વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ: સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી!

વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ:સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ડિસેમ્બરમાં ચૂંટણી!
Email :

ટિકેન્દ્ર રાવલ

વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની એક લાખથી વધુ બેઠકો/વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એકસાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતની તમામ બેઠકો સામેલ હશે. ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પંચાયતોના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ચાર મહિનામાં પૂરી થવાની શક્યતા છે. જૂની પાલિકા-પંચાયતોની મુદ્દત પણ માર્ચ 2026માં પૂરી થઇ રહી છે. નવી પાલિકાઓ સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ ચારથી છ મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ, 17 મહાનગરપાલિકાની 1200 બેઠકો,149 નગરપાલિકાની આશરે 4000, 34 જિલ્લા પંચાયતની 1300 અને 231 તાલુકા પંચાયતની 4000 અને 14600 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એકસાથે કરવામાં આવશે. આ તમામ ચૂંટણીઓ ડિસે. 2025 સુધી { 2 વર્ષથી મુદત પૂરી થઈ ગયેલી 5 હજાર ગ્રામ પંચાયત, નવી બનેલી 384 ગ્રામ પંચાયત અને ડિસેમ્બર 2026માં મુદત પૂરી થઈ રહેલી 9 હજાર પંચાયત ચૂંટણી 2025ના અંતમાં થશે. 14600 પંચાયતોની ચૂંટણી એકસાથે થશે.
{ ફેબ્રુઆરી 2026માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાની મુદ્દત પૂરી થઇ રહી છે.
{ માર્ચ 2026માં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની મુદત પૂરી થઇ રહી છે.
આ તમામ મુદ્દત વહેલી મોડી કરીને પણ ડિસેમ્બર 2025 સુધીમાં કરવામાં આવી શકે છે. એક મત પાછળ 100 રૂપિયા
ખર્ચ થવાનો અંદાજ
{ વન નેશન વન ઇલેક્શન માટે સૌથું મોટું કારણ ચૂંટણી ખર્ચ છે. ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં 375 કરોડ થયાનો અંદાજ હતો. તે વખતે ગુજરાતમાં 4.80 કરોડથી વધુ મતદાતા હતા. એટલે કે પ્રતિ મતદારે અંદાજે 75 રૂપિયાનો ખર્ચ થયો હતો. 2027 વિધાનસભા ચૂંટણીમાં પ્રતિ મતદારે ખર્ચ 100 રૂપિયા થવાનો અંદાજ છે. લોકસભા 2024 ચૂંટણીમાં દેશમાં પ્રતિ મતદારે 100 રૂપિયા ખર્ચ થયો હતો. હાલ 40% ગ્રામ પંચાયત વહીવટદારના ભરોસે ચાલે છે
{ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી 3 હજાર કરતા વધુ ગ્રામ પંચાયતની મુદત પૂરી થઈ ગઈ હોવાથી 3252 પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. 6 મહિનામાં ચૂંટણી યોજવી અનિવાર્ય છે. પરંતુ, લગભગ 40% પંચાયતો અને પાલિકાઓમાં તલાટી, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર, મામલદારના વહિવટ હેઠળ કામગીરી ચાલી રહી છે. ભાજપ 50 હજાર ઠરાવો રાષ્ટ્રપતિને મોકલશે
{ ગુજરાતમાં ભાજપ દ્વારા વન નેશન વન ઇલેક્શનનું અભિયાન ચાલી રહ્યું છે. જેમાં અલગ અલગ સંસ્થાઓ, શાળા કોલેજો, સોસાયટીમાં જઈને વન નેશન વન ઇલેક્શન અંગેના ઠરાવો કરાવી રાષ્ટ્રપતિને મોકલવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Related Post