તમિલ સ્ટાર જયમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ગુસ્સાથી લાલઘૂમ: આક્ષેપો પર કહ્યું- તેમનું ઘર ભાંગવા હું જવાબદાર હોઉં તો મને સળગાવી દો અથવા કોર્ટમાં ઢસડી જાવ

તમિલ સ્ટાર જયમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ગુસ્સાથી લાલઘૂમ:આક્ષેપો પર કહ્યું- તેમનું ઘર ભાંગવા હું જવાબદાર હોઉં તો મને સળગાવી દો અથવા કોર્ટમાં ઢસડી જાવ
Email :

તમિલ સુપરસ્ટાર રવિ મોહન ઉર્ફે જયમ રવિ હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. 2024 થી પત્ની આરતી રવિથી અલગ રહેતા જયમનું નામ સતત સિંગર કેનિશા સાથે જોડાઈ રહ્યું છે. હવે કેનિશા ફ્રાન્સિસે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું છે કે- 'જો તેઓ ખોટા છે તો તેમને કેમ સળગાવી નાખતા નથી.' સિંગર કેનિશાએ ગુરુવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્ક્રીનશોટ શેર કર્યા. આમાં તેણે બતાવ્યું કે કેવી રીતે જયમ રવિના લગ્ન તોડવા માટે તેના પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ

નહીં, તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. કેનિશાએ લખ્યું, 'હું મારું કોમેન્ટ સેક્શન બંધ કરી રહી નથી કે ભાગી રહી નથી. મારી પાસે કોઈથી છુપાવવા જેવું કંઈ નથી. તમને મારા કામ પર સવાલ ઉઠાવવાનો અધિકાર છે, પણ કૃપા કરીને તે મારી સામે આવીને કરો.' 'હું આપ સૌ સમક્ષ અને જાહેરમાં મારો પક્ષ રજૂ કરવા તૈયાર છું. અને એ બતાવવા માટે કે કેવી રીતે એક વ્યક્તિનું જૂઠું તમારા બધાની સચ્ચાઈ છે. જો તમને લાગે કે મારી આસપાસ જે કંઈ થઈ

રહ્યું છે તેના માટે હું જવાબદાર છું, તો મને કોર્ટમાં ઘસડી જાઓ. હું તમને વિનંતી કરું છું - મને કોર્ટમાં લઈ જાઓ! યોગ્ય ન્યાય કરો! સિંગરે આગળ લખ્યું, 'શું તમારામાંથી કોઈ પણ એ વિચારવા અટક્યું છે કે તમારા શાપ અને દુર્વ્યવહારને કારણે હું કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહી છું.' તમે મને દુઃખ પહોંચાડવા માટે કર્મ વિશે વાત કરે છે, પણ જ્યારે સત્ય બહાર આવશે - કાયદેસર અને કાયદાકીય રીતે - ત્યારે હું તમારા પર પણ આવું દુ;ખ આવે તેવી ઇચ્છા નહીં કરું. હું

જાણું છું કે ઘણા લોકો મારી પરિસ્થિતિ અને મારા દુ:ખને સંપૂર્ણપણે સમજી શકતા નથી. કદાચ આ જ કારણ છે કે મારા વિશે આવા શબ્દો કહેવા કે માનવા સરળ બની ગયા છે. બીજાઓની ધારણા તેમને અંદરથી દુઃખી કરી રહી છે તે જોઈને દુઃખ થાય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સત્ય જલ્દી બહાર આવે. જો મેં કોઈ ભૂલ કરી હોય, તો હું કાયદા સમક્ષ જવાબદારી લેવા તૈયાર છું. ત્યાં સુધી, શું મને નફરત વિના જીવવાનો થોડો પણ અધિકાર મળી શકે?' બીજી પોસ્ટમાં તેણે

લખ્યું, 'હે પ્રભુ, તમે મારા માટે આ રસ્તો પસંદ કર્યો છે અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું મારી જાતને બધાની સામે સમર્પિત કરું છું. એ લોકો સામે પણ જે સત્યથી વાકેફ છે, જે જાણે છે કે શું થયું કોના કારણે દર્દ ફેલાઈ દુઃખ ફેલાઈ રહ્યું છે. પ્રભુ, કૃપા કરીને સત્ય પ્રગટ કરો. જો મેં કોઈ ભૂલ કરી હોય, તો મને સળગાવી નાખો અથવા મને તમારી પાસે બોલાવો. હું શરણાગતિ સ્વીકારવા તૈયાર છું. ઓમ નમઃ શિવાય.' જયમ રવિ અને તેમની પત્ની આરતી

રવિ 15 વર્ષથી રિલેશનશિપમાં છે પરંતુ હવે તેમના વૈવાહિક જીવનમાં ઊથલપાથલ સર્જાઈ છે. સપ્ટેમ્બર 2024 માં, એક્ટરે છૂટાછેડા માટે અરજી કરી અને પોતાનું ઘર છોડી દીધું હતું. આ કેસ હાલમાં ચેન્નાઈની એડિશનલ ફેમિલી કોર્ટમાં પેન્ડિંગ છે. દરમિયાન, ગાયક કેનિશા ફ્રાન્સિસ સાથે જયમ રવિની વધતી જતી નિકટતાએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું. જોકે, જયમે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. કેનિશા ફ્રાન્સિસ સાથે ડેટિંગના સમાચાર પર તેણે કહ્યું કે તે ગાયક સાથે એક આધ્યાત્મિક ઉપચાર કેન્દ્ર ખોલવા જઈ રહ્યો છે. છૂટાછેડા સાથે તેનો કોઈ સંબંધ નથી.'

Leave a Reply

Related Post