સાબરકાંઠાના જળાશયોમાંથી સિંચાઈનું છેલ્લું પાણી છોડાયું: હાથમતી, ગુહાઈ, ખેડવા અને હરણાવમાંથી માર્ચ સુધી 21,850 હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે

સાબરકાંઠાના જળાશયોમાંથી સિંચાઈનું છેલ્લું પાણી છોડાયું:હાથમતી, ગુહાઈ, ખેડવા અને હરણાવમાંથી માર્ચ સુધી 21,850 હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે
Email :

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે જળાશયોમાંથી છેલ્લું સિંચાઈ પાણી શરૂ કરવામાં આવ્યું છે. દિવાળી બાદ શરૂ થયેલી સિંચાઈની કામગીરી માર્ચ 2025માં પૂર્ણ થશે. જિલ્લા સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર ઉજાશ પટેલના જણાવ્યા અનુસાર, હાથમતી જળાશયમાંથી અ, બ અને ક ઝોનની કેનાલ દ્વારા

8 હજાર હેક્ટરમાં સિંચાઈનો લાભ મળશે. ખેડવા જળાશયથી 400 હેક્ટર અને હરણાવથી 650 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થશે. ગુહાઈ જળાશયમાંથી 2,800 હેક્ટર વિસ્તારને લાભ મળશે. ધરોઈ ડાબા કાંઠા કેનાલમાં છ પાણીના આયોજન સામે હાલમાં પાંચમું પાણી ચાલી રહ્યું છે. આનાથી 10 હજાર હેક્ટર વિસ્તારમાં

સિંચાઈનો લાભ મળશે. જળાશયોમાંથી સિંચાઈનું પાણી અલગ-અલગ તારીખે બંધ થશે. હરણાવ જળાશયમાંથી 6 માર્ચે, ગુહાઈમાંથી 7 માર્ચે, હાથમતી જળાશયના અ ઝોનમાં 10 માર્ચે, ખેડવામાંથી 12 માર્ચે, હાથમતી જળાશયના બ ઝોનમાં 15 માર્ચે અને ધરોઈમાંથી 25 માર્ચ 2025ના રોજ સિંચાઈનું પાણી બંધ કરવામાં આવશે.

Related Post