીએ વિસ્તારથી. શનિદેવ આ નક્ષત્રના સ્વામી છે એટલે શનિદેવના આ નક્ષત્ર પરિવર્તનની ખાસ અસર થશે. શનિદેવ પહેલા કરતા વધુ બળવાન થશે. કેટલીક રાશિઓને ખુબ સારૂ ફળ આપશે.

સિંહ રાશિ

શનિ ગોચરથી સિંહ રાશિવાળાને ખુબજ ફાયદો થશે. ઘર ખરીદવાનુ સપનુ સાકાર થશે. આશા કરશો તે કામ થશે. તમારા રોકાણથી લાભ થશે. વેપારીઓને લાભ થશે. નોકરીકરતા લોકોને ફાયદો થશે. સહકર્મિઓ સાથે તાલમેલ જાળવી શકશો.

મિથુન રાશિ

શનિના ગોચરથી જીવનમાં ખુશી આવશે, જૂના વિવાદનો ઉકેલ આવશે. ક્લેશ સમાપ્ત થશે. બોનસ મળશે. અઢળક ફાયદા થશે ઇચ્છીત ફળ મળશે મનોકામના પૂર્ણ થશે. જીવનમાં સફળતા મળશે. મુશ્કેલીઓનો અંત આવશે. આવકના નવા નવા સ્ત્રોત ખુલશે. જીવનને નવી દિશા મળશે. સૂર્યપુત્ર શનિદેવ અને હનુમાનજીની ઉપાસના કરવાથી લાભ થશે. કોર્ટ કચેરીના ચક્કરનો નિવેડો આવશે. જીવનમાં સ્થતિ સુધરતી જણાશે. ખુશીનો તહેવાર મળશે.

Leave a Reply

Related Post