અમેરિકાએ કહ્યું- ભારત-પાક. સંઘર્ષમાં અમારે લેવાદેવા નથી: હથિયાર હેઠાં મૂકવાનું ન કહી શકીએ; પાકિસ્તાન લીગ UAEમાં શિફ્ટ

અમેરિકાએ કહ્યું- ભારત-પાક. સંઘર્ષમાં અમારે લેવાદેવા નથી:હથિયાર હેઠાં મૂકવાનું ન કહી શકીએ; પાકિસ્તાન લીગ UAEમાં શિફ્ટ
Email :

ગુરુવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ વધ્યો. ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. ભારતે તેની S-400 સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો. દરમિયાન, પાકિસ્તાની સેનાનો દાવો છે કે તેણે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા 25 ભારતીય ડ્રોનને તોડી પાડ્યા છે. લશ્કરી પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કરાચી

અને લાહોર જેવા શહેરોને નિશાન બનાવ્યા હતા. આ માટે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ગુરુવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર થયેલા ડ્રોન હુમલા બાદ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવીએ કહ્યું છે કે ભારત તરફથી ક્રિકેટ સ્ટેડિયમ પર સંભવિત હુમલાઓને ટાળવા માટે પાકિસ્તાન સુપર લીગ (PSL) ની બાકીની મેચો હવે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં રમાશે. ઓપરેશન સિંદૂરના બીજા દિવસે ભારતે પાકિસ્તાન સામે

મોટી કાર્યવાહી કરી હતી. ગુરુવારે સવારે ભારતની સ્ટ્રાઈકમાં પાકિસ્તાનના ત્રણ મુખ્ય શહેરો, લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 વાયુ સંરક્ષણ પ્રણાલીઓ નાશ પામી હતી. સમાચાર એજન્સી ANI એ આ માહિતી આપી છે. ભારતે આ હુમલા માટે ઇઝરાયલી હાર્પી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જે હાર્પી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો એના વિશે જાણો... પાકિસ્તાનમાં શું-શું ચાલી રહ્યું છે એ વાંચવા માટે નીચે બ્લોગ પર જાઓ...

Leave a Reply

Related Post