Shani Jayanti 2025 : આજે શનિ જન્મ જંયતિ, સૂર્યપુત્રની સાધનાથી પનોતી ટળશે

Shani Jayanti 2025 : આજે શનિ જન્મ જંયતિ, સૂર્યપુત્રની સાધનાથી પનોતી ટળશે
Email :

શનિ જયંતીના દિવસે શનિદેવ પ્રગટ થયા. એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે, તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે. આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવશે.

સોમવતી અમાસનો શુભ સંયોગ થશે

આ દિવસ સોમવાર હોવાથી, સોમવતી અમાસનો શુભ સંયોગ થશે. શનિના સાડાસાતી (મોટી પનોતી) અને ઢૈય્યા (નાની પનોતી)થી રાહત મેળવવા માટે, તમે શનિ જયંતીના દિવસે પીપળાના આ ઉપાયો અપનાવી શકો છો. ચાલો શનિ જયંતિના ઉપાયો વિશે વિગતવાર જાણીએ.

શનિ મંદિરોમાં હવન અને વિશેષ આરતીનું આયોજન 

સોમવારે શનિ જન્મ જંયતિ લઇને શનિ મંદિરોમાં હવન અને વિશેષ આરતીનું આયોજન કરાયું છે. આ દિવસે ભારે ભીડ રહેશે. શનિ મંદિરોમાં વહેલી સવારથી રાત સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 07.00 વાગ્યાથી રાત્રે 11.00 વાગ્યા સુધી ભક્તો માટે મહાપ્રસાદ- ભંડારાનું આયોજન કરવામાં આવ્યુ છે.

વૈશાખ વદ સોમવતી અમાસના શુભ દિવસે કળિયુગના ન્યાયાધીશ અને કર્મફળ દાતા શ્રી શનૈશ્વર જન્મજયંતિ 

વિ. સં.2081 વૈશાખ વદ સોમવતી અમાસના શુભ દિવસે કળિયુગના ન્યાયાધીશ અને કર્મફળ દાતા શ્રી શનૈશ્વર જન્મજયંતિ ઉત્સવનું આયોજન કરાયું છે. શ્રી ગણેશ પૂજા,શ્રી શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શ્રી શનિકથા તથા શ્રી શનિદેવની 23000 મંત્ર આહુતિ શનિભક્તો દ્વારા આપવામાં આવશે. તેમજ શનિની નાની-મોટી પનોતી માટે વિશેષ અનુષ્ઠાન થશે.

કઇ રાશિ પર પનોતીની અસર?

હાલમાં શનિ દેવની પનોતી કેટલીક રાશીઓને અસર કરી રહી છે. જેમાં કુંભ રાશીમાં મોટી પનોતી ત્રીજો તબક્કો રૂપાના (ચાંદી) પાયે પગેથી પસાર થાય છે, લક્ષ્મીદાયક છે, મીન રાશીમાં મોટી પનોતી બીજો તબક્કો સોનાના પાય છે, છાતીથી પસાર થાય છે, ચિંતા દાયક છે, મેષ રાશીમાં મોટી પનોતી પ્રથમ તબક્કો લોઢાના પાય માથેથી પસાર થાય છે, જે શ્રમ દાયક છે, સિંહ રાશીમાં નાની પનોતી લોઢાના પાયે જે શ્રમદાયક છે, ધન રાશીમાં નાની પનોતી લોઢાના પાયે જે વધુ પરિશ્રમ કરાવે છે. જન્મ જંયતિ નિમિતે લોકો દાન પણ કરે છે, ખાસ કરીને કાળી વસ્તુનું વિશેષ દાન કરે છે.

નવગ્રહોના અધિપતિ મહાદેવના દિવસે સોમવારે શનિ જયંતીનું મહત્ત્વ બેવડાશે

મહાદેવ ત્યાગ અને સમર્પણની મૂર્તિ અને અનાશક્તિ તેમનો પરમ ગુણ છે. એ સ્વભાવ મહદઅંશે શનિદેવનો પણ છે. સંયોગની વાત એ છે કે મહાદેવ એ નવગ્રહોના અધિપતિ છે અને એ જ દિવસે શનિ જયંતી હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. સોમવારે શનિ જયંતી સાથે સોમવતી અમાસનો સંયોગ પણ થાય છે. આ દિવસે નિઃસ્વાર્થ અને સમર્પણ ભાવથી કરેલા કાર્યોથી શનિ જયંતીએ મહાદેવ અને શનિદેવ બંનેની કૃપા મળશે.

હાલ શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે

શનિદેવનું નામ સાંભળતા જ આજે લોકોમાં ડરની લાગણી અનુભવાય છે, પરંતુ શનિના કાર્યશૈલી માટે શાંતિથી વિચાર કરશો તો અદ્ભુત વાતોની અનુભૂતિ થશે. શનિદેવ ન્યાયનો કારક છે. સાંસારિક જીવનમાં આપણે સ્વાર્થ માટે કરેલા ધર્મની દૃષ્ટિએ ખોટા કાર્યોનો ન્યાય શનિદેવ કરે છે. શનિદેવ જે સ્થાન પર દૃષ્ટિ કરે એ સ્થાનના કારક કર્યોમાં દુઃખ અને તકલીફો ઊભી કરે છે. જેમ કે જન્મ કુંડળીમાં બીજા સ્થાન પર શનિદેવની દૃષ્ટિ પારિવારિક, આર્થિક સમસ્યા સાથે સામાજિક માન અને સન્માનમાં તકલીફ્ ઊભી કરે છે. પણ જ્યારે કર્મ નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવે ત્યારે શનિદેવ સામાજિક માન અને સન્માન સાથે આર્થિક ફયદો કરાવે છે.હાલ શનિદેવ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે ત્યારે શનિજયંતિથી તમામ રાશિઓના જીવનમાં મોટા ફેરફારો સંભવ છે.

Leave a Reply

Related Post