આવતીકાલથી શરૂ થશે અગ્નિ પંચક, ભૂલથી પણ ન કરતા આ કાર્યો નહીંતર…:

આવતીકાલથી શરૂ થશે અગ્નિ પંચક, ભૂલથી પણ ન કરતા આ કાર્યો નહીંતર…
Email :

જ્યોતિષ શાસ્ત્રમાં પંચકને એક ખાસ ખગોળીય પરિસ્થિતિ માનવામાં આવે છે જે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે થાય છે. પંચક એ 5 નક્ષત્રોનો સમૂહ છે જેમ કે, ધનિષ્ઠ, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી. દરેક મહિનામાં 5 દિવસ એવા હોય છે જે અશુભ માનવામાં આવે છે. 5 પાંચ દિવસોને પંચક કહેવામાં આવે છે.

પંચકનો સમયગાળો શુભ કાર્યો માટે અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કેટલાક કાર્યો ટાળવા જોઈએ. એવી ધાર્મિક માન્યતા છે કે પંચક દરમિયાન નિષિદ્ધ કાર્યો કરવાથી વ્યક્તિ પર પ્રતિકૂળ અસર પડે છે.

મે મહિનામાં પંચક ક્યારે શરૂ થાય છે?

હિન્દુ કેલેન્ડર મુજબ, મે મહિનામાં પંચક 20 મેના રોજ સવારે 7:35 વાગ્યે શરૂ થશે અને 24 મેના રોજ બપોરે 1:53 વાગ્યે સમાપ્ત થશે. 20 મે મંગળવારે આવી રહી છે અને મંગળવારથી શરૂ થતા પંચકને અગ્નિ પંચક કહેવામાં આવે છે. અગ્નિ પંચક દરમિયાન અગ્નિ સંબંધિત કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે.

મે મહિનામાં પંચક મંગળવારથી શરૂ થાય છે અને જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારથી શરૂ થતા પંચકને અગ્નિ પંચક કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ પંચક અગ્નિ સંબંધિત કાર્યો જેમ કે જમીન ખોદકામ, અગ્નિ સંબંધિત કાર્યો, બાંધકામ કાર્ય વગેરે માટે અશુભ માનવામાં આવે છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોર્ટ અને કાનૂની બાબતોમાં શુભ પરિણામો પ્રાપ્ત થાય છે.

પંચક દરમિયાન આ કર્યો ન કરવા જોઈએ

પંચક દરમિયાન લગ્ન, સગાઈ અને ગૃહસ્થી વગેરે ન કરવા જોઈએ

પંચક દરમિયાન દક્ષિણ તરફ મુસાફરી ન કરવી જોઈએ

પંચક દરમિયાન લાકડાની વસ્તુઓ ન ખરીદવી જોઈએ

પંચક દરમિયાન નવા ઘરનું બાંધકામ શરૂ ન કરવું જોઈએ

પંચક દરમિયાન નવું વાહન કે સોનું કે ચાંદી ન ખરીદવું જોઈએ

પંચક દરમિયાન પૈસા સંબંધિત વ્યવહારો પણ ન કરવા જોઈએ

પંચક દરમિયાન કોઈએ ખાટલો ન બનાવવો જોઈએ કે ઘરની છત ન બનાવવી જોઈએ

પંચકના 5 દિવસોમાં નવો ધંધો કે રોકાણ શરૂ ન કરવું જોઈએ

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ વાતની પુષ્ઠી કરતું નથી તેથી કોઈપણ કાર્ય કરતા પહેલા જ્યોતિષની સલાહ લો.

Leave a Reply

Related Post