'સન ઓફ સરદાર' ફેમ એક્ટર મુકુલ દેવનું નિધન: 54 વર્ષીય અભિનેતા ICUમાં હતા; બોલિવૂડમાં શોકની લહેર; સેલેબ્સે કહ્યું- હજુ માની શકાતું નથી

'સન ઓફ સરદાર' ફેમ એક્ટર મુકુલ દેવનું નિધન:54 વર્ષીય અભિનેતા ICUમાં હતા; બોલિવૂડમાં શોકની લહેર; સેલેબ્સે કહ્યું- હજુ માની શકાતું નથી
Email :

એક્ટર મુકુલ દેવનું 23 મેના રોજ અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાને કારણે ICUમાં હતા. 54 વર્ષીય એક્ટર તેમના મોટા ભાઈ રાહુલ દેવ અને દીકરી સિયાને પાછળ વિલાપ કરતા છોડી ગયા છે. અલબત્ત, આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી આ અભિનેતાનું મૃત્યુ ચોક્કસ કયાં કારણોસર થયું એની પુષ્ટિ થઈ શકી નથી. તેમના પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેમના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું નથી. પરિવાર જણાવે છે કે મુકુલ દેવે શુક્રવારે રાત્રે શાંતિપૂર્વક છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના અંતિમસંસ્કાર દિલ્હીના

દયાનંદ મુક્તિ ધામ ખાતે શનિવારે સાંજે 5 વાગ્યે કરવામાં આવશે. વિંદુ દારા સિંહ, જેમણે મુકુલ સાથે 'સન ઓફ સરદાર'માં કામ કર્યું હતું, તેમણે ‘ઈન્ડિયા ટુડે’ સમક્ષ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'મુકુલ પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં.' 'તેમનાં માતા-પિતાના અવસાન પછી મુકુલ એકલા રહેતા હતા. તેઓ ઘરની બહાર નીકળતા ન હતા કે કોઈને મળતા નહોતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત વધુ બગડી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા. તેમના ભાઈ અને તેમને જાણનારા અને પ્રેમ

કરનારા દરેકને મારી સંવેદના. તેઓ એક અદ્ભુત વ્યક્તિ હતા અને અમે બધા તેમને યાદ કરીશું.' મુકુલની મિત્ર અને એક્ટ્રેસ દીપશિખા નાગપાલે પણ ઈન્સ્ટાગ્રામ પર દિવંગત એક્ટર સાથેનો ફોટો પોસ્ટ કર્યો. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે 'મુકુલે ક્યારેય કોઈને પોતાની તબિયત વિશે વાત કરી નહોતી. તેમનું એક વ્હોટ્સએપ ગ્રુપ છે, જ્યાં તેઓ ઘણીવાર વાત કરતા હતા. હું સવારે આ સમાચાર સાથે ઊઠી. ત્યારથી હું તેમના નંબર પર ફોન કરી રહી છું, આશા રાખું છું કે તેઓ ફોન ઉપાડે.'

અભિનેત્રી દીપશિખા નાગપાલે ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું કે તે આ સમાચાર પર વિશ્વાસ કરી શકતી નથી. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘હું તેમના સંપર્કમાં હતી. અમે એક જ ગ્રુપના ભાગ હતા અને જ્યારે પણ તેઓ બોમ્બે આવતા ત્યારે અમે મળતાં હતાં. તેઓ મારા ગીતના લોન્ચિંગમાં પણ આવતા હતા. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. તેઓ પંજાબી ફિલ્મો કરતા હતા અને મને લાગતું હતું કે તેઓ ત્યાં તેની માતા અને પુત્રી સાથે રહેતા હતા. અમારું એક

