ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી: અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની આગાહી:અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાશે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Email :

ઈસ્ટ-સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો ડીપ સીમાં ગયા છે તેમને શુક્રવાર સાંજ સુધીમાં પરત ફરી જવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના

પગલે રા્જ્યના અનેક માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂત અને વેપારીઓને પણ પોતાની જણસી સલામત રીતે લાવવા અને રાખવા જણાવવામાં આવ્યું છે. આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી અરબ સાગરમાં આજે સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ (23 મે) સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ એવી શક્યતા છે, જેના પગલે આગામી સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળે થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન

ફૂંકાવાની શક્યતા હોઈ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો ડીપ સીમાં ગયા હોય તેમને શુક્રવારે સાંજ સુધીમાં કિનારે પરત આવી જવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમર્જન્સી સેન્ટરનો કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રાખવા સૂચના અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ને

યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રીએ હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતાં રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાં માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં

રહે તેવી સૂચનાઓ આપી હતી. મંગળવારે વરસાદના કારણે ડુંગળી અને કેરીને નુકસાન મંગળવારે વરસેલા વરસાદના કારણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રાખેલા ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો, જ્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીનાં બોક્સ પલળી જતાં વેપારીઓએ નુકસાની ઉઠાવવી પડી હતી. ઊંઝા અને થરાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી 21થી 27મી તારીખ સુધી માવઠાની આગાહી હોઈ, ઊંઝા એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ સૂચના જાહેર

કરી છે. એપીએમસીએ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા જણાવ્યું છે. વિશેષ રૂપે ખુલ્લામાં રાખવામાં આવેલાં ખેતઉત્પાદનો અને અન્ય માલ-સામાનની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આજે 7 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયાં સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Related Post