USમાં ઇઝરાયલી એમ્બેસીના 2 ઓફિસરની હત્યા: વોશિંગ્ટનમાં યહૂદી મ્યુઝિયમ બહાર ગોળી મારી, હુમલાખોરે પેલેસ્ટાઇનની આઝાદીના નારા લગાવ્યા

USમાં ઇઝરાયલી એમ્બેસીના 2 ઓફિસરની હત્યા:વોશિંગ્ટનમાં યહૂદી મ્યુઝિયમ બહાર ગોળી મારી, હુમલાખોરે પેલેસ્ટાઇનની આઝાદીના નારા લગાવ્યા
Email :

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6.35 વાગ્યે) યહૂદી મ્યુઝિયમની બહાર બની હતી. ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, હુમલાખોરે "ફ્રી પેલેસ્ટાઇન"ના નારા લગાવતા બંનેને નજીકથી ગોળી મારી હતી. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. ઘટના સમયે બંને કર્મચારી કેપિટલ યહૂદી

મ્યુઝિયમમાંથી બહાર નીકળી રહ્યા હતા. ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંનેએ હાલમાં જ સગાઈ કરી હતી અને ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેની ઓળખ એલિયાસ રોડ્રિગેઝ તરીકે થઈ છે. તેની ઉંમર 30 વર્ષ છે. તે શિકાગોનો રહેવાસી છે. ધરપકડ દરમિયાન તે પેલેસ્ટાઇનને આઝાદ કરવા માટે નારા લગાવી રહ્યો હતો. અમેરિકાએ કહ્યું - આ ટાર્ગેટ કિલિંગ છે

પોલીસવડા પામેલા સ્મિથે જણાવ્યું હતું કે ગોળીબાર પહેલાં એક શંકાસ્પદ વ્યક્તિ મ્યુઝિયમની બહાર ફરતી દેખાઈ હતી. તેણે બહાર નીકળી રહેલા ચાર લોકોના ગ્રુપ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું. આ ઘટના શહેરના એક ભીડભાડવાળા વિસ્તારમાં બની હતી, જ્યાં ઘણાં મ્યુઝિયમ, સરકારી કચેરીઓ અને FBI ઓફિસ પણ આવેલી છે. યુએસ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે કહ્યું હતું

કે આ એક ટાર્ગેટ કિલિંગ જેવી ઘટના છે. આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરવામાં આવશે. FBIના જોઈન્ટ ટેરરિઝમ ટાસ્કફોર્સે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના સબંધિત 4 તસવીર... ઇઝરાયલી રાજદૂતે કહ્યું - આ સમગ્ર યહૂદી સમુદાય પર હુમલો સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને આ હુમલાને યહૂદીવિરોધી આતંકવાદ ગણાવ્યો. તેમણે કહ્યું હતું

કે આ સમગ્ર યહૂદી સમુદાય પર હુમલો છે. તેમણે અમેરિકાને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. ઇઝરાયલી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને કર્મચારી એક યહૂદી કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં હતાં ત્યારે તેમને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન અમેરિકામાં ઇઝરાયલી રાજદૂત ત્યાં હાજર નહોતા. પોલીસે લોકોને હુમલો થયો એ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે, જોકે એફબીઆઈએ કહ્યું હતું કે

પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. એફબીઆઈ ચીફ કાશ પટેલે કહ્યું- મને અને મારી ટીમને આ ઘટના વિશે જાણ કરાઈ છે. અમે એના પર કામ કરી રહ્યા છીએ. અમે તમને આ વિશે ટૂંક સમયમાં વધુ માહિતી આપીશું. અમેરિકન યહૂદી સમિતિ (AJC)ના CEO ટેડ ડ્યુચે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન તેમની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આ હિંસક ઘટનાથી તે ખૂબ જ દુઃખી છે.

Leave a Reply

Related Post