સુરતી મોડલ આપઘાતનું રહસ્ય iphoneમાં?: દુકાને કામ હોવાથી મળવા ન જઈ શક્યો ને અંજલિને રાત્રે લટકતી જોઈ, ચાર સ્ટુડિયો સાથે કરતી હતી કામ

સુરતી મોડલ આપઘાતનું રહસ્ય iphoneમાં?:દુકાને કામ હોવાથી મળવા ન જઈ શક્યો ને અંજલિને રાત્રે લટકતી જોઈ, ચાર સ્ટુડિયો સાથે કરતી હતી કામ
Email :

સુરતના નવસારી બજારમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂન, 2025ની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ આપઘાત કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે. અત્યાર સુધી કોઈ આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સાથી મોડલો, મેકઅપ આર્ટિસ્ટ, કેમેરામેન સહિતનાના નિવેદન લેવાશે. આ સાથે જ મોડલનો આઈફોન ફેસલોક અને પીન લોક હોવાથી એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે ફોનના CDR(કોલ ડિટેઇલ રેકોર્ડ) મેળવીને વધુ તપાસ

કરવામાં આવી રહી છે. આ પણ વાંચો: અંજલિએ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો; અંતિમ રીલમાં લખ્યું- 'આજે તે અહેસાસ કરાવી દીધો કે હું તારા માટે કંઇ નથી' આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા માતા, એક ભાઈ અને એક બહેન સહિતના પરિવાર સાથે રહેતી હતી. અંજલિ મોડલ તરીકે ચાર સ્ટુડિયો સાથે કામ કરતી હતી. જેમાં રેવન્યુ બાય અલકાઉઝેર સ્ટુડિયો, પીએમ સ્ટુડિયો, સ્ટુડીયો ડોટ અને સરદાર માર્કેટ પાસે આવેલો

એક સ્ટુડિયો જે ફ્રીલાન્સ મોડલોને કામ આપે છે. આ પણ વાંચો: મોડલે આપઘાત કર્યો એ રાત્રે શું થયું? 'ફિયાન્સના માતાનું મોત થતા આવતા વર્ષે લગ્ન થવાના હતા' આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, 23 વર્ષીય અંજલિ વરમોરા ફ્રિલાન્સ મોડલિંગ કરતી હતી. સુરતના ચાર સ્ટુડીયો સાથે જોડાઈને તેમાં મોડલિંગનું કામ કરતી હતી. અંજલિની જેની સાથે સગાઈ થઈ છે તેની સાથે લગ્ન થવાના હતા. જોકે તેના ફિયાન્સની માતાનું મોત થઈ જવાથી આવતા વર્ષે લગ્ન થવાના હતા. 'ફિયાન્સને

એ રાત્રે મળવા બોલાવ્યો પણ કામ હોવાથી જઈ શક્યો નહીં' 'અંજલિના તેના ફિયાન્સ સાથે પણ આપઘાતની રાત્રે વાત થઈ હતી. એ અંગે ફિયાન્સે પોલીસને જણાવ્યું હતું કે, અંજલિ સ્ટ્રેસમાં કે કોઈ તણાવમાં હોય તેવું મને લાગ્યું ન હતું. અંજલિએ તેને મળવા માટે બોલાવ્યો હતો પણ તે જે દુકાન ચલાવે છે ત્યાં ગ્રાહક વધારે હોવાથી તે જઈ શક્યો ન હતો. જોકે તેને આ પ્રકારનું કંઈ થશે તેવો આઈડિયા ન હતો અને તે સુસાઇડ કરી લે છે.' આઇફોનમાં ફેસલોક અને પીનલોક,FSLમાં મોકલાયો 'અંજલિ

પાસે આઇ ફોન હોવાથી અને તેમાં ફેસ લોક અને પીન લોક હોવાથી તેનો પાસવર્ડ કોઈ જાણતું નથી. તેનો પાસવર્ડ પરિવારજનો પાસેથી અને તેના મિત્રો અને ફિયાન્સ પાસેથી પાસવર્ડની જાણ હોય તો તે અંગે માહિતી મેળવી રહ્યા છીએ. જોકે ફિયાન્સને પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યું છે. ફોનમાંથી કોઈ ડેટા રિકવર કરીને વધુ માહિતી મળી શકે તો તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ફોનને એફએસએલમાં પણ મોકલવામાં આવ્યો છે.' 'અંજલિના ફોનનો CDR આવી ગયો છે અને તેનું

એનાલિસિસ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આપઘાત કરતા પહેલા કોની સાથે વાત કરેલી હતી અને સૌથી વધુ કોની સાથે વાત થતી હતી તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ તપાસ બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.' ઇન્સ્ટાની બે પોસ્ટ કોને સંબોધીને લખી? 'આપઘાત કરતા પહેલા અંજલિએ સોશિયલ મીડિયામાં બે પોસ્ટ કરી હતી. જે બંનેમાં તે તણાવપૂર્ણ હોય તેવું લાગી રહ્યું. જોકે બંને પોસ્ટમાં કોઇનું પણ નામ લખ્યું નથી અને કોને સંબોધીને લખ્યું છે તે પણ એક રહસ્ય

જ છે. અંજલિના સૌથી વધુ ક્લોઝ કોણ કોણ હતું તેમના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.' 'મોડલ અંજલિ સાથે જેટલા પણ લોકો સંપર્કમાં હતા તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. અન્ય પણ ચારથી પાંચ મોડલ કામ કરી રહી હતી. તેમને પણ નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સાથે જ શૂટ સમયના કેમેરામેન, મેકઅપ આર્ટિસ્ટને પણ આઈડેન્ટીફાય કરી નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે.' '​​​​​​​અંજલિએ ફાયનાન્સિયલ તણાવમાં આ પગલું ભર્યું છે કે નહીં તે જાણવા માટે ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ પણ મંગાવી

તપાસ કરવામાં આવી રહી છે. હાલ IPDR(ઇન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઇલ રેકોર્ડ)ની તપાસ કરવામાં આવી રહી છે.' '​​​​​​​અંજલિની સગાઈ તેની મરજીથી જ કરવામાં આવી હતી. સગાઈને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હતો. અંજલિ અને તેનો ફિયાન્સ બંને સાથે ઘણો સમય પણ વિતાવતા હતા. તેના ફિયાન્સે પોલીસને જણાવ્યું છે કે, અંજલિ આ રીતનું પગલું ભરી લેશે તેઓ તેને અંદાજ પણ ન હતો અને અંજલિના આ પગલાના કારણે તેને આઘાત પણ લાગ્યો છે.' 'બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ,

વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે' આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં 'બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે'ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં 'આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે'નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે.

Leave a Reply

Related Post