Summerમાં બ્લડ પ્રેશરના દર્દી માટે આ Super Food આરોગ્ય માટે લાભદાયક:

Summerમાં બ્લડ પ્રેશરના દર્દી માટે આ Super Food આરોગ્ય માટે લાભદાયક
Email :

ગુજરાતમાં અત્યારે ઉનાળાની ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થતા બાળકો અને વૃદ્ધો ઉપરાંત ગંભીર પ્રકારના રોગના દર્દી માટે વધુ જોખમકારક બન્યો છે. ખાસ કરીને ગરમીનો કહેર વધતા બ્લડ પ્રેશરના દર્દીઓને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશરના દર્દીઓએ  તેને નિયંત્રિત કરવું સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. 

હાઇપરટેન્શનથી અકાળ મૃત્યુ જોખમ

ઉનાળાની સિઝનમાં અનેક વખત જોવા મળ્યું છે કે બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શન અકાળ મૃત્યુ અને હૃદય રોગનું મુખ્ય કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે. અને એટલે જ ડોક્ટર મીશા દ્વારા ગરમીમાં બ્લડ પ્રેશરના દર્દી BP નિયત્રિંત કરી શકે તેને લઈને આહારમાં બદલાવને લઈને જરૂરી સૂચન કરાયું છે. ડોક્ટર મીશાના મતે બ્લડ પ્રેશરના દર્દીઓએ ગરમીમાં ચોક્કસ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. કારણ કે ગરમીમાં ઉંચું તાપમાન શરીરમાં પાણીની ઘટ (ડિહાઈડ્રેશન), સોડિયમ પદ્ધતિમાં ખલેલ અને બ્લડ પ્રેશરમાં ફેરફાર ઊભું કરે છે.

ગરમીમાં BPના દર્દીઓ માટે લાભદાયક ખોરાક:

બ્લડ પ્રેશરના દર્દીઓએ ગરમીમાં કુદરતી રીતે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરેલું

નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. આ પીણાનું સેવન ડિહાઈડ્રેશન અટકાવે છે અને BP સંતુલિત રહે છે.

ગરમીની સિઝનમાં બ્લડ પ્રેશરના દર્દી ઉપરાંત સામાન્ય લોકોએ પણ લીંબુ પાણીનું સેવન જરૂરથી કરવું જોઈએ. લીંબુ પાણી કુદરતી રીતે ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરેલું હોવાથી અને વિટામિન C અને પોટેશિયમથી ભરપૂર હોવાના કારણે હ્રદય માટે ઉત્તમ માનવામાં આવે છે.
કેળા એક એવું ફળ છે જે તમને દરેક ઋતુમાં મળશે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓએ ગરમીમાં પડતો પાણીનો શોષ ટાળવા વધુ પાણીવાળા ફળો કાકડી અને તરબૂચનું સેવન કરવું. પોષણયુક્ત આ ફળોમાં પાણીની માત્રા વધુ હોવાથી શરીરમાં પાણીની ઘટ દૂર કરે છે અને શરીરને ઠંડક આપે છે. આ ફળોનું સેવન કરવાથી BP નિયંત્રણમાં રહે છે. 
ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને તેનાથી સંબંધિત ગંભીર રોગોથી બચી શકાય છે. તેમાં મેગ્નેશિયમ અને ફ્લેવેનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે અને તે નાઈટ્રિક ઓક્સાઇડને વધારે છે, જે રક્તવાહિનીઓને આરામ આપે છે.
ગરમીમાં શરીરને ઠંડક આપવા બજારમાં મળતા ઠંડા પીણાંને બદલે ઘર બનાવેળ છાશનું સેવન વધુ લાભકારક છે. છાસ અને દહીં તાપ અને દમને સંતુલિત કરે છે ઉપરાંત પાચન તંત્રને પણ મજબૂત કરે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓએ આ ખોરાક ટાળવો

આરોગ્ય નિષ્ણતાના મતે ગરમીમાં બ્લડ પ્રેશરના દર્દીઓએ ભરપૂર મસાલાવાળો અને તળેલો ખોરાક અને વધુ પડતી સુગર ધરાવતો ચોકલેટ, કેક અને ગુલાબજાંબુ જેવી સ્વીટ લેવાનું ટાળવું. આ ઉપરાંત બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ, પાપડ અને અથાણાનું સેવન ના કરવું જોઈએ. નિષ્ણાતના મતે આ ખોરાક બ્લડ પ્રેશરના દર્દીઓના બીપીમાં વધારો કરી શકે છે. બીપી વધવાનવા કારણે સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ પણ ઉદભવી શકે છે. એટલે શક્ય બને ત્યાં સુધી બ્લડ પ્રેશરના દર્દીઓએ ગરમીની સિઝનમાં ઉપર જણાવેલ વસ્તુઓમાંથી કોઈએક પોતાના આહારમાં અવશ્ય સામેલ કરવી જોઈએ.

Leave a Reply

Related Post