પાંચ દિવસ ગરમી તોબા બોલાવશે: અમદાવાદ, રાજકોટ અને કચ્છ રડારમાં, પારો 44 ડિગ્રીને પાર કરી શકે, શહેરોમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ

પાંચ દિવસ ગરમી તોબા બોલાવશે:અમદાવાદ, રાજકોટ અને કચ્છ રડારમાં, પારો 44 ડિગ્રીને પાર કરી શકે, શહેરોમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ
Email :

રાજ્યમાં ગરમીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. મંગળવારે પણ રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. પરંતુ 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાત પ્રદેશના કેટલાક ભાગો અને

સૌરાષ્ટ્ર-કચ્છમાં 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે.સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં દિવસના તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો જોવા મળ્યો છે. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. કચ્છના કેટલાક ભાગોમાં આ તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું, સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર રીતે સામાન્યથી ઉપર હતું, બાકીના પ્રદેશમાં સામાન્ય જોવા મળ્યું હતું. તે સિવાય આજથી 24 એપ્રિલ સુધી અને ત્યારબાદ 27 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ

રહેશે. 22 એપ્રિલે રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન ગાંધીનગરનાં જનસેવા કેન્દ્રો પર ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી ગાંધીનગર જિલ્લાનાં જનસેવા કેન્દ્રો ખાતે આવતા અરજદારો માટે ખાસ છાંયડો, ઠંડા પાણી, ORS જેવી વ્યવસ્થાઓ કરવા કલેક્ટરની સૂચનાનાં પગલે ગાંધીનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ઉપરાંત અન્ય તાલુકાનાં જનસેવા કેન્દ્રો પર પણ ગરમી સામે રક્ષણ મેળવી શકાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. એકતાનગર જંગલ સફારીમાં પશુ-પંખીઓને રાહત આપવાનો પ્રયાસ ગુજરાતમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો હોઈ, એકતાનગર જંગલ સફારીમાં પશુ-પક્ષી માટે એસી, કૂલર, સિંકલર અને ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Related Post