Super Food મખાનાને છાશમાં પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં થાય છે શું લાભ, જાણો:

Super Food મખાનાને છાશમાં પલાળીને ખાવાથી સ્વાસ્થ્યમાં થાય છે શું લાભ, જાણો
Email :

ઉનાળામાં ઠંડક મેળવવા મોટાભાગના લોકો છાશનો ઉપયોગ કરે છે. છાશ શરીરને ઠંડુ રાખવા સાથે અંદર રહેલ ગરમીને દૂર કરે છે. કેટલીક વખત છાશ ખાટી થઈ જવાથી શરીરમાં એસિડીટી થાય છે. કાળઝાળ ગરમીમાં સૂર્યના પ્રકોપના કારણે શરીરમાં પાણીની અછત સર્જાતા ચક્કર આવવા, લૂ લાગવી જેવી અનેક સમસ્યાઓ ઉદભવે છે. એટલે જ ગરમીની સ્થિતિમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે ઉનાળામાં શરીરને ઠંડક આપતી વસ્તુઓ ખાવી જોઈએ. 

ગરમીમાં મખાનાનું સેવન

ગરમીમાં સ્વાસ્થય તંદુરસ્ત રાખવા છાશની સાથે ગરમીમાં મખાનાનું સેવન અનેક લાભ આપશે. નિષ્ણાતો પણ ગરમીમાં છાશમાં મખાના પલાળી સેવન કરવાનું સૂચન કરતા હોય છે. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ મખાનાનું સેવન લાભકારક છે. ગરમીમાં છાશમાં મખાણા ખાવાથી અનેક આરોગ્યલાભ થાય છે, ખાસ કરીને ઉનાળાની તાપથી બચાવે છે. નિષ્ણાતના મતે મખાનાને છાશમાં પલાળીને ખાવાથી લાભ થાય છે પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થયમાં લાભ લેવા માટે મખાનાને છાશમાં પલાળો પરંતુ તેને બહાર ના રાખો. કારણ કે ગરમીમાં છાશ બહાર રાખવાથી ખાટી થઈ જશે એટલે છાશમાં મખાના પલાળ્યા બાદ તેને ફ્રિજમાં રાખો.આખી રાત મખાનાને છાશમાં પલાળો અને સવારે જ્યારે તેનું સેવન કરવાના હોવ ત્યારે બહાર કાઢો.

મખાના સ્વાસ્થ્યમાં લાભકારક

છાશમાં પલાળેલા મખાના ખાવાથી પુષ્કળ કેલ્શિયમ મળે છે. કારણ કે છાશમાં કેલ્શિયમ જેવા ખનિજો હોય છે અને કમળના બીજમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. છાશ અને મખાણા બંને શરીરને ઠંડક આપે છે, જે ઉનાળાની ગરમીમાં તાપથી રાહત આપે છે. છાશ પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે, અને મખાણાંમાં ફાઈબર હોય છે, પાચનમાં સહાયક બને છે.  છાશ ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપુર હોવાથી ડિહાઈડ્રેશનને દૂર કરે છે, અને મખાણા પણ શરીરમાં પાણીની ઉણપ જાળવવામાં મદદરૂપ થાય છે.  મખાણા પ્રોટીન અને કેલ્શિયમથી સમૃદ્ધ છે, જે હાડકાં અને દાંત માટે લાભદાયી છે.  મખાણાંમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરમાં ફ્રી રેડિકલ્સને ઘટાડે છે અને ત્વચાને સુરક્ષિત રાખે છે. છાશ તથા મખાણાનું એકસાથે સેવન કરવાથી શરીરને તાજગી મળવા સાથે ઉર્જામાં પણ વધારો થાય છે.

નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે

Leave a Reply

Related Post