JKમાં ફસાયેલા 50 ગુજરાતીઓની વ્યથા: અહીં ખાવા-પીવાનાં ફાંફાં, બાળકો પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાય છે; ગાંધીનગર-પાલનપુર કલેક્ટર એક્શન મોડમાં

JKમાં ફસાયેલા 50 ગુજરાતીઓની વ્યથા:અહીં ખાવા-પીવાનાં ફાંફાં, બાળકો પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાય છે; ગાંધીનગર-પાલનપુર કલેક્ટર એક્શન મોડમાં
Email :

જમ્મુ અને કાશ્મીરના રામબનમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત થયા હતા. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વીડિયો વાઇરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી હતી. જે બાદ સરકાર તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી દીધી છે. તો આવો જાણીએ, જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી​ મુસાફરોની વ્યથા વિશે... પ્લીઝ..અમને લેવા આવો ગમે-તેમ કરીને.. વીડિયોમાં દેખાય છે કે, ગાંધીનગર

અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબિકા નામની ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાનાં બાળકોથી લઈને ઉંમરલાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યાં છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરતા જણાવ્યું કે, અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે, અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતા નથી, અમારાં છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાઇ રહ્યાં છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છો. અમારી પાસે ખાવા-પીવા માટે પણ કંઈ નથી: મુસાફર મારું નામ કેતન છે. અમે 12 તારીખે જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે નીકળ્યા હતા. જ્યારે 19 તારીખે

શ્રીનગરથી પરત આવી રહ્યા હતા. ત્યારે ભારે વરસાદના કારણે ભેખડો પડવાથી અહીંયાં રસ્તા તૂટી ગયા છે. જેના કારણે અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. મારી ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને જેટલી બને એટલી જલદી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. જમ્મુ-કાશ્મીર તરફથી અમને યોગ્ય જવાબ નથી મળ્યો. અમારી પાસે ખાવા માટે કે પાણી પીવા માટે પણ કોઈ સુવિધા નથી. અમે 30 જણા ગાંધીનગર અને 20 જણા પાલનપુર એમ કુલ 50 જણા ફેમિલી સાથે છીએ અને સાથે નાનાં બાળકો પણ છે. અમારો જીવ ખતરામાં છે. તો ગુજરાત સરકારને વિનંતી છે કે, અમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડો. 'રસ્તો ક્લિયર

થઈ ગયા પછી તમામને પરત લવાશે' ગાંધીનગર સેકટર-14માં રહેતા અને હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા બાબુભાઈ સોલંકીના પુત્ર યુવરાજ સોલંકીએ આજે સવારે જણાવ્યું કે, મારા પિતા બાબુભાઈ સહિતના ત્યાં સુરક્ષિત છે. ભૂસ્ખલનના લીધે રસ્તા બંધ થઈ ગયા છે. તમામ પ્રવાસીઓને આજે સવારથી CRPF કેમ્પમાં લઈ જવાની તજવીજ શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. રસ્તો ક્લિયર થઈ ગયા પછી તમામને પરત લાવવામાં આવશે. ત્યાં પોસ્ટ પેડ કાર્ડની સર્વિસ જ ચાલુ છે. એટલે મારા પિતા સાથે અન્ય કોઇના ફોન મારફતે વાત થઈ છે. 'બે કલાક પહેલાં વાત થયેલી એ પછી કોઈ કોન્ટેક્ટ નથી' વરાજ સોલંકીએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે, મારા પિતા

તેમજ સેક્ટર- 14 અને વાવોલ તેમજ બીજા ગાંધીનગરના લોકો જમ્મુ-કાશ્મીર ગયા હતા. આજે બપોરના સમયે ભૂસ્ખલનના લીધે એ લોકો ફસાઈ ગયા હોવાની જાણ થઈ હતી. બે કલાક પહેલાં વાત થયેલી એ પછી કોઈ કોન્ટેક્ટ નથી. કોઈ અજાણ્યા નંબરથી ફોન ઉપર વાત થાય છે. પણ બે કલાક થયા હજી વાત થઈ નથી. જો કે એ લોકો સેફ હોવાની વાત મળી છે. હાલમાં અમે બધાં ચિંતામાં છીએ. મોડી રાત્રે તમામ મુસાફરોને જમવાનું અપાયું: કલેક્ટર (ગાંધીનગર) મોડી રાત્રે ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, 20-25 મિનિટ પહેલાં ત્યાંના વહીવટી તંત્ર અને આર્મી સાથે વાત થઈ છે. જેઓના કહેવા મુજબ

