એકતાનગરના ઈરફાનનો આતંક: ‘આરતીના ધતિંગ બંધ કરી દો’ કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો

એકતાનગરના ઈરફાનનો આતંક:‘આરતીના ધતિંગ બંધ કરી દો’ કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડ્યો
Email :

આજવા રોડ એક્તાનગરમાં આવેલા ભગવાન રામના મંદિરમાં ઘુસી ઈરફાન શેખે તોડફોડ કરી શહેરની શાંતિ ડહોળાવવોનો પ્રયત્ન કર્યો હતો. ઈરફાન મંદિરમાં ઘુસી ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ઘતીંગો બંઘ કરો’ કહી સ્પિકર સહિત પુજાપાઠનો સામાન ફેંકી દીધો હતો. તેમજ મંદિરે હાજર યુવક અને તેની માતાને માર માર્યો હતો. ત્યારે બાપોદ પોલીસે ઈરફાનને પકડી પાડી તેની સામે ગુનો નોંધ્યો હતો. આજવા રોડ એક્તાનગર મરાઠી મહોલ્લામાં રહેતો 19 વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણીયા મંગળવારે સાંજે સાત વાગે ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી પતાવી

મંદીરમાં અગરબત્તી કરતો હતો. તે સમયે મંદીરની પાછળ રહેતો ઇરફાન મોહમંદ શેખ મંદીરની સામે આવી ગયો હતો. ઈરફાન કહેવા લાગ્યો હતો કે, ‘આ તમારા રોજના મંદિરની આરતીના નામે ઘતીંગો બંઘ કરો.’ જોકે ત્યારબાદ તે મંદીરમાં ઘુસી ગયો હતો અને મંદિરમાં રાખેલ ભગવાન રામના ફોટા નીચે ફેંકી દીઘા હતા, તેમજ તેને ભગવાન રામની માળા ખેંચીને ગોળ ફરાવીને ફેંકી હતી, તે મંદીરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો. આટલું જ નહીં ઈરફાને આરતી વગાડવા માટે રાખેલું એપ્લીફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું.ત્યારે અક્ષય ઈરફાનને

રોકવા જતા તેને અક્ષયને ધક્કો મારી મંદિર બહાર ફેંકી દીધો હતો. ઈરફાને અક્ષયની માતા સાથે પણ મારામારી કરી હતી. ઈરફાન અક્ષયની માતાને કહેતો કે, બોલાય તારા પતિને એક વખત તો તેને માર્યો છે. તને પણ પતાવી દઇશ. ઈરફાને અક્ષયને પણ માર્યો હતો. તે ત્યાં બૂમો પાડવા લાગ્યો હતો કે, હું જેલથી બીતો નથી, હું તને જાનથી મારી નાખીશ. ત્યારે પોલીસને આ બાબતે જાણ થતા બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈરફાનને પકડી લીધો હતો. બાપોદ પોલીસે કહ્યું હતું કે આરોપીને ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરાઇ છે.

Leave a Reply

Related Post