વનવિભાગે એકશન પ્લાન બનાવ્યો: જંગલો, ડુંગરો, મેદાન, દરિયા, નદીમાં પહોંચી સિંહ પ્રજાતીની ગણતરી કરાશે

વનવિભાગે એકશન પ્લાન બનાવ્યો:જંગલો, ડુંગરો, મેદાન, દરિયા, નદીમાં પહોંચી સિંહ પ્રજાતીની ગણતરી કરાશે
Email :

ગીરમાં વસતી એશિયાટીક સિંહ પ્રજાતિની વસ્તી ગણતરીનું ભગીરથ કાર્ય આગામી 10થી 13 મે વચ્ચે પ્રાથમિક અને આખરી બે તબક્કામાં કરવામાં આવશે. 2020માં સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં ગણતરી કાર્ય થયેલ આ વખતે બે જિલ્લા નવા ઉમેરી 35000 સ્કેવર કિલોમીટર એટલે કે સૌરાષ્ટ્રના જંગલો, ડુંગરો, મેદાન, ખેતરો, નદી, દરિયા, કોતરો સુધી પહોંચવાનો વનવિભાગે પ્લાન બનાવ્યો છે. 3000 લોકો આ ગણતરી કાર્યમાં

જોડાશે. 58 તાલુકામાં 735 બ્લોકમાં ગણતરી કરવામાં આવશે. સિંહ વસ્તી અંદાજ 2025માં વનવિભાગ દ્વારા આગામી 10મેના બપોરે બે વાગ્યાથી 11મેના બે વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી કરાશે. આખરી ગણતરી 12મેનાં બપોરે બે વાગ્યાથી 13મેનાં બપોરે 2 વાગ્યા સુધી કરાશે. 35000 કિલોમીટરના એરીયાને કવર કરવા 8 રીજીયન, 32 ઝોન, 112 સબઝોનમાં બનાવાયેલા 735 ગણતરી એકમોમાં ગણતરી હાથ ધરાશે. ડાયરેક્ટ બીટ

વેરિફીકેશનથી ગણતરી થશે સિંહ વસ્તી ગણતરી માટે વનવિભાગ દર પાંચ વર્ષે કામગીરી કરે છે. પાછલી ગણથરી દરમિયાન વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવેલ ગણતરીમાં રહેલી ખામી અને ત્રુટીઓ દૂર કરવા બીટ વેરીફીકેશન પદ્ધતિ સાથે મોર્ડન ટેકનોલોજી અને ડિજીટલ ફોટોગ્રાફનો ઉપયોગ કરાશે. જીપીએસ સીસ્ટમથી લોકેશન ટ્રેસ કરાશે. ગીરથી લઈને મધ્યગુજરાત સુધી સિહની શોધખોળ થશે 1 અમદાવાદ, 2 અમરેલી, 3 ભાવનગર, 4

બરોડા, 5 ગીર સોમનાથ, 6 દેવભુમિ દ્વારકા, 7 જામનગર, 8 જૂનાગઢ, 9 રાજકોટ, 10 પોરબંદર, 11 સુરેન્દ્રનગર આમ આ વર્ષે દેવભુમિ દ્વારકા અને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ જિલ્લાને પણ સાવજોની ગણતરીમાં આવરી લેવાયા છે. દિવ સહિતના કોસ્ટલ એરિયામાં ગણતરી થશે સિંહ પ્રજાતી દરિયાકાંઠા સુધી વિસ્તરી ચૂકી હોય સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાવજો 1990 બાદથી જોવા મળ્યા છે. દિવ, મુળદ્વારકા,

રાજુલા, પીપાવાવ, માંગરોળ, માધવપુર ઘેડના દરિયા પર સિંહના આવતા હોય આ વિસ્તારો પણ ગણતરીમાં સમાવાયા છે. 12 ડોક્ટરોની ટીમ ખડેપગે સેવા આપશે ડીએફઓ ડો. મોહનરામએ જણાવ્યું હતું કે, તમામ ગણતરીકારો સિંહના માર્કીંગ કરી ફોર્મ સબમીટ કરશે અને દરેક સિંહોના ફોટોગ્રાફ લેશે જેથી ચોકસાઈ પૂર્વક ગણતરી થઈ શકે આ માટે ગણતરીકારોને ડિજીટલ કેમેરા આપવામાં આવશે. 3000 લોકો ગણતરી કાર્યમાં જોડાશે.

તેમને કોઈ હેલ્થ ઈશ્યુ આવે તો 12 ડોક્ટરોની ટીમ અલગ 8 અલગ રીજનલમાં રાઉન્ડ ઉપર રહેશે જેમની માનદસેવાથી કોઈ આરોગ્યલક્ષી પ્રશ્ન ઉભો થાય તો તાત્કાલીક સારવાર આપી શકાય. . તસવીર -જીતેન્દ્ર માંડવીયા સિંહ ગણતરી માટે ગીર અભ્યારણ્ય, દેવળીયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક, બરડા સફારી પાર્ક સહિતના તમામ પ્રવાસન સ્થળો 9મેં થી 13મે સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

Leave a Reply

Related Post