સિટી બસના ડેશ કેમમાં કેદ થયાં અકસ્માતનાં દૃશ્યો: ડ્રાઇવરનું લાઇસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર, ભાજપના મહામંત્રીએ કહ્યું હતું, કોન્ટ્રેક્ટ આપો, મારે અને વિક્રમે જ કામ સંભાળવાનું છે

સિટી બસના ડેશ કેમમાં કેદ થયાં અકસ્માતનાં દૃશ્યો:ડ્રાઇવરનું લાઇસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર, ભાજપના મહામંત્રીએ કહ્યું હતું, કોન્ટ્રેક્ટ આપો, મારે અને વિક્રમે જ કામ સંભાળવાનું છે
Email :

રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે 16 એપ્રિલ બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો. ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખૂલતાંની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવતી સિટી બસના ચાલકે એકસાથે સાતથી આઠ વાહનને અડફેટે લીધાં હતાં અને નિર્દોષ લોકોનાં શરીર ઉપર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ સિટી બસના ડેશ કેમમાં અકસ્માતનાં હચમચાવતાં દૃશ્યો કેદ થઈ ગયાં છે. અકસ્માત બાદ પોલીસે તપાસ કરતાં બસચાલકનું ડ્રાઈવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. આ ગોઝારા અકસ્માત પાછળ ભાજપનાં મોટાં માથાંની ખાયકી વૃત્તિ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સિટી બસમાં ડ્રાઇવરની ભરતી સહિતની જવાબદારી ભાજપનો પૂર્વ આગેવાન વિક્રમ ડાંગર સંભાળતો હતો અને તેને આ જગ્યા પર સેટ કરવામાં ભાજપના એક વહીવટદાર મહામંત્રી અને એક સિટી એન્જિનિયરની ભૂમિકા હોવાની પણ જોરશોરથી ચર્ચા શરૂ થઇ છે.​​​ આ તરફ RMCએ સિટી

બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકી સ્ટોપ પેમેન્ટ કર્યું છે. આખા કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ પેમેન્ટ ન ચુકવવા માટે મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. 8 કરોડ રૂપિયા ડિપોઝીટ અને 22 કરોડ રૂપિયાનું કંપનીનું બાકી બિલ અટકાવી દેવામાં આવ્યું છે. સિટી બસના ડેશ કેમનાં દૃશ્યો પેટા કોન્ટ્રેક્ટ મેળવવા પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગરને લઈને પીએમઆઇના ડેપોએ ગયા હતા મહાનગરપાલિકાના એક જવાબદાર પદાધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની આ સિટી બસ સેવામાં બસ પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ પીએમઆઇ કંપની ધરાવે છે. પીએમઆઇ કંપની આવા અકસ્માત સહિતની દુર્ઘટનામાં સીધી ફસાઇ નહીં અને સ્થાનિક કક્ષાએ યોગ્ય રીતે કામગીરી થાય તે માટે પેટા કોન્ટ્રાક્ટ આપતી હોય છે. આ પેટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે સાતેક મહિના પહેલાં શહેર ભાજપના એક પૂર્વ મહામંત્રી વિક્રમ ડાંગરને લઇને આજી ડેમ પાસે આવેલા પીએમઆઇના ડેપોએ ગયા હતા અને ત્યાં કંપનીના અધિકારીઓને

મળ્યા હતા. મહામંત્રીએ એક સિટી એન્જિનિયર પર દબાણ કર્યું અને ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝર બનાવાયો મહામંત્રીએ પીએમઆઇના અધિકારીને કહ્યું હતું કે, એક ધારાસભ્ય અને અમે બધા સાથે જ છીએ, આ પેટા કોન્ટ્રાક્ટ મારે જ રાખવાનો છે, હું જાહેર જીવનમાં હોવાથી મારું નામ નહીં હોય, નામ વિક્રમ ડાંગરનું રહેશે પરંતુ અમે બધા સાથે જ હશું. મહામંત્રીના ધમપછાડા પછી પણ પેટા કોન્ટ્રાક્ટ તો મળ્યો નહોતો, પરંતુ વિક્રમ ડાંગરને સુપરવાઇઝર તરીકે રખાવવામાં સફળતા મળી હતી. મહામંત્રીએ એક સિટી એન્જિનિયર પર દબાણ કર્યું હતું અને સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝર બનાવવામાં આવ્યો હતો. દરેક કામમાં કમિશન કટકટાવતા આ વહીવટદાર મહામંત્રીએ પેટા કોન્ટ્રાક્ટ મેળવવા ધારાસભ્યનું નામ વટાવ્યું હતું ત્યારે ખરેખર ધારાસભ્યની જાણ બહાર આ વાત કરી હતી કે, ધારાસભ્ય પણ પડદા પાછળ હતા તે બાબત રહસ્ય છે તેવો નિર્દેશ પદાધિકારીએ આપ્યો હતો. કોટેચા ચોકમાં સિટી બસ