ગ્રુપ હતું, જ્યાં અમે ઘણી વાતો કરતાં હતાં. જીવન ખરેખર ખૂબ જ અણધાર્યું છે. હું આ સમાચાર સાંભળીને જાગી ગઈ અને હું હજુ પણ આઘાતમાં છું. તેઓ ફક્ત 54 વર્ષના હતા. એક અદ્ભુત વ્યક્તિ. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. કૃષ્ણા, રજનીશ અને મેં તેમની સાથે એક ફિલ્મ કરી અને અમારો સમય ખૂબ જ સારો રહ્યો. તેમના નિધનના સમચાર ખૂબ જ દુઃખદ છે.' મનોજ બાજપેયીએ કહ્યું, 'મુકુલ મારા ભાઈ જેવો હતો' મનોજ બાજપેયીએ પણ ઇન્સ્ટાગ્રામ પર મુકુલ દેવની તસવીર શેર કરીને એક લાંબી

પોસ્ટ લખી છે અને કહ્યું છે કે તેઓ આ સમાચાર પર વિશ્વાસ કરી શકતા નથી. મનોજે લખ્યું, 'હું જે અનુભવી રહ્યો છું એને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. મુકુલ મારા ભાઈ જેવો હતો, એક કલાકાર જેની હૂંફ અને જુસ્સો અજોડ હતો. ખૂબ જ વહેલા, ખૂબ જ યુવાન. તેમના પરિવાર અને આ નુકસાનથી શોકગ્રસ્ત બધા માટે શક્તિ અને સ્વસ્થતા માટે પ્રાર્થના. મિસ યુ મેરી જાન... જ્યાં સુધી આપણે ફરી મળીએ ત્યાં સુધી... ઓમ શાંતિ! હિન્દી સિવાય પણ ફિલ્મોમાં કામ કર્યું છે મુકુલે 1996માં આવેલી

ફિલ્મ 'દસ્તક'થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 'હિમ્મતવાલા', 'યમલા પગલા દીવાના', 'સન ઓફ સરદાર', 'આર રાજકુમાર', 'જય હો', 'ભાગ જોની' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, પરંતુ પંજાબી, બંગાળી, ગુજરાતી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લે 2022 માં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. તેઓ છેલ્લે 2022માં ફિલ્મ 'અંત ધ એન્ડ'માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ટીવી પર, તેઓ 2018ની સિરિયલ '21 સરફરોશ' માં ગુલ બાદશાહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે 2020માં તેઓ OTT પર વેબસિરીઝ

'સ્ટેટ ઓફ સીઝ: 26/11' માં જોવા મળ્યા હતા. મુકુલ દેવ એક ટ્રેઇન્ડ પાઇલટ પણ હતા. તેમણે ઉત્તરપ્રદેશની ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી’માંથી પ્લેન ઉડાડવાની તાલીમ લીધી હતી. મુકુલ દેવે 1996માં આવેલી ‘દસ્તક’ ફિલ્મથી પોતાની મોટા પડદાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે કામ કર્યું હતું. એ પછી તેમણે વજૂદ, કોહરામ, યમલા પગલા દીવાના, સન ઓફ સરદાર, આર.. રાજકુમાર, વૉર છોડ ના યાર, ક્રીચર થ્રીડી, જય હો જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું હતું. હિન્દી ઉપરાંત મુકુલ દેવે પંજાબી, બંગાળી,

તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો પણ કરી હતી. તેમણે ‘પાગલપંતી’ નામની એક ગુજરાતી ફિલ્મ પણ કરી હતી. ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું હતું. તેમણે ઘરવાલી ઉપરવાલી, કહીં દિયા જલે કહી જિયા, કુટુંબ, ભાભી, કશિશ, કે. સ્ટ્રીટ પાલી હિલ, કુમકુમ, શશશ... ફિર કોઈ હૈ જેવી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે પાંચેક વર્ષ પહેલાં ‘ઝી5’ પર આવેલી ‘સ્ટેટ ઑફ સીજઃ 26/11’ નામની વેબસિરીઝ પણ કરી હતી. હોલિવૂડની બે ફિલ્મમાં તેમણે ડબિંગ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.

Leave a Reply

Related Post