રાષ્ટ્રીય મેરિટાઈમ દિવસની વિશેષ ઉજવણી: બાલાચડી બીચ પર સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય મેરિટાઈમ દિવસની વિશેષ ઉજવણી:બાલાચડી બીચ પર સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Email :

જામનગરમાં રાષ્ટ્રીય મેરિટાઈમ દિવસની ઉજવણી અંતર્ગત બાલાચડી બીચ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 'સમૃદ્ધ સમુદ્ર વિકસીત ભારત' થીમ સાથે 16 માર્ચના રોજ નેશનલ મેરિટાઈમ ડે સેલિબ્રેશન કમિટી જામનગર દ્વારા દરિયા કિનારાની સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના મર્કેન્ટાઇલ મરીન વિભાગ દર વર્ષે 5 એપ્રિલે આ દિવસની ઉજવણી કરે છે.

આ તારીખનું ઐતિહાસિક મહત્વ છે, કારણ કે 5 એપ્રિલ 1919ના રોજ ભારતીય સ્ટીમર એસ.એસ. લોયલ્ટી મુંબઈથી લંડન જવા રવાના થઈ હતી. કાર્યક્રમ દરમિયાન દરિયાકિનારે પ્લાસ્ટિક અને અન્ય કચરાનું એકત્રીકરણ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ પર્યાવરણ સંરક્ષણના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જામનગરના શિપિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકો, એસ.પી.

મરીન એકેડેમી માણાવદરના વિદ્યાર્થીઓ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની વિદ્યાર્થીનીઓ અને હુન્નરશાળા જોડીયાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નેશનલ મેરિટાઈમ ડે સેલિબ્રેશન કમિટી જામનગરના ચેરમેન આશિષ વાનખેડે, મર્કન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટના સર્વેયર ઇન ચાર્જ, કમિટીના સભ્યો બી.કે.સાબુ, કેપ્ટન અનિરુદ્ધ, કેપ્ટન વિકાસ, નીલેશ દવે, આદમ ભાયા, શ્રીધરભાઈ, સુધીરભાઈ વછરાજાની અને સૈનિક સ્કૂલ બાલાચડીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Related Post