બધા પેસેન્જર સુરક્ષિત છે. જેઓને હમણાં જમવાનું પણ આપવામાં આવ્યું છે. વાત થયા મુજબ ભૂસ્ખલનના લીધે રસ્તો બંધ છે. નેટવર્ક ઈસ્યુ હોવાથી મુસાફરો સાથે બહુ વાત થતી નથી પણ કેતન અને બાબુભાઈ સાથે વાત થઇ છે. આર્મી તેમજ ત્યાંનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રસ્તો ક્લિયર કરાવવામાં લાગ્યું હોવાનું જાણ્યું છે, ગાંધીનગરના તમામ મુસાફરો સુરક્ષિત છે. 'સાણંદના એક બહેનના થકી પ્રવાસનું આયોજન થયેલું' ગાંધીનગરથી જમ્મુ-કાશ્મીર ગયેલા સેકટર -14ના કિશોરભાઈ અને તેમનાં પત્ની પુષ્પાબેન સોલંકીનાં દીકરી રાજેશ્વરીબેને ન્યુ ગુજરાત ડિજિટલ સાથેની વાતચીતમાં કહ્યું કે, 12 થી 24 તારીખ સુધીનો પ્રવાસ હતો. સાણંદના એક બહેનના થકી પ્રવાસનું આયોજન થયેલું

હતું. આજે સાડા આઠેક વાગે ટ્રાવેલ્સના ડ્રાઈવરના મોબાઇલ થકી મારાં માતા-પિતા સાથે વાત થયેલી, ત્યાં નેટવર્કનો બહુ ઈસ્યુ છે. પાલનપુરથી લકઝરી આવેલી અને મારાં માતા-પિતા સહિતના પ્રવાસીઓ અહીંથી નીકળ્યા હતા. ટેલિફોનિક વાત થયા મુજબ તેમને બપોરના સમયે ખીચડી-નાસ્તો આપવામાં આવ્યો હતો. બસ ભૂસ્ખલનથી દોઢેક કિ.મી દૂર ફસાઈ છે. નેટવર્ક ઈસ્યુના લીધે તેઓની સાથે હજી વાત થઈ શકી નથી. હવે જાણીએ,,વીડિયો વાઇરલ થયા બાદ શું થયું? બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ: કલેક્ટર, બનાસકાંઠા મુસાફર કેતનનો વીડિયો વાઇરલ થતાં જ બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા રામબનના કલેક્ટર અને બસમાં હાજર કેતન નામના મુસાફર સાથે સીધી વાતચીત કરવામાં આવી

છે. રામબન જિલ્લા પ્રશાસનની ટીમ બચાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે, અને હાલ બસ ફક્ત ખરાબ હવામાનના કારણે અટવાઈ છે. ગાંધીનગરના બધા પેસેન્જરો સેફ છે: કલેક્ટર આ બાબતે ન્યુ ગુજરાતે ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે સાથેની વાતમાં કહ્યું કે, રામબાણમાં ગાંધીનગરના 20 પેસેન્જરો જે જગ્યાએ છે એ સેફ છે. મારે બનાસકાંઠા કલેક્ટર સહિતના અધિકારી સાથે વાત થઇ છે. ગાંધીનગરના બધાં પેસેન્જરો સેફ છે. ટ્રાવેલ્સની વિગતો તેમજ ગાંધીનગરના પ્રવાસીઓની વિગતો મેળવવામાં આવી રહી છે. વડગામના લોકો પણ જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા છે: જિજ્ઞેશ મેવાણી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના વણકર સમાજના અને અન્ય

સમાજના જે લોકો જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા છે, એ મુદ્દે હાલ જ મારી ત્યાંના IAS અધિકારી બશીર સાથે વાત થઈ. તેમણે કહ્યું કે, અમને સાંજથી આ લોકો તકલીફમાં છે એનો મેસેજ મળી ગયો છે, ખાસ કોઈ ચિંતા જેવું નથી, 10:30 સુધીમાં આર્મી અને પોલીસની ટીમ પહોંચી જશે અને જે પણ જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવશે. અન્ય સુરક્ષિત રસ્તેથી તેઓને બહાર કાઢવામાં આવશે. થોડો સમય લાગશે પણ બધા હેમખેમ પરત ફરશે. ત્યાંના કોંગ્રેસ પક્ષના અન્ય સાથીઓને પણ જરૂર પડ્યે મદદ માટે દોડી જવા કહ્યું છે. આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં ભૂસ્ખલન બાદ અનેક વાહનો ફસાયાં; 3નાં મોત

Leave a Reply

Related Post