અમદાવાદમાં આજે કોરોનાના વધુ 70 કેસ: અત્યાર સુધીમાં ત્રણ મોત અને કુલ કેસ 471 થયા, દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે

અમદાવાદમાં આજે કોરોનાના વધુ 70 કેસ:અત્યાર સુધીમાં ત્રણ મોત અને કુલ કેસ 471 થયા, દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે
Email :

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, આજે(5 જૂન, 2025)અમદાવાદ શહેરમાં 70 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 471 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં હાલમાં 320 જેટલા એક્ટિવ કેસ છે. 149 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ શહેરના

પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, આશ્રમરોડ, વાડજ, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સુભાષબ્રિજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોપલ ઘુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં 200થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એટલે 4 જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 78 દર્દીઓને હોસ્પિટલમાંથી

રજા આપી દેવામાં આવી છે. સોલા સિવિલ હોસ્પિટલના RMO દેવાંગ શાહની ન્યુ ગુજરાત સાથે થયેલી વાત પ્રમાણે ઉપરોક્ત 14 દર્દીઓ પૈકી 13 મહિલાઓ હતી. તેમાંથી એક મહિલા ચાલુ સારવારમાં હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી. બાકી દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. વર્તમાનમાં એક મહિલા સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ આવતા દાખલ છે. કોરોના પોઝિટિવ 3 દર્દીઓએ

મેડિકલ એડવાઇઝ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધું હતું. તો 4 દિવસના બાળકને તેના પરિવારે વિનંતી કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં કોરોનાના 43 એક્ટિવ કેસ રાજકોટમાં આજે વધુ 7 નવા કેસ નોંધાયા છે જેની સામે 7 દર્દીઓ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 68 કેસ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓને રજા

આપી દેવામાં આવી છે. 41 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 2 સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે.

મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે, જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે. અત્યારસુધી 3 મહિલાનાં મોત અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો. એ બાદ તેનું સારવાર દરમિયાન ગઈકાલે(4 જૂન) મૃત્યુ થયું હતું. જેથી, અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે.

Leave a Reply

Related Post