રોકી NSUIનો ચક્કાજામ NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ સિટી બસને અટકાવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં કાર્યકર્તાઓ સિટી બસમાં બેસી ગયા હતા. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખનો શર્ટ ઝપાઝપીમાં ફાટી ગયો હતો. કોંગ્રેસ અને AAPએ મ્યુનિ.કચેરી ખાતે વિરોધપ્રદર્શન કર્યું રાજકોટ મનપા કચેરીએ કોંગ્રેસ અને આપ દ્વારા ઉગ્ર વિરોધ કરી મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરો તેમજ ભાજપ હાય હાયના નારા લગાવાયા હતા. તેમજ એજન્સી સામે કડક પગલાં લેવા અને મૃતકોના પરિવારને 50 લાખનું વળતર આપવા માંગ કરવામાં આવી હતી. આજે ઘણા સમય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વિરોધપ્રદર્શનમાં એક સાથે દેખાયા હતા. અને રાત્રે કેન્ડલ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. બસના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો રાજકોટ શહેર ડીસીપી ઝોન- 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, બુધવારે

તારીખ 16.04.2025ના રોજ રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટીબસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સવારના 9.52 વાગ્યે ઇન્દિરા સર્કલથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તરફ જતી સિટીબસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખૂલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલાં વાહનોને હડફેટે લીધાં હતાં. અકસ્માતના પગલે કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસચાલક શિશુપાલસિંહ રાણા પણ પણ ઈજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે BNSની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ 125(એ), 125(બી), 281, 324(4) તેમજ મોટર વેહિકલ એક્ટની કલમ 5, 177, 181, અને 184 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા FSL તેમજ RTOની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું

હતું જેમાં બસની બ્રેક ફેઈલ થઇ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં એક્સપાયર થઇ ગયું હોવાનું સામે આવ્યું છે. બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. બ્રેથ એનલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણસર લગાવી નથી શક્યો એ અંગે તપાસ કરવામાં આવશે. વીડિયો ફૂટેજના આધારે 3 લોકોની અટકાયત રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં અકસ્માત સમયે કેટલાક લોકો દ્વારા સિટીબસમાં

તોડફોડ કરવામાં આવી છે તો કેટલાક લોકો દ્વારા બસચાલકને માર મારવામાં આવ્યો છે તેમજ પોલીસ કાર્યવાહીમાં અડચણરૂપ બની અને પોલીસને ફરજમાં પણ રુકાવટ કરવામાં આવી હોવાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ, ફરજમાં રુકાવટ બદલ અને બસચાલકને માર મારવા બદલ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ છે, જેમાં ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સમયે થયેલી બબાલના સામે આવેલા વીડિયો ફૂટેજના આધારે પોલીસે વીડિયોમાં દેખાતા 3 લોકોની અટકાયત કરી છે. જેની ધોરણસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં ઇન્દીરા સર્કલ પાસે સિટી બસ નંબર જીજે.03.બીઝેડ.0048થી જે દુર્ઘટના બની તેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉંમર વર્ષ 35), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉંમર વર્ષ 40), ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ 25) અને કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉંમર

વર્ષ 56)નો સમાવેશ થાય છે. જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા, સુરજ ધર્મેશ, સાનિયાબેન અજયભાઈ રાજબર, અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જનાર બસચાલક સારવાર હેઠળ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે. શિશુપાલસિંહ સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તા હેઠળ છે જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવશે. મનપા અને બસ સંચાલક એજન્સી વચ્ચે શું કરાર થયા છે અને ઘટનામાં કોની બેદરકારી છે એ અંગે તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. અકસ્માત કરનાર ડ્રાઇવર ટર્મિનેટ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યો છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલી વિશ્વમ એજન્સી સામે

પણ આકરાં પગલાં લેવામાં આવશે. મૃતક કિરણબેનની આંખો અન્યના જીવનમાં ઉજાસ પાથરશે રાજકોટમાં પૂરપાટ ઝડપે દોડતી સિટી બસની અડફેટે 56 વર્ષીય કિરણબેન કક્કડનું મોત નિપજ્યું હતું. ત્યારે તેમની અંતિમયાત્રામાં હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. જોકે, સગર્ભા પુત્રી માતાના અંતિમ દર્શન કરી શકી ન હતી. કિરણબેન નાનીની ગુંજ સાંભળે તે પહેલાં જ તેમના શ્વાસ બસે થંભાવી દીધા હતા. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સ્વિમિંગ માટે જઈ રહેલા સાસુ-વહુના સ્કૂટરને અડફેટે લીધું હતું. કક્કડ પરિવાર કોટેચા ચોકમાં શાંતિની કેતન સોસાયટી શેરી નં. 18માં રહે છે. તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં જ કિરણબેનના પુત્ર જીત કક્કડના લગ્ન નેહા સાથે થયા હતા. કિરણબેન છેલ્લા 5 વર્ષથી કાલાવાડ રોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલના સભ્ય હતા. તેઓએ સ્વિમિંગમાં અનેક એવોર્ડ અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. જોકે, મૃત્યુ બાદ પણ તેમના ચક્ષુદાનથી તેઓ અન્યોના જીવનમાં ઉજાસ પાથરતા ગયા છે.

Related